Breaking News

વકીલ યુવકને પોતાના ઘરે જવાની ઉતાવળમાં પુલ પરથી પસાર થતા વાહને મારી જોરદાર ટક્કર, જોતા જ સર્જ્યો કાળમુખો અકસ્માત..!!

રાજ્યમાં અવનવા અકસ્માતો થઈ રહ્યા છે અને ઘણા બધા અકસ્માતો એટલા જીવલેણ બની રહ્યા છે કે જેમાં ઘરે રાહ જોય રહેલા પરિવારના લોકો કાયમ માટે રાહ જોતા રહી જાય છે. આવી એક કરુણ ઘટના હાલમાં દુર્ગ જિલ્લામાં આવેલા નેહરુનગર બ્રિજ પર સર્જાઇ હતી. કોહકાના રહેવાસી પરિવારના યુવક સાથે બની હતી.

રાતના સમયે કાન્હા પાર્ક વિવેકાનંદ નગરના રહેવાસી યુવક આયુષકુમાર મિશ્રા પોતાના ઘરે  જઈ રહ્યા હતા. આયુષકુમાર વ્યવસાયે વકીલ હતા અને તેમના પિતાનું નામ અનિલ કુમાર મિશ્રા હતું. આયુષ કુમારની ઉંમર 25 વર્ષની હતી. તેઓ પોતાના પરિવાર સાથે વિવેકાનંદ નગરની કોલોનીમાં રહેતા હતા. આયુષ સારા એવા વકીલ હતા.

અને તે જજ બનવાની તૈયારી પણ કરી રહ્યા હતા. એક દિવસ રાતના સમયે આયુષકુમાર ભિલાઈ ટાઉનશીપ બાજુથી આવેલા બ્રિજ પર નેહરુનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તેઓ પોતાના ઘરે કોકા જઈ રહ્યા હતા. ઘરે તેમની માતા હમણાં તેમનો દીકરો જમવા આવશે તેમ રાહ જોઈ રહી હતી પરંતુ બ્રિજ પર લાઈટો બંધ હોવાને કારણે અચાનક આયુષ સાથે શું બની ગયું?..

તે વિચારીને પણ લોકો ડરી રહ્યા છે. આયુષ ભિલાઈ ટાઉનશીપ બાજુથી પોતાની બાઇક લઈને પોતાના ઘરે કોકા જઈ રહ્યો હતો. તે દરમિયાન નેહરુનગર ઓવર બ્રિજ પરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકે આયુષકુમાર સાથે પોતાના વાહનની ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતા જ આયુષની બાઈક ફંગોળાઈને ડિવાઇનર સાથે અથડાઈ ગઈ હતી.

અને બ્રિજની લાઇક પણ ચાલુ ન હોવાને કારણે ખૂબ જ અંધારું હતું. બેદરકારી પૂર્વક એક યુવક વકીલ આયુષકુમાર મિશ્રાના વાહનને ટક્કર મારીને ભાગી ગયો હતો. આ અજાણ્યો વાહન ચાલક આયુષ મિશ્રાને વાગ્યું છે કે નહીં તેમ જોવા પણ ઉભો રહ્યો નહીં અને તે પોતાનું વાહન ઊભું કરીને લઈને જતો રહ્યો હતો.

ત્યારબાદ આયુષ કુમારે ઈજાગ્રસ્ત હાલતમાં તેમના પરિવારના લોકોને તેમનો અકસ્માત થયાની જાણ કરી હતી. પરિવારના લોકોને આ અકસ્માતની જાણ થતા જ તેઓ પોતાના ઘરેથી આયુષને બચાવવા માટે ઘટના સ્થળે આવી રહ્યા હતા. તે સમયે આયુષ રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો પરંતુ કોઈ પણ વ્યક્તિ હોય અંધારું હોવાને કારણે તેમને જોયો ન હતો.

ત્યારબાદ પરિવારના લોકોએ પોલીસને પણ આ અકસ્માતની જાણ કરી હતી. જેના કારણે પોલીસ અને પરિવારના લોકો સાથે આયુષનું અકસ્માત થયો તે બ્રિજ પર પહોંચ્યા હતા પરંતુ તે સમયે આયુષ બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. જેના કારણે તરત જ તેમને પરિવારના લોકો હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરોએ તેનું મૃત્યુ થઈ ગયું છે તેમ જણાવ્યું હતું.

આયુષને અજાણ્યા વાહનને ટક્કર મારી હતી. જેના કારણે પોલીસ આ વાહન ચાલકની તપાસ કરી રહી હતી અને પરિવારના લોકોએ આ જાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. સાથે સાથે તેમના સંબંધી લોકોનું પણ કહેવું છે કે પુલ ઉપરની લાઈટ ઘણા સમયથી બંધ છે જેના કારણે ઘણા બધા અકસ્માતો આ પુલ પર સર્જાયા છે.

અને આયુષનું આવું કરણ મૃત્યુ થઈ જતા તેમના પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા અને આયુષનું જજ બનવાનું સપનું હંમેશા અધૂરું રહી ગયું હતું. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. જેના કારણે દરેક લોકોએ પોતાનું વાહન ધ્યાન રાખીને ચલાવવું જોઈએ…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *