Breaking News

આવી રહ્યું છે હજી એક મોટું વાવાઝોડું “ગુલાબ”, જાણો કયા વિસ્તારમાં અને કઈ તારીખે ટકરાશે..!

વાવાઝોડા તો આવીને ચાલ્યા જાય છે પરતું તેની અસરની પાછળ કેટલાય લોકો બેઘર બની જાય છે. લોકોને ખાવા પીવાના પણ ફાફા પાડવા લાગે છે. વાવાઝોડાના કારણે ભરપુર વરસાદ પડે છે તેથી ખેડૂતોને પણ પાકમાં ભારે નુકસાન થાય છે. ઘર પડી જાય છે.. ટૂંકમાં એક વાવાઝોડું અધધ નુકસાન કરીને જતું રહે છે.

થોડાક મહિના પહેલા જ “તાઉ-તે” અને “યાસ” વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી દીધી છે. હજુ આ વાવાઝોડાના નુકસાનમાંથી લોકો બહાર નથી આવ્યા ત્યાં તો ત્રીજું વાવાઝોડું તબાહી મચાવવા તૈયાર થઈ ગયું છે. જી હા મિત્રો , ત્રીજું વાવાઝોડું કે જે બંગાળની ખડીમાંથી જમ્ન્યું છે અને ભારતના પૂર્વ ભાગમાં ટકરાશે તેવી પૂરી આશંકાઓ છે.

ભારતના હવામાન ખાતાએ જણાવ્યું તે મુજબ આ વાવાઝોડું પૂર્વ ભારતના રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં ટકરાશે. આ વાવાઝોડાનું નામ ગુલાબ છે જે પાકિસ્તાન તરફથી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે વાવાઝોડાને પગલે બંગાળ, ઓરિસ્સા અને આંધ્રમાં ભારેથી અતિભારે વરસાદ ફૂલ પવન સાથે વરસશે તેવી આગાહી આપી છે. તેમજ છત્તીસગઢ અને તેલંગણામાં હળવોથી ભારે વરસાદ પડશે તેવી આગાહી આપી છે. માછીમારોને સોમવાર સુધી દરિયો ન ખેડવા માટે સુચના આપી દીધી છે.

આ વાવાઝોડું હાલ પશ્ચિમ બંગાળના દરિયા કિનારાથી 500 કિલોમિટર દુર છે. પરતું હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા લો પ્રેશર વધી ગયુ છે.તેથી આગામી 12 કલાકમાં આ દબાણ વાવાઝોડામાં ફેરવાઈ જશે તેવું અનુમાન છે. આ વાવાઝોડું ઓરિસ્સાના ગોપાલપુરથી 510 કિલોમિટર દુર છે.

હવામાન વિભાગે પવનઈ ગતિ વિષે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે 26 તારીખના રોજ પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થશે તેમજ સાંજ સુધીમાં તો ૫૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા લાગશે. અને ત્યારબાદ જેમ જેમ વાવાઝોડું નજીક પહોચતું જશે તેમ તેમ પવનની ગતી 80 થી 90 ની થઈ જશે.

જો આ વાવાઝોડું આવશે તો પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના જીલ્લાઓમાં ભારે નુકસાન સર્જાશે. હજુ લોકો કોરોના કાળમાંથી બહાર આવ્યા નથી ત્યાં તો વાવાઝોડા પણ હેરાન કરવા લાગ્યા છે. જો આ વાવાઝોડું આવશે તો સૌથી વધારે અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં થશે.

આપડે આશા કરીએ કે આ વાવોજોડું ન આવે અને લોકોનું નુકસાન ન થાય. ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે છે કેમ કે વાવાઝોડાથી પવન ફૂંકતા તેમજ ધોધમાર વરસાદ વરસતા પાકનો સત્યાનાશ થઈ જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *