એક પરિવારને અત્યારે અડધી રાત્રે રોવાનો વારો આવી ગયો હતો, જે પરિવાર એકઠું થઈને દિવસ રાત મહેનત કરીને પૈસાની કમાણી કરતા હોઈ અને તેમના કમાયેલા તમામ રૂપિયા જો માત્ર ગણતરીની મીનીટોમાં જ તેમનાથી દૂર થઈ જાય તો આ દુઃખનો આઘાત કોઈપણ સામાન્ય વ્યક્તિથી સહન થઈ શકતો નથી..
મહેનત મજૂરી કરીને ભેગા કરેલી મૂડી સૌ કોઈ લોકોને ખૂબ જ વધારે વહાલી હોય છે, હાલ એક પરિવાર તેમના નજીકના કોઈ સંબંધી ન હોય લગ્ન પ્રસંગ વતનમાં હોવાને કારણે ત્યાં હાજરી આપવા માટે ગયા હતા. ત્યાંથી પ્રસંગ પૂર્ણ કરીને તેઓ ટ્રેન મારફતે પોતાને ઘરે પરત આવ્યા હતા..
ઘરે પહોંચવામાં લગભગ અડધી રાત વિધિ ચૂકી હતી, રીક્ષા કરીને ઘરે પહોંચેલા પરિવારે તેમના જ ઘરની અંદર એવું દ્રશ્ય જોઈ લીધું કે તેમની ઊંઘ ઊડી ગઈ હતી અને અડધી રાત્રે સમગ્ર પરિવારનો રોવાનો વારો આવી ગયો હતો. આ બનાવ રતન નગર કોલોનીનો છે, આ કોલોનીની અંદર રહેતા અરવિંદ કુમાર નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..
પરિવારમાં તેમના દીકરો-દીકરી અને તેમની પત્નીનો સમાવેશ થાય છે. તેઓ જ્યારે તેમના ઘરનો દરવાજો ખોલી રહ્યા હતા, ત્યારે ઘરની અંદર પ્રવેશ કરતાની સાથે જ તેમણે જોયું કે તેમના ઘરનો તમામ વેર વિખેર હતો. તેમના ઘરના હોલની અંદર મૂકવામાં આવેલી તિજોરીના તાળા પણ તૂટેલા હતા અને કબાટના લોખંડના લોકર પણ તોડી નાખવામાં આવ્યા હતા..
તેઓ હોલસેલના વ્યાપાર સાથે જોડાયેલા છે અને માત્ર પાંચ દિવસ પહેલા જ તેમને એક અન્ય વેપારી પાસેથી 7 લાખ રૂપિયાનું એક પેમેન્ટ આવ્યું હતું અને તે પેમેન્ટ અને તેઓએ આ તિજોરીની અંદર મૂકી દીધું હતું, આ ઉપરાંત કબાટની લોકરની અંદર તેમની પત્ની અને તેમની પુત્રીના ઘણા બધા ઘરેણા પણ મૂકવામાં આવ્યા હતા..
આ તમામ ઘરેણા પણ ગાયબ હતા, આ સાથે સાથે તિજોરીમાં મૂકવામાં આવેલા 7 લાખ રોકડા પણ ગાયબ હોવાને કારણે સમગ્ર પરિવાર મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો, આ અદ્રશ્ય જોતા જ સમગ્ર પરિવાર સમજી ચૂક્યો કે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે અને આ ચોરીની અંદર સાત લાખ રૂપિયા રોકડા તેમજ અંદાજે ચાર લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના પણ ગાયબ છે..
આ મોટી ચોરીને લઈને અરવિંદ કુમારની પત્ની શૂરમીલા બહેન તો ઘટના સ્થળે જ રડવા લાગ્યા હતા, તેમના રડવાનો અવાજ સાંભળીને આસપાસના પડોશીઓ પણ અડધી રાત્રે તેમની મદદ માટે પહોંચી આવ્યા હતા. તેમના પડોશમાં રહેતા લોકોને પણ કેવું છે કે, તેઓએ અરવિંદ કુમારના ઘરમાંથી કોઈ પણ પ્રકારનો અવાજ સાંભળ્યો નથી..
અને આ ચોરી ક્યારે થઈ ગઈ તેની પણ તેમને કોઈ ખબર નથી, આ ઘટનાને લઇ અરવિંદકુમાર અડધી રાત્રે પોલીસ સ્ટેશનને ગયા અને તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે. તેવી ફરિયાદ નોંધાવી દીધી હતી, પોલીસે ફરિયાદ નોંધીને ઘટનાની તલાશી લેવાની શરૂ કરી દીધી હતી, સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આ ચોર લુંટારાઓએ કેટલા વાગે અને ક્યાંથી પ્રવેશ કર્યો છે..
તેની જાણકારી મેળવવી રહી છે, તેમજ આ ચોર લુટારાઓ ચોરી કરીને ક્યાં જઈ રહ્યા છે, તેની પણ ભાળ મેળવવી રહી છે, અરવિંદ કુમારનું કહેવું છે કે, તેઓના ઘરે આટલી મોટી રકમ મૂકેલી છે, તેની જાણકારી તેમના નજીકના સભ્યોને જ હતી. આ સભ્યો સિવાય કોઈપણ વ્યક્તિને ખબર ન હોવાને કારણે તેમની શંકા તેમના નજીકના વ્યક્તિઓ ઉપર જ છે..
આ ઘટનાને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે, ચોરીની આ ઘટના સામે આવતા તંત્ર પણ સફાળું બેઠું થયું છે. કારણ કે છાશ વારે જુદા-જુદા વિસ્તારોમાંથી ચોર લૂંટારાઓ સામાન્ય વ્યક્તિઓ માટે જીવન જીવવું મુશ્કેલ કરી દેતા હોય છે. આ લુંટારાઓને પકડી પાડીને તમામ રકમની વસુલી કરવામાં આવશે અને પરિવારને એમનો સામાન પરત મળી જશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]