ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ ઘણા બધા લોકો નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે, તેઓ પહેલાની માન્યતાઓને માનીને બીજા પરિવારના લોકોને હેરાન કરી રહ્યા છે, જેમાં દહેજ અને પૈસાની માંગણીને કારણે બનતી ઘટનાઓ ખૂબ જ જોવા મળે છે, આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના અજમેરમાં રામગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અજમેરમાં રહેતા પરિવારમાં દીકરીના લગ્ન સમએ ખૂબ જ ગંભીર ઘટના બની ગઈ હતી. પરિવારમાં માતા-પિતા દિકરી અને તેમના પરિવારના અન્ય સભ્યો રહેતા હતા. દીકરીનું નામ નિકિતા અને તેમની માતાનું નામ અર્ચનાબેન હતું.
દીકરીની લગ્નની ઉંમર થઈ જતા પરિવારના લોકોએ દીકરી માટે એક યુવક શોધ્યો હતો. યુવક પશ્ચિમ બંગાળના કોલકત્તામાં રહેતો હતો. યુવકનું નામ સૌરભ અને તેમના પિતાનું નામ ચંદ્ર વર્મા હતું. નિકિતાના લગ્નનો સમય ચાલી રહ્યો હતો. નિકિતાના લગ્નને કારણે પરિવારના લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
ઘરમાં ખુશીનો માહોલ હોવાથી લોકો ધૂમધામથી લગ્ન કરી રહ્યા હતા. લગ્નમાં 15 લાખ રૂપિયા નો ખર્ચ કરવામાં આવ્યો હતો. કોલકત્તાના સૌરભની જાન પણ નીકળી ગઈ હતી અને તેઓ નિકિતાના ઘરે પહોંચવાની હતી. તે સમયે નિકિતાના પરિવારજનોને સૌરભના પરિવારના લોકોએ 10 લાખ રૂપિયા રોકડા, કાર અને બુલેટ આપવાનું કહ્યું હતું.
વરરાજો તોરણે પહોંચે તે પહેલા તેઓએ આ તમામ વસ્તુઓની માંગણી કરી હતી અને માંગણીઓ પૂરી થશે તો જ તેમનો દીકરો તોરણીયા આવશે તેમ કહ્યું હતું. જેના કારણે નિકિતાના પરિવારજનોને પહેલાં મજાક લાગે હતી, તેમને થયું કે નિકિતાના સાસરીના લોકો મજાક કરી રહ્યા છે પરંતુ ધીમે ધીમે તેની ગંભીરતા દેખાઈ રહી હતી.
જેના કારણે નિકિતાના પિતાને ચિંતા વધવા લાગી હતી. જાન નીકળી ગઈ હતી અને તોરણે પહોંચે તે પહેલા રોકડા પૈસા, કાર અને બુલેટ આપવાનું કહ્યું જેના કારણે નિકિતાના પરિવારના લોકોએ આ તમામ વસ્તુઓ આપવાની ના પાડી હતી, જેના કારણે સાસરીના લોકો તો જાણ નહીં આવે તેમ કહીને જાણ પરત લઈને જતા રહ્યા હતા.
ચંદ્ર વર્માએ દીકરાના લગ્ન અટકાવી દીધા જેના લીધે નિકિતાના પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા તેઓએ લગ્ન માટે 15 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ છેલ્લી ઘડીએ આવા ભારે દહેજની માંગણી સાસરીના લોકોએ કરી હતી જે પિયરના લોકો પૂરી કરી શક્યા નહીં જેના કારણે નિકિતાના લગ્ન પૂરા થઈ ગયા હતા.
અને સૌરભ મંડપમાં આવે તે પહેલા જ પોતાના ઘરે પરત જતો રહ્યો હતો જેના કારણે નિકિતા ની માતા અર્ચનાબેન નિકિતાને લઈને એસપી ઓફિસ પહોંચ્યા હતા અને સાસરીના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. વરરાજા અને તેના પરિવારના લોકો સામે છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો અને તેઓ સાથે દહેજની માંગણી કરી રહ્યા છે.
તેમ દર્શાવ્યું કહ્યું હતું જાન પર ફરી જેના કારણે ઘરના લોકોને ખુશીની લાગણી હતી. તે શોકમાં ફેરવાઈ ગઈ હતી. નિકિતાના પરિવારના લોકો નિરાશ થઈ ગયા હતા અને તેમના ઘરે શોખનો માહોલ છવાઈ ગયો હતો. નિકિતા પણ ખૂબ જ રડી રહી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે, લોકો પૈસા માટે તેમના સંબંધોને પણ છોડી રહ્યા છે
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]