Breaking News

વર્ષોથી બંધ પડેલા મકાનમાં રહેવા આવેલા ભાડૂતે સંડાસનો દરવાજો ખોલ્યો ત્યાં તો એકસાથે એવી 19 વસ્તુઓ નીકળી કે જોઇને મકાન ખાલી કરી નાખ્યું.. જાણો..!

અમુક વખત ઓચિંતા જ આપડી નજરની સામે એવું દ્રશ્ય આવી જાય કે આપણું મગજ એવા દ્રશ્યને જોવા માટે ક્યારેય પણ તૈયાર હોતું નથી. અવારનવાર આવા હચમચાવી દેતા દ્રશ્યો કોઈ માણસને ઊંડા વિચારમાં મુકાવી દેતા હોય છે. અત્યારે એક પરિવારજનોના મનમાં ખૂબ જ મોટો ભય બેસી ગયો હતો..

આ ઘટના શામજી કૃષ્ણ કોલોનીની છે. અહીં છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડેલા મકાનમાં ભાડુઆત રહેવા માટે આવી પહોંચ્યા હતા. મૂળ કલોચી ગામના રહેવાસી દેવરાજભાઈ તેમના પરિવારજનોની સાથે શામજી કૃષ્ણ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેવા માટે આવ્યા હતા. તેઓ પહેલા જ્યારે હતા ત્યાં મકાન અન્ય કોઈ વ્યક્તિએ ખરીદી લીધું હોવાથી તેમને ત્યાંથી મકાન ખાલી કરવાની ફરજ આવી પડી હતી..

અને તાત્કાલિક ધોરણે તેઓ આ કોલોની માં રહેવા માટે આવી પહોંચ્યા ત્યારે એમ મકાન માલિકે જણાવ્યું કે, આ મકાન છેલ્લા ઘણા સમયથી બંધ રહેલું છે. એટલા માટે તમારે સાફ સફાઈ કરવી પડશે. આ પરિવારજનો મકાનની અંદર સામાન ગોઠવવા લાગ્યા હતા. પરંતુ એવામાં દેવરાજભાઈ જેવો મકાનનો ટોઈલેટનો દરવાજો ખોલ્યો ત્યારે એક સાથે એવી 19 વસ્તુ નીકળી કે..

તે જોતા ની સાથે તેઓએ મકાન ખાલી કરી નાખ્યું હતું અને સામાન પણ મકાનની બહાર કાઢીને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. ટોઈલેટનો દરવાજો ખોલતાની સાથે જ તેમને દેખાય એવું કે અંદરથી એક સાથે 19 ઉંદરડા નીકળી આવ્યા હતા. આ મકાન છેલ્લા ઘણા સમયથી બંધ હોવાને કારણે મકાનની અંદર ધૂળનો થર જામી ગયો હતો..

તેમજ અંદર કબૂતર અને અન્ય પંખીઓએ પણ માળા બનાવી નાખ્યા હતા. પરંતુ ટોઇલેટનો દરવાજો ખોલતાની સાથે જ એક પછી એક કુલ 19 ઉંદરડાઓ આમ થી આમ હડિયાપાટી મચાવતા નજરે ચડ્યા હતા અને દરવાજો ખોલતાની સાથે જે કંઈ એકાએક દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. જ્યારે આ દ્રશ્યો દેવરાજભાઈ ના પત્ની અને દેવરાજભાઈની દીકરીએ જોયા ત્યારે તેઓ ચીસો પાડીને મકાનની બહાર નીકળી ગયા હતા..

મોટાભાગે ઘણા બધા વ્યક્તિઓને ઉંદરડાથી ખૂબ જ ડર લાગે છે. એટલા માટે તેઓએ જણાવ્યું કે, હવે તેઓ આ મકાનની અંદર રહેવા માંગતા નથી. આ મકાન છેલ્લા ઘણા સમયથી ખંડેર હાલતમાં પડ્યું છે. અને આ મકાનની અંદર આવા બધા જીવજંતુઓનો તેમને ખૂબ જ ડર રહે છે. એટલા માટે તેઓ મકાન ખાલી કરીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા હતા..

જ્યારે હચમચાવી દેતી આ ઘટના સામે આવી ત્યારે સોસાયટીમાં પણ ચર્ચાઓ થઈ જવા પામી હતી. આસપાસના રહીશો પણ મકાનમાલિકની કહેવા લાગ્યા કે, જો આ મકાનની બરાબર દેખરેખ રાખવામાં આવશે નહીં, તો તેમના વિરોધ ફરિયાદ દાખલ કરવામાં આવશે. કારણ કે તેમના મકાનમાં કોઈ પણ વ્યક્તિ ન રહેતું હોવાને કારણે અંદર જીવ જંતુઓએ અડ્ડો જમાવી લીધો હતો..

અને તેની અસર આસપાસના મકાન વાળાઓને પણ થતી હતી. આ ઘટના બન્યા બાદ દેવરાજભાઈ તાત્કાલિક ધોરણે એક વાહન બોલાવ્યું હતું અને તેમના ઘરનો તમામ સામાના વાહનની અંદર ચડાવ્યા બાદ તેઓ અન્ય કોલોનીમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા. તો બીજી બાજુ મકાનમાલિકે જણાવ્યું કે, તેઓએ પહેલેથી જ દેવરાજભાઈ ને જણાવી દીધુ હતું કે..

આ મકાન છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. એટલા માટે તમારે મકાનની સાફ-સફાઈ કરવી પડશે, એ બંધ મકાનની અંદર ગટર લાઈન મારફતે એક સાથે આટલા બધા ઉંદરડાઓ એ ઘરની અંદર પ્રવેશ કરી લીધો હશે. એ બાબતની જાણકારી તેમને પણ પહેલેથી હતી નહીં, હાલ આ ઘટનાને લઈને સોસાયટીમાં હોબાળો મચી જવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *