સમાજમાં લોકો પ્રેમ સંબંધમાં ઝઘડાઓ કરીને બીજા લોકો સાથે મારામારી કરી રહ્યા છે. આવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. લોકો નાની વાતમાં બીજા લોકો સાથે મારામારી કરી રહ્યા છે. હાલમાં પ્રેમ સંબંધમાં યુવાક-યુવતીઓ પોતાના પરિવારની વિરુદ્ધ જઈને લિવિંગ રિલેશનશિપમાં રહેતા જોવા મળી રહ્યા છે.
તેઓ નાની-નાની વાતોમાં ઝઘડાઓ કરીને એકબીજા સાથે મારામારી કરી રહ્યા હોય છે. આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. આવી મારામારીમાં ઉશ્કેરાઈ જઈને હ.ત્યા પણ કરી રહ્યા છે. જામનગર જિલ્લામાં આવી જ એક ઘટના બની હતી. આ ઘટનામાં યુવક-યુવતીઓ પ્રેમ-સંબંધમાં એકબીજાના જીવને જોખમમાં મૂક્યા હતા.
જામનગર જિલ્લાના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્કમાં એક યુવક-યુવતી રહેતા હતા. તેમાં યુવતી વકીલાતનો વ્યવસાય કરતી હતી. તે વ્યવસાય કરીને તેમનું ગુજરાન ચલાવતી હતી. તે પોતાના પરિવાર સાથે રહેતી હતી પરંતુ ઘણા સમય પહેલા કડિયાવાડમાં રહેતા યુવક સાથે તેમને પ્રેમ સંબંધ થયો હતો.
આ યુવકનું નામ વિશાલ લખાણી હતું. વિશાલ સાથે મહિલાને પ્રેમ સંબંધ થયો હતો. જેને કારણે બંને પરિવારથી દૂર લિવિંગ રિલેશનશિપમાં રહેવાનું વિચાર્યું હતું. બંનેને પ્રેમ સંબંધ હોવાને કારણે તેઓએ પોતાનું ઘર સંસાર માંડ્યું હતું. બંને ઘણા સમયથી રિલેશનશિપમાં ખૂબ જ ખુશીથી રહેતા હતા. પ્રેમી વિશાલ અને પ્રેમિકા વચ્ચે કોઈ ઘરની વાતને લઈને અણ બનાવ થતો હતો.
અવારનવાર ઝઘડા થતા હતા. તેને કારણે બંને છૂટા પડીને મહિલા વકીલાતનો વ્યવસાય કરતી હોવાથી તે પોતાના પરિવાર સાથે પરત પાછી લેવા આવી ગઈ હતી. અને પ્રેમી વિશાલ પણ તેમના પરિવાર સાથે રહેવા જતો રહ્યો હતો. ત્યારબાદ એક દિવસ પ્રેમી વિશાલ મહિલા વકીલના ઘરે પહોંચ્યો હતો. તે પોતાની કાર પાછી આપી દેવા બાબતે તેમણે ઝઘડો કર્યો હતો.
ઘરની બહાર દેકારો કરીને ગાળો બોલવા લાગ્યો હતો. તે સમયે મહિલા તેમને સમજાવવા તેની પાસે જતા તેની સાથે મારામારી કરી હતી. જેને કારણે આસપાસ લોકોના મોટે-મોટા ટોળા થઈ ગયા હતા. સૌ કોઈ લોકો બંનેને જોઈ રહ્યા હતા. તે સમયે મહિલા વકીલને પ્રેમી વિશાલએ માથાના ભાગમાં ચાવીના ઘા મારી દીધા હતા. જેને કારણે મહિલા લોહી લુહાણ થઈ ગઈ હતી.
તેના પરિવારના સભ્યોએ વિશાલને મહિલાથી દૂર ખસેડ્યો હતો. ત્યારબાદ મહિલાને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. મહિલાને ખૂબ જ સારી એવી ઈજા થવાને કારણે ટાંકાની સર્જરી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ મહિલાના પ્રેમી વિશાલ સામે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
જેને કારણે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી. મહિલા ઉપર જીવલેણ હુમલો કરવાને કારણે મહિલાનો જીવ જોખમમાં મુકાયો હતો. મહિલા એક વકીલ હોવાને કારણે તેમણે આઈપીસીની કલમ પણ આ યુવક ઉપર લાગુ કરી હતી. આજકાલ આવી ઘટનાઓ બનવાને કારણે ઘણા બધા લોકો ઝઘડાઓ પણ કરી રહ્યા છે. પ્રેમ સંબંધમાં એકબીજા સાથે ઝઘડો કરીને તેમના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]