દીકરા કે દીકરીની ઉંમર થઈ જાય એટલે તરત જ તેમના માટે સારો દીકરો કે દીકરી શોધીને લગ્ન કરાવી દેવામાં આવે છે. પરંતુ અમુક વખત સમય સંજોગોને પરિસ્થિતિને અનુકૂળ કોઈ વ્યક્તિના લગ્ન થવામાં ખૂબ જ વાર લાગી જતી હોય છે. લગ્ન પહેલા દીકરા કે દીકરીના સ્વભાવ તેમજ તેમના પરિવારના રીતે રિવાજ અને માનસન્માન જોઈને સગાઈ કરવામાં આવે છે..
અત્યારે હરજીવનભાઈ નામના એક વ્યક્તિના સૌથી નાના દીકરાના લગ્ન ન થતા સમગ્ર પરિવાર ખૂબ જ દુઃખી હતું. દીકરાની ઉંમર ૩૭ વર્ષની થઈ ચૂકી હતી, છતાં પણ તેના લગ્નનો મેળ ન આવતા પરિવારજનો હવે વિચારવા લાગ્યા હતા કે, જો માત્ર બે વર્ષની અંદર અંદર હવે તેમના દીકરા માટે કોઈ સારી યુવતી નહીં મળે તો તેમનો દીકરો પરણ્યા વગરનો વાંઢો રહી જશે..
એટલા માટે તેના વાંઢાં દીકરાના લગ્ન કરવા માટે હરજીવનભાઈ એડી ચોટીનું બળ લગાવી દીધું હતું અને કોઈ ઓળખીતા વ્યક્તિની મદદથી પૈસા આપીને એક યુક્તિ સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું હતું. આ લગ્નમાં વચેટીયા તરીકે રહેનાર વ્યક્તિ રોહિતનું કહેવું હતું કે, એ કહ્યું હતું ને પૈસાની ખૂબ જ જરૂર છે..
જો તેને પૈસા મળી જશે તો તે તેમના દીકરા સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. હરજીવનભાઈએ કશું જોયા જાણ્યા વિચાર્યા વગર તેમના નાના દીકરાના લગ્ન આ યુવતી સાથે અંદાજે 7 લાખ રૂપિયા આપીને કરાવી નાખ્યા હતા. પરંતુ લગ્ન થતાની સાથે તરત જ જેવું થઈ ગયું છે કે, પરિવારે અડધી રાત્રે દોડતો થઈ ગયો છે..
જે દિવસે લગ્ન થયા એ દિવસે સાંજના સમયે જ્યારે પરિવાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને સુઈ ગયો હતો. ત્યારે રાત્રે જમવામાં મચી જવા પામ્યો હતો. હરજીવનભાઈ અડધી રાત્રે પાણી પીવા માટે જાગ્યા ત્યારે તેઓએ જોયું કે, લગ્ન કરીને આવેલી નવી વહુ તેના રૂમની અંદર સામાન પેક કરી રહી છે…
આ દ્રશ્ય જોઈને તેવો હચમચી ગયા હતા કે, આ યુવતી હજી તાજી-તાજી તેમના ઘરે બહુ બનીને આવી છે. તો શા માટે તે સામાન પેક કરી રહી છે. બીજી બાજુ તેમનો દીકરો ઘસઘસાટ ઊંઘમાં સૂતો હતો અને આ યુવતી સામાન પેક કરીને ત્યાંથી ભાગવા લાગી હતી. ઘરની બહાર જોયું તો ત્યાં તેને લેવા માટે કેટલાક લોકો આવી પહોંચ્યા હતા..
અને ત્યાં યુવતીને લઈને ત્યાંથી નીકળી ગયા હતા અને હરજીવનભાઈ આ તમામ દ્રશ્ય પોતાની આંખે જોતા ને જોતા જ રહી ગયા હતા, તેણે તરત જ વચેટીયા તરીકે રહેનાર રોહિત નામના વ્યક્તિને ફોન કર્યો હતો કે, લગ્ન કરીને આવેલી આ સામાન પેક કરીને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ભાગી ગઈ છે..
તેને રોહિતે જણાવ્યું કે આ બધા મામલાની અંદર તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડે હવે આ યુવતીની કોઈપણ જવાબદારી હું લઈ શક્યું નહીં, એક વખત પૈસા આપી દીધા અને લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ અમારી તમામ જવાબદારીઓ પૂર્ણ થઈ જતી હોય છે. રોહિત પાસેથી આ શબ્દ સાંભળીને હરજીવનભાઈ ફફડી ઊઠ્યા હતા..
કારણ કે તેઓએ ભેગા કરીને આપેલા સાત લાખ રૂપિયાનું ચુરમું થઈ ગયું હતું અને આ નકામી મહિલા ખોટેખોટા લગ્ન કરીને સાત લાખ રૂપિયા પચાવી પાડી ત્યાંથી ભાગી ગઈ હતી. હરજીવનભાઈ તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે..
અને ખોટી રીતે લગ્ન કરીને પૈસા બનાવતી ટોળકીઓ ફરી વખત સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે અને સૌ કોઈ લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે કે, આવી લોભામણી લાલચમાં પડવું જોઈએ નહીં. હરજીવન પાસે વિચાર્યું કે, તેમનો દીકરો આટલા વર્ષથી અપરણીત છે..
પરંતુ આ મહિલા સાથે પરણીયા બાદ તેનું લગ્નજીવન સુખી થઈ જશે પરંતુ આ મહિલાએ સમગ્ર પરિવારને ચુનો ચોપડી નાખ્યો છે. જેનાથી સૌ કોઈ લોકો ખૂબ જ દુઃખી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. હરજીવન ભાઈ અને તેમનો પરિવાર દુખના આ ઊંડા આઘાતમાંથી બહાર નીકળી શક્યો નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]