તમે નજર હતી દુર્ઘટના ઘટી કહેવત તો સાંભળી જ હશે.. આ ઘોર કલિયુગનો સમય ચાલી રહ્યો છે. આવા સમયે આપડે પોતે જ આપડું ધ્યાન રાખવું જોઈએ.. બજારમાં એવા કેટલાય મન મેલા લોકો આપડા પર નજર તાકીને જ બેઠા હોઈ છે કે ક્યારે આ વ્યક્તિ ચૂક કરે અને હું તેણે જાળમાં ફસાવીને લુંટી લવ….
હાલ એવો જ એક કિસ્સો અમદાવાદના શહેરના કાલુપુર વિસ્તારમાં બન્યો છે. કેતન જૈન નામનો યુવક અમદાવાદના ઓઢવમાં વરુણ ટી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીનો માલિક છે. તે ચા-પત્તીનો હોલસેલ વેપાર કરે છે. તે દિવસે બપોરના સમયે પોતાના મોટાભાઈ રાહુલ જૈન સાથે માધુપુરા ગંજ બજાર વિસ્તારમાં ચા પત્તીના સેમ્પલ દેવા માટે ગયા હતા.
તેમજ માર્કેટમાંથી પોતાના ધંધાની ઉઘરાણી કરીને કુલ 6 લાખ 90 હજાર રૂપિયા રોકડા લઈને પોતાની એક્ટિવાની ડીકીમાં મુકયા હતા. ત્યારબાદ તો બેંકમાં પૈસા જમા કરાવવા માટે ગયા હતા અને ત્યારબાદ બેંક નજીકના મંદિરે ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા. તેઓની ગાડી બેંકની બહાર પાર્ક કરેલી હતી.
તેઓને એવી કોઇપણ ભનક ન હતી કે તેઓની સાથે ખુબ જ ખરાબ બનાવ બનાવાનો છે. બંને ભાઈ મંદિરેથી પાછા આવીને ફેક્ટરી પહોચ્યા હતા. અને ત્યારબાદ ગાડીની ડીકી ખોલીને પૈસા કાઢવા ગયા કે જોયું તો ડીકી સાવ ખાલી હતી. આ દ્રશ્ય જોઇને તેઓના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી.
અવાર નવાર વેપારીઓ ડેકીમાં મોટી રકમ મૂકતા હોય છે ત્યારે આ ઘટના પરથી લોકોએ ચેતવાણી જરૂર છે. બેંકની બહારના CCTVમાં ચેક કરતાં જાણવા મળ્યું હતું કે અજાણ્યા ઇસમે ખોલી તેમાંથી ૬ લાખની ચોરી કરી હતી. જેથી આ સમગ્ર મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા હતા. જેમાં ખાસ ડેકીમાંથી ડિસમિસ વડે ચોરી કરતી ગેંગ હોવાનું સામે આવતું હતું. ત્યારે હવે આ કેસમાં આ જ ગેંગ સંડોવાયેલી છે કે કેમ તે પોલીસ તપાસમાં અને આરોપીઓ પકડાયા બાદ સામે આવશે. હાલ તો કાલુપુર પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં આંકના પલકારે એક્ટીવામાંથી લાખો રૂપિયા લઈ ચોરી ફરાર, વીડિયો વાયરલ pic.twitter.com/LEokPFcS8Z
— News18Gujarati (@News18Guj) February 4, 2022
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]