ઘરની બહાર પગ મુકતાની સાથે જ ખીચાની અંદર જો રૂપિયા ન હોય તો જીવન નકામુ બની જતું હોય છે કારણ કે, ડગલેને પગલે વધતી જતી મોંઘવારીએ નાનીથી નાની ચીજ વસ્તુ માંડીને મોટી ચીજ વસ્તુ સુધી દરેક જગ્યાએ આપણે ખૂબ જ વધારે રૂપિયા ખર્ચવા પડે છે, રૂપિયાની જરૂરિયાત સમજીને ખૂબ જ ધ્યાન રાખીને વપરાશ કરવો જોઈએ..
આજકાલના સમયમાં કેટલાક યુવક યુવતીઓ પૈસાને એવી રીતે વેડફી નાખે છે, તે જાણે તેવો ખૂબ જ મોટા કરોડપતિ વ્યક્તિ હોય. પોતાના સંતાનોને રૂપિયાની અસલી કિંમત સમજાવવા માટે ઘણા બધા માતા-પિતાઓ મહેનત મથામણ કરતા હોય છે, તેવી જ રીતે અત્યારે એક માતા તેના બાળકને વધારે પૈસા ન વાપરવા જોઈએ..
તેવું સમજાવતી હતી, પરંતુ માથાફરેલા તેના દીકરાને એટલો બધો ગુસ્સો આવી ગયો કે, તેણે પોતાની સગી માતાને જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહીં પરંતુ જીવ ન ગયો ત્યાં સુધી તેને મારતો રહ્યો હતો. આ ઘટના સુસ્મિતા પાર્ક કોલોનીની છે. અહીં લક્ષ્મીબેન નામની મહિલા તેના એકના એક લાડકા દીકરા ધર્મેન્દ્રની સાથે જીવન જીવે છે..
લક્ષ્મીબેનના પતિનું આજથી સાત વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ચૂક્યું હતું, ત્યાંથી લક્ષ્મીબેન અન્ય વ્યક્તિઓના ઘરમાં ઘરકામ કરીને તેના દીકરાને પાલનપોષણ કરીને મોટો કર્યો હતો. તેના દીકરાને તેઓએ ભણાવ્યો પરંતુ આ દીકરો મોટો થતાની સાથે તેને માતાના સંઘર્ષને ભૂલી ગયો હતો અને એક દિવસ તેણે નાની અમથી વાતને લઈને પોતાની જ માતા ને મોતને ઘાટ ઉતારી નાખી હતી..
છેલ્લા કેટલાક સમયથી ધર્મેન્દ્ર તેની કોલોની માં રહેતા કેટલાક અન્ય મિત્રોની ખરાબ સંગતમાં ચડી ગયો હતો અને મન ફાવે તેટલા રૂપિયા વાપરવા લાગતો હતો. લક્ષ્મીબેન ઘણી બધી વાર તેના લાડકવાયા દીકરા અને સમજાવવાની કોશિશ કરી કે મન ફાવે તેમ રૂપિયાના વાપરવા ન જોઈએ, પરંતુ તેનો દીકરો તેની માતાના આ શબ્દોને સમજી શક્યો નહીં અને તેને માઠું લાગી આવતા..
માથાફરેલા દીકરાએ ધારદાર સાધન વડે તેની માતાનું ગળું કાઢી નાખ્યું હતું, આ ઉપરાંત તેની માતાનો જીવ હજુ પણ જીવતો હતો. એ જોઈને તેનું મન ભરાયુ નહીં અને જ્યાં સુધી તેની માતાનો જીવ ન ગયો ત્યાં સુધી તેને મારતો રહ્યો હતો, અંતે જીવ ચાલ્યો જતા તે ઘર મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો..
બીજા દિવસે સવારના સમયે આસપાસના પડોશીઓએ લક્ષ્મીબેનના ઘરમાં કોઈપણ હલચલ ન જોઈ ત્યારે તેઓએ લક્ષ્મીબેનના ઘરે જઈ શું થયું છે, તેની જાણકારી મેળવવાની કોશિશ કરી હતી. ઘરે અંદર પ્રવેશ કરતાની સાથે જ ખબર પડી કે લક્ષ્મીબેનને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારીને અહીં મૂકી દીધા છે..
કોલોનીના લોકોએ તરત જ પોલીસ સ્ટેશનને ફોન કરીને જાણકારી આપી હતી કે, લક્ષ્મીબેનને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધા છે. અને તેને ખૂબ જ દર્દનાક રીતે માર મારવામાં આવ્યો છે, બીજી બાજુ લક્ષ્મીબેનનો દીકરો ઘરેથી ગાયબ હોવાને કારણે સૌ કોઈ લોકોને શંકા ધર્મેન્દ્ર ઉપર ગઈ હતી..
પોલીસે ધર્મેન્દ્રની શોધખોળ શરૂ કરી અને તેને અન્ય રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો હતો, ધર્મેન્દ્રની કડક પૂછપરછ દરમિયાન તેને કબૂલી લીધું હતું કે તેની માતાએ તેને વાપરવાના રૂપિયા આપવાની મનાઈ કરતાં જ તેનો પિત્તો છટકી ગયો તે ખૂબ જ ગુસ્સે ભરાયો હતો એટલે તેણે તેની માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી..
જ્યારે પૂછપરછ કરનાર અધિકારીઓએ ધર્મેન્દ્રના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમનું કાળજુ પણ ફફડી ઉઠ્યું હતું, તેઓ વિચારમાં મુકાઈ ગયા કે આ જમાનો હવે કઈ દિશા તરફ આગળ વધવા લાગ્યો છે કે, કોઈ બાળકને તેની માતાની મમતાનું એક પણ વાર ખ્યાલ આવ્યો નહીં અને સદી માતાનો જ જીવ લઈ લીધો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]