ક્યારે કઈ ઘટના બને તેનું નક્કી હોતું નથી, એક ગામની અંદર સુખ ચેનથી રહેતા સમગ્ર લોકો માટે ખૂબ જ મોટી આફત આવી પડી હતી. આ ઘટના ક્ષમાપુર ગામની છે. આ ગામની અંદર મંદિરની બાજુમાં આવેલું એક મકાન છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડ્યું હતું. આ મકાન પ્રેમજીલાલ નામના યુવકનું હતું..
પ્રેમજીલાલ છેલ્લા ઘણા વર્ષોથી પોતાનો પરિવાર લઈને વિદેશ ચાલ્યો ગયો હતો, ત્યારબાદથી તેનું ઘર બંધ પડ્યું હતું, હવે ગામની અંદર રોડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. એ વખતે પ્રેમજીલાલનું ઘર નડતરરૂપ બનતા તેના ઘરનું તાળું તોડીને અંદરનો સામાન કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકી તેનું ઘર તોડવાની કામગીરી ગામના તમામ લોકોએ ઉપાડી લીધી હતી..
એ વખતે વર્ષોથી બંધ પડેલા ઘરનું તાળું તોડતાની સાથે જ ગામ લોકોને ઘરની અંદરથી એવું દ્રશ્ય મળ્યું હતું કે, જોતાની સાથે જ બધાને માથે તાવ ચડી ગયો હતો અને આ ઘટના બનતાની સાથે સરપંચ પણ ઉભી પુછડીએ ભાગવા લાગ્યો હતો. આ ઘટનાએ સમગ્ર ગામમાં અશાંતિનો માહોલ ફેલાવી દીધો હતો..
દરેક લોકોમાં ડરનો માહોલ સર્જાઈ ગયો કે, આખરે આ બાબત કેવી રીતે શક્ય બની હશે..? હકીકતમાં જ્યારે ગામના કેટલાક લોકોએ પ્રેમજીલાલના ઘરનું તાળું તોડ્યું ત્યારે તોડતાની સાથે જ અંદરથી એક સાથે કુલ ચાર લાશો મળી આવી હતી. આ લાશોને જોતા જ સૌ કોઈ લોકો હચમચી ઉઠ્યા હતા અને વિચારમાં મુકાઈ ગયા કે આ લાશો કોની હશે અને કયા વ્યક્તિએ આ ચારેય વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકી દીધા હશે..
સંપૂર્ણ રીતે સડી ચૂકી હતી, આ ઘટના બનતાની સાથે જ ગામનો સરપંચ તાત્કાલિક ધોરણે ત્યાંથી ઊભી પૂછડિયા ભાગવા લાગ્યો હતો. ગામના લોકોએ જ્યારે આદૃશ્ય જોયું ત્યારે તેઓ પણ સમજી ચૂક્યા કે, નક્કી આ ઘટનાની પાછળ ગામનો સરપંચ હશે. એટલા માટે તે ભાગવા લાગ્યો છે..
આ બાબતને લઈ નજીકના તાલુકા પોલીસને અધિકારીઓને ગામના લોકોએ જાણકારી પહોંચાડી કે, તેમના ગામની અંદરથી કુલ ચાર વ્યક્તિઓની લાશ મળી આવી છે. અને આ લાશ જોતાની સાથે જ ગામનો સરપંચ પણ ગામ મૂકીને ભાગી ગયો છે, તરત જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને તપાસ ચલાવી તો ખબર પડી કે..
આ ગામની અંદર રહેતા એક જ કુટુંબના ચાર વ્યક્તિઓ છેલ્લા ઘણા સમયથી ગાયબ હતા, ગામના લોકોને થયું કે, આ ચાર વ્યક્તિઓ ગામ મૂકીને અન્ય કોઈ જગ્યાએ રહેવા માટે ચાલ્યા ગયા હશે. પરંતુ આ જ્યારે વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારીને પ્રેમજીલાલના મકાનની અંદર મૂકી દેવામાં આવ્યા હતા..
પરંતુ અત્યારે જ્યારે ગામના લોકોએ આ મકાનનું તાળું તોડ્યું ત્યારે તમામ ભાંડો ફૂટી ગયો હતો. ગામના તમામ લોકો આ ઘટનાને લઇ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા અને વિચારમાં મુકાણા કે ગામના સરપંચને એવું તો શું થયું હશે કે તે આ ઘટનાને જોતાની સાથે જ ગામ મૂકીને ભાગી ગયો છે..
પોલીસ એ સરપંચની પણ ભાર મેળવી લીધી અને તેને પકડી પાડવામાં આવ્યો હતો, તેની પૂછપરછ કરતા તેણે પણ જણાવ્યું કે, જ્યારે તેમના ગામની અંદર સરપંચની ચૂંટણી ચાલી રહી હતી. એ વખતે આ ચારે વ્યક્તિઓ તેને ખૂબ જ નડતરરૂપ બનતા હતા અને તેમાં લડાઈ ઝઘડો શરૂ થયો..
આ લડાઈ ઝઘડો એટલો બધો ઉગ્ર બની ગયો કે, જેમાં ચાર લોકોનો જીવ પણ ચાલ્યો ગયો હતો. અને આ ચાર લોકોની લાશને સંતાડવા માટે તેને પ્રેમજીલાલ નું ઘર ખૂબ જ સુરક્ષિત લાગ્યું હતું. એટલા માટે તેણે આ ચારેય વ્યક્તિઓને પ્રેમિલાલના ઘરની અંદર દાટી દીધા હતા, પરંતુ કહેવાય છે કે ખોટા કર્મો એક ને એક દિવસ જરૂર સામે આવી જતા હોય છે. એવી જ રીતે ગામના સરપંચની કાળી કરતુતોનો ભાંડો ફૂટી ગયો હતો, હાલ તેની પૂછપરછ થઈ રહી છે અને ત્યારબાદ તેને કડકમાં કડક સજા પણ કરવામાં આવશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]