Breaking News

વાળંદની દુકાને કામ કરતો યુવક 3 દિવસથી દુકાને ન જતા તેણે પોતાના ઘરે કર્યું એવું કે, જોતા જ પરિવાર રડતી હાલતમાં ઢળી પડ્યો..!!

અત્યારના સમયમાં દરેક વિસ્તારમાંથી બનતા ગંભીર બનાવો સામે આવી રહ્યા છે. ક્યારેય કોઈએ વિચાર્યું ન હોય એવી ઘટનાઓ આંખની નજર સામે આવી જતા દરેક લોકો હચમચી જાય છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે શું બની જાય તે કહી શકાતું નથી. હાલમાં એવી એક ઘટના સામે આવી હતી.

જે જોઈને દરેક લોકો ચોકી ગયા હતા. આ ઘટના બુંદી જિલ્લાના કેશવરાય પાટણ વિસ્તારમાં આવેલા અરણેથા ગામમાં રહેતા યુવક સાથે બની હતી. આ યુવકનું નામ પુરુષોત્તમ સત્યનારાયણ સેન હતું. પુરુષોત્તમની ઉંમર 28 વર્ષની હતી. તે પોતાના પરિવારમાં પત્ની અને તેમના સંતાન સાથે રહેતો હતો.

અરણેથા ગામમાં તે ઘણા સમયથી રહેતો અને પુરુષોત્તમનો ભાઈ પ્રદીપસિંહ પણ તેમની સાથે રહેતો હતો. પુરુષોત્તમની પત્ની નાની મોટી મજૂરી કરીને પુરુષોત્તમની મદદ કરતી હતી. પુરુષોત્તમ વાળંદની દુકાનમાં કામ કરતો હતો. પુરુષોત્તમને સંતાનમાં એક દીકરો છે. દીકરાની ઉંમર અઢી વર્ષની છે. પુરુષોત્તમ દરેક લોકો સાથે હળી મળીને રહેતો હતો.

પુરુષોત્તમની માતાનું ચાર મહિના પહેલા અવસાન થયું હતું. જેના કારણે પરિવાર આઘાતમાં હતો અને હજુ તેઓ અઘાતમાંથી બહાર આવ્યો ન હતો. તે દરરોજ પોતાની દુકાને કામ કરવા માટે જતો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તે દુકાને ગયો ન હતો. દુકાને તેમનો મિત્ર પણ તેમની સાથે કામ કરતો હતો. તેમનું નામ ગોવિંદ હતું.

અચાનક પુરુષોત્તમ ગાયબ થઈ ગયો હતો. પુરુષોત્તમની પત્ની તેમના પિયરમાં રહેવા માટે ગઈ હતી અને તેમનો ભાઈ કોઈ કામ હોવાને કારણે ગામની બહાર ગયો હતો. જેના કારણે પુરુષોત્તમ પોતાના ઘરે એકલો જ હતો. બીજા દિવસે તે દુકાને કામ પર આવ્યો નહીં. જેના કારણે દરેક દુકાનમાં કામ કરતા લોકોને અને માલિકને લાગ્યું કે, તેમની તબિયત બરાબર નહીં હોય.

જેના કારણે તે દુકાને આવ્યો નથી ત્યારબાદ બીજો દિવસ થઈ જતા છતાં પુરુષોત્તમ દુકાને આવ્યો નહીં. દરેક લોકો પુરુષોત્તમને ફોન કરી રહ્યા હતા પરંતુ પુરુષોત્તમ ફોન ઉપાડી રહ્યો ન હતો. જેના કારણે પુરુષોત્તમનો મિત્ર ગોવિંદ તેમના ઘરે પુરુષોત્તમની હાલચાલ પુછવા માટે ગયો હતો. તે ત્રણ દિવસથી દુકાને કામ પર આવ્યો ન હોવાને કારણે તેને કંઈ બન્યું હોવાની શંકા જતી હતી.

જેના કારણે તે પુરુષોત્તમ ના ઘરે ગયો હતો. તે સમયે તેમણે પુરુષોત્તમ ઘરનો દરવાજો ખખડાવ્યો પરંતુ પુરુષો તમે ઘરનો દરવાજો ખોલ્યો નહીં અને કોઈ પણ જવાબ આપ્યો નહીં. જેના કારણે ગોવિંદે તેમના ઘરના રૂમની બારીમાંથી ખોલીને જોયું તો તે ત્યાંને ત્યાં ઢળી પડ્યો હતો. આસપાસના પાડોશના લોકોએ ગોવિંદને ગુમાબૂમ કરતા જોયો હતો.

જોઈને તેઓ પુરુષોત્તમના ઘરની પાસે ગયા હતા. તે સમયે પાડોશીના લોકોએ પણ બારીમાંથી જોયું તો પુરુષોત્તમ લટકી રહ્યો હતો અને તેણે લટકીને આપઘાત કરી લીધો હતો. જેના કારણે તરત જ પાડોશીના લોકોએ કેશવરાય પાટણ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અને સંબંધીઓ દ્વારા પુરુષોત્તમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેમનું મૃત્યુ થઈ ગયું છે તેમ જણાવ્યું હતું. જેના કારણે પુરુષોત્તમની પત્ની અને તેમના ભાઈને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. તે પત્ની ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી. તેમને અઢી વર્ષના દીકરાએ પોતાના પિતાનો છાયો ગુમાવ્યો હતો.

અને તેમનો ભાઈ પ્રદીપ પણ ખૂબ જ આઘાતમાં આવી ગયો હતો. તેણે પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈને કોઈએ દબાણ આપીને આ ઘટના કરાવી છે તેમ કહીને ફરિયાદ નોંધાવી હતી. તે પોતાના ભાઈનો ભાઈના મૃત્યુનો આઘાત સહન કરી શક્યો નહીં અને ખૂબ જ રડી રહ્યો હતો. પોલીસ આગળની તપાસ કરી રહી હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *