કોરોના આકરા સમય પછી લોકોને મોંઘવારીનો માર ખૂબ જ સહન કરવો પડે છે. પછી તેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હોય રાંધણગેસના ભાવ હોય કે સીએનજી ગેસના ભાવ હોય કે પછી ખાદ્યતેલના ભાવ હોય.. દરેક જગ્યાએ ભાવ વધારાએ સામાન્ય લોકો માટે જીવવું અઘરું બનાવી દીધું છે.
દિવસેને દિવસે થતા સતત ભાવ વધારાને લીધે સામાન્ય પરિવારો માટે ઘર ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તેમજ આ વર્ષે કુદરતનો પણ સાથ ન રહ્યો એટલા માટે ખેતીમાં શાકભાજીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થવાથી આ વર્ષે શાકભાજીના ભાવમાં પણ મહત્વપૂર્ણ વધારો નોંધાયો છે.
લીલા શાકભાજીના ભાવમાં આટલો બધો વધારો થયો છે કે જેની વાત જ ન થાય.. ટામેટાના ભાવ માં 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો તો ફ્લાવર ના ભાવ 90 થી 100 રૂપિયા પ્રતિ કિલો છે. તેમજ રીંગણના ભાવ ૮૦ થી ૯૦ રૂપિયા પ્રતિ કિલો તો ગુવાર ના ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો છે.
આ સાથે સાથે ભીંડા ની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહી છે. શાકભાજી વેપારીઓનું કહેવું છે કે વરસાદના કારણે શાકભાજીઓ ભરપૂર પ્રમાણમાં બગડી ચૂક્યા છે. તેથી આ વર્ષે દરેક શાકના ભાવમાં ૧૦ રૂપિયા થી 20 રૂપિયા સુધીનો વધારો જોવા મળશે.
તેમજ સબ્જીમંડી માં માલ પણ ખૂબ જ ઓછો આવી રહ્યો છે. તેથી તેને સ્ટોક કરી રાખવામાં આવે છે. એટલા માટે શાકભાજીના ભાવમાં સતત અને સતત વધારો દેખાઈ રહ્યો છે. હવે આ ભાવ વધારાને કારણે લોકોને ઘણું બધું સહન કરવું પડે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]