આજકાલની દીકરીઓ દરેક બાબતમાં સુરક્ષિત નથી નરાધમ લોકો કોઈને કોઈ રીતે નાની બાળકીઓ તેમજ યુવાન યુવતીઓને નિશાના પર લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરતા હોય છે. આપણા દેશમાં શિક્ષકને બીજા માતા પિતા તરીકેનો દરજ્જો આપવામાં આવે છે.. કારણ કે એક શિક્ષક બાળકને તેના ભવિષ્યની સાચી રાહ દેખાતો હોય છે…
પરંતુ વિદ્યાનગરમાં એક શિક્ષકે જ દીકરી સાથે અડપલા કરી ને ગુરુ શિષ્ય ના સંબંધ ને શરમમાં મૂકી દીધો છે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં ઘણી બધી કોલેજો અને સ્કૂલો આવેલી છે. વલ્લભવિદ્યાનગરમાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ નું પ્રમાણ ખૂબ વધારે છે. અહીં બાયોલોજીના એક્સ્ટ્રા ક્લાસ લેવાના બહાને હવ.સખોર શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે.
વલ્લભવિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં આવેલા પ્રભુકાન્ત બંગલોઝમાં રહેતો શિક્ષક કાન્તીભાઈ પટેલ વિરુદ્ધ એક વિદ્યાર્થીને અડપલાં કરવાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કાંતિભાઈ શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેને કે.એમ.પટેલ તરીકે ઓળખવામાં આવે છે.
તે બાયોલોજી વિષયના શિક્ષક છે. અને એક દિવસ એક્સ્ટ્રા ક્લાસીસ ના બહાને એક વિદ્યાર્થીનીને પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ તે પોતાના મકાનની ઉપરની તરફ તેને લઈ જઈ તેની બાજુ માં બેસાડી હતી. તેમજ તેના ગાલ અને ગળા ઉપર બચકા ભરી લીધા હતા. અને અડપલા કરવા ની કોશિશ કરી હતી…
તેમજ તે અન્ય જગ્યાએ પણ હાથ મારી રહ્યો હતો અને વિદ્યાર્થીનો આબરૂ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વિદ્યાર્થિનીએ શિક્ષકને ખૂબ રોક્યો હતો છતાં પણ તે પોતાની વાસ.ના ને કંટ્રોલમાં રાખી શક્યો ન હતો. અને તેની સાથે વારંવાર અડપલા કરવા લાગ્યો હતો. વિદ્યાર્થિનીએ પોતાનો બચાવ કરવાની ઘણી કોશિશ કરી હતી…
પરંતુ શિક્ષક તેને મૂકી રહ્યો ન હતો. એક દિવસ વિદ્યાર્થિનીએ આ બાબતની જાણ પોતાના ઘરે કરી હતી. ઘરે જાણ થતાં જ માતા-પિતા ના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી કારણ કે વર્ષોથી જાણતા શિક્ષકે જ પોતાની દીકરી સાથે અડપલા કરવા ની કોશિશ કરી હતી. જેના પગલે વિદ્યાર્થીના માતા-પિતા એ વિદ્યાનગર પોલીસ મથકે આ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે..
અને પોલીસે વધુ તપાસ હાથ ધરવા માટે આગળની કામગીરી શરૂ કરી દીધી છે. વલ્લભ વિદ્યાનગર નો આ કેસ સામે આવ્યા બાદ ત્યાં ભણતા અન્ય વિદ્યાર્થીઓ અને વાલી મંડળ માં ભારે રોષ ફેલાયો છે. આ શિક્ષક ની સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]