Breaking News

વાલીઓ બાળકને શાળાએ મોકલતા પેહલા ખાસ વાંચે! શાળામાં કોરોનાનો રાફડો ફાટ્યો – જીવ જરૂરી કે શિક્ષણ ?

કોરોનાની બીજી લહેરની અસરો અમુક રાજ્યોમાં ઘટી ગઈ છે ત્યારે મહારાષ્ટ્ર અને કેરલમાં હજુ ચાલુ છે. કોરોના જે રાજ્યોમાં થામી ગયો છે ત્યાં બાળકોના ઓફલાઈન શિક્ષણ અંગે વિચાર કરવાની માંગ ઉઠી હતી. વાલી અને શિક્ષકોની માંગ મુજબ સરકારે અમુક વર્ગો શરુ પણ કર્યા છે પરતું વર્ગો શરુ કરતા જ કોરોનાના કેસો સામે આવતા આખી શાળાને બંધ કરવાની ફરજ પડી છે.

થોડાક દિવસ પેહલા જ મુંબઈની એક બોર્ડીગ સ્કુલમાં એક સાથે 22 બાળકોને કોરોના પોઝીટીવ આવ્યો હતો, તેમજ સુરતના સીંગણપોર વિસ્તારની એક શાળામાં 2 વિદ્યાર્થીનીઓ ને પોઝીટીવ આવ્યો હતો. આ બાદ આજે સુરતના જ ઉધના વિસ્તારની એક શાળામાં 2 વિદ્યાર્થીઓને કોરોના પોઝીટીવ આવી ચુકતા શાળાને બંધ કરાવાની ફરજ પડી હતી.

આરોગ્યના નિષ્ણાતો હજુ ત્રીજી લહેર આવશે તેવી આગાહીઓ આપે છે છતાં પણ ઓફલાઈન શિક્ષણ શરુ કરવું કેટલું યોગ્ય ? સમજદાર વાલીઓ પોતાના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા માટે તૈયાર છે કારણકે તેઓને તેમના બાળકના શિક્ષણ કરતા તેમનો જીવ વધારે વહાલો છે. જે વાલીઓ પોતાના બાળકને ઓફલાઈન શિક્ષણ આપવા માંગે છે તેઓ ખાસ કોરોનાની સાવચેતીઓ વર્તે.

ઉધના વિસ્તારની આ શાળામાંથી 2 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. તે શાળામાં ભણતા અન્ય વિદ્યાર્થીઓના વાલીને પણ ચિંતા વધી ગઈ હતી. ટેસ્ટ પોઝીટીવ આવતા જ શાળાને તંત્રએ 7 દિવસ માટે બંધ કરાવી દીધી હતી. જે વિદ્યાર્થીઓના કેસ પોઝીટીવ આવ્યા છે તેઓ ધોરણ 9 માં અભ્યાસ કરે છે.

ધોરણ 9 માં અભ્યાસ કરતા બને વિદ્યાર્થીઓનો કેસ પોઝીટીવ આવતા તેઓને કવોરનટાઈન કરવામાં આવ્યા છે. તેમજ તેના સંપર્કમાં આવેલા શાળાના તમામ વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. શાળા શરુ થતા જ આ કેસો સામે આવ્યા છે એટલે શાળા સંચાલકો અને વાલીઓમાં ફરફરાટી મચી ગઈ છે.

બીજી તરફ પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે શાળા બંધ કરવામાં આવી છે. હવે શાળા શરૂ થતાં જ વિધાર્થીઓ પોઝીટીવ આવતા સંચાલકો અને વાલીઓ મુકાયા મુંઝવણમાં છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો કહેર ફરી દેખાતા તંત્ર પણ ચિંતિત છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *