અત્યારે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે. પરંતુ આગામી ૪૮ કલાકની અંદર જ હવામાનમાં ખૂબ મોટો ફેરફાર થવાની શક્યતા રહેલી છે. ગુજરાતના હવામાન વિભાગ તેમજ હવામાન શાસ્ત્રીઓ અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે, અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે…
સવારમાં ધુમ્મસ અને ઝાકળ દેખાઈ રહ્યો છે. તો બપોરે બળબળતો તાપ પડે છે. અને જેમ જેમ રાત્રિનો સમય થતો જાય તેમ તેમ ઠંડીનું પ્રમાણ પાછું વધતું જાય છે. ગુજરાતમાં ઉનાળો અને શિયાળાની ઋતુ દેખાઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં ૪૮ કલાકમાં તાપમાનમાં લાંબો વધારો થવાની શક્યતા રહેલી છે…
હાલ બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. મહેસાણા સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો સતત બે દિવસથી વધી રહ્યો છે. એટલે કે ઠંડીનું પ્રમાણ ઓછું થતું જાય છે. અને ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. સવાર નું તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું…
એટલે કે સવાર પણ ઠંડીનો ચમકારો થઈ ગયો નથી પરંતુ બપોરના સમયે વાતાવરણ ખૂબ ગરમ થઈ જાય છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં સતત ફેરફારો થતી રહે છે. જેમાં થોડાક સમયમાં જ લઘુતમ તાપમાનમાં ડિગ્રીનો ઘટાડો થયો છે રાજ્યમાં આવતા 48 કલાક સુધી ઠંડીનો ચમકારો દેખાશે…
અને ત્યાર પછી ધીમે ધીમે ગરમીનું વાતાવરણ શરૂ થઈ જશે. તો બીજી બાજુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૪૮ કલાક સુધી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થતી જશે…
પરંતુ રાત્રે ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરી આસપાસના સમયગાળામાં ગુજરાતમાં કમોસમી માવઠા કહેર મચાવવા માટે પહોંચી જાય અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તોફાની પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
આગાહીના પગલે દરેક લોકોએ સાવચેત રહેવું જોઈએ તો બીજી બાજુ સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભેજવાળા ઠંડા પવન ફૂંકાશે અને દરિયામાં કરંટ જોવા મળશે. આ ઉપરાંત દરિયાકિનારાના વિસ્તારોમાં હળવદ થી મધ્યમ કમોસમી વરસાદ વરસવાની પણ આગાહી રહેલી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]