Breaking News

વૃદ્ધ પતિનું અચાનક મૃત્યુ થતા થોડી જ વારમાં પત્નીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો, બંનેની એકસાથે અર્થીઓ ઉઠતાં ગામમાં સૌ ચોકી ગયા..!!

હંમેશા દરેક લોકો કહે છે કે નસીબમાં લખ્યું હોય છે તે જ થવાનું છે અને દરેક લોકો પોતાના જીવવાનું અને મરવાનું નસીબ ધરતી પર લઈને જ આવે છે અને લોકોની જોડીઓ પણ ઉપરથી બનીને જ આવે છે. તેઓ પહેલાના વડીલોની કહેવાયેલી કહેવત છે પરંતુ આ કહેવત મુજબ હાલમાં બન્યું છે. કહેવતને સાચી કરતો એક કિસ્સો સામે આવ્યો છે.

આ કિસ્સો ભીતરવારના ચીટોલી ગામમાં રહેતા પરિવારમાં બન્યો છે. પરિવારમાં રહેતા રમેશચંદ્ર ખટીક અને તેમની પત્ની બંને એકસાથે પોતાનું જીવન જીવતા હતા. રમેશચંદ્રની પત્નીનું નામ સીતાદેવી હતું. સિતાદેવી અને રમેશચંદ્ર પોતાના લગ્ન બાદ ખૂબ જ રાજી ખુશીથી રહેતા અને બંને પોતાના બાળકોને પણ સાથે મહેનત કરીને મોટા કર્યા હતા.

રમેશચંદ્ર અને તેમની પત્ની સીતાદેવી વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. તેઓ વૃદ્ધ થયા હોવા છતાં બંનેનો પ્રેમ ઓછો થયો નહીં, સીતાદેવીએ લગ્ન સમયે લીધેલા સાત ફેરામાં સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને આ કહેવતને સીતાદેવીએ સાબિત કરી નાખી હતી. એક દિવસ રમેશચંદ્ર અને સીતાદેવી સાંજનું ભોજન કર્યા બાદ એકસાથે પોતાના ખાટલામાં સૂઈ રહ્યા હતા.

બંને સુતા સમયે એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારબાદ બંને ઊંઘી ગયા હતા. પરંતુ અચાનક મોડી રાત્રે રમેશચંદ્ર બાથરૂમ જવા માટે ઉભા થયા હતા. તે સમયે તેઓ બાથરૂમ પાસે જ અચાનક ઢળી ગયા હતા. જેના કારણે થોડી વારમાં તેમની પત્ની સીતાદેવી જાગી ગયા અને તેણે જોયું તો રમેશચંદ્ર પોતાના ખાટલામાં હતા.

પત્ની તરત જ ઊભી થઈને રમેશચંદ્રને ઘરમાં શોધી રહી હતી. તે સમયે સીતાદેવીએ રમેશચંદ્રને બાથરૂમ પાસે બેભાન અવસ્થામાં જોયા હતા. જેના કારણે તેમણે પોતાના દીકરાઓને બુમાબુમ કરીને જગાડ્યા હતા. દીકરાઓ તેમના પિતા પાસે આવ્યા અને પિતાને તેમણે ઉભા કરવાની કોશિશ કરી પરંતુ દીકરાઓએ જોયું તો રમેશચંદ્રના શ્વાસ અટકી ગયા હતા.

જેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હોવાની જાણ થઈ હતી. સીતાદેવીને રમેશચંદ્રના મૃત્યુની જાણ થતાં તેને ખૂબ જ આઘાત લાગી ગયો હતો. જેના કારણે તેઓ પણ બેભાન થઈ ગયા હતા અને અચાનક સીતાદેવી પણ જમીન પર ઢળી પડ્યા તેમના દીકરાઓએ સીતાદેવીને પણ ઉઠાડવાની કોશિશ કરી પરંતુ સીતાદેવીના પણ શ્વાસ અટકી ગયા હતા.

અને તેઓએ પણ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. પતિના મૃત્યુની જાણ થતાં જ સીતાદેવીએ થોડી જ વારમાં પણ પોતાનો જીવ આપી દીધો હતો. બંને પતિ-પત્નીના એક સાથે મૃત્યુ થઈ જવાને કારણે પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા અને સવાર થતા બંનેની એકસાથે અર્થીને તૈયાર કરવામાં આવી હતી.

અને પતી-પત્નીની અર્થીઓ એકસાથે ઉઠી હતી. જેના કારણે ગામના લોકો આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગામમાં એકસાથે પતિ-પત્નીના મૃત્યુને કારણે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પતિ પત્નીનો ખૂબ જ અતુટ પ્રેમ હતો. જેના કારણે બંને પતિ-પત્ની સાથે પોતાનું જીવન જીવ્યા હતા અને સાથે તેઓ મૃત્યુ પામ્યા હતા. આવી ઘટનાઓ આજકાલ ખૂબ જ ઓછી બનતી જોવા મળે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *