અત્યારે વહુની ચડામણીથી તેના પતિએ તેના સગા મા-બાપ સાથે એવું કરી નાખ્યું છે કે, જે જાણીને કદાચ તમે પણ હચમચી ઉઠશો અને કહેવા લાગશો કે, આવી નકામી વિચારધારા અને ખૂબ જ ખરાબ મનોવૃત્તિ ધરાવતી બાયડીની વાતો ક્યારે પણ સાંભળવી જોઈએ નહીં. હકીકતમાં આ ઘટનાએ ઘણા બધા લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે..
આ મામલો ઉત્તર પ્રદેશના વારાણસીનો છે. અહીં 70 વર્ષના લાલજીભાઈ યાદવ તેમજ તેમની 67 વર્ષની પત્ની પુનેશ્વરી દેવી ગાજીપુર જિલ્લાના દિલદારનગર પાસે તેમના મોટા દીકરા રામાશીશની સાથે રહેતા હતા. તેમનો મોટો દીકરો રામાશીશ તેમજ તેમના મોટા દીકરા રામાશીશની પત્ની સતિદેવી નગર પાસે આવેલા વાલ્મિકી વસ્તીની અંદર એક મકાનમાં રહે છે..
હજુ ગયા વર્ષે જ આ ઘરડા માતા-પિતા રામાશીશના ઘરે રહેવા માટે આવી ગયા હતા. અત્યારના સમયમાં આપણે એવા ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે, જ્યારે માબાપ ઘરડા થઇ જાય ત્યારે દરેક દીકરાના ઘરે તેના માતા-પિતાના રહેવાના વારાઓ લાગી જતા હોય છે કે થોડો સમય આ દીકરાના ઘરે રહેશે અને ત્યારબાદ થોડો સમય આ દીકરાને ઘરે રહેવાનું હોય છે.
જ્યારે મા બાપ તેના નાનકડા દીકરીનો મોટો કરે છે. ત્યારે તેઓ ક્યારેય પણ વારા-તારા કરતા નથી. પરંતુ જ્યારે મા-બાપ ઘરડા થઈ જાય ત્યારે તેમના દીકરાઓ તેમને સાચવવા માટે વારા-તારી કરવા લાગે છે. જે ખૂબ જ ખોટી બાબત છે. જ્યારે લાલજી યાદવ તેમજ તેમની પત્ની મુનેશ્વરી દેવી તેમના મોટા દીકરાને ઘરે રહેવા માટે આવી ગયા..
ત્યારે તેમના મોટા દીકરાની વહુ સતી દેવીને મનમાં લાલચ જાગી હતી અને તેઓએ તેમના દીકરાને ચડીયામણી કરવાનું શરૂ કરી દીધું કે, આપણે તમારા માતા પિતા પાસેથી તમામ જમીન આપણા નામે કરાવી લેવી જોઈએ. જ્યારે લાલજી યાદવ તેમજ મુનેશ્વરી દેવીએ જમીન નામે કરવાની મનાઈ કરી હતી..
ત્યારે સતી દેવી તેના પતિને કહેવા લાગી કે, જો તમારા માતા-પિતા આપણને જમીન નહીં આપે તો આપણે તેને ઘરની બહાર કાઢી મુકીશું. હકીકતમાં તેઓએ તેમના ઘરડા માતા-પિતાને પોતાના ઘરેથી બહાર કાઢી મૂક્યા અને ઘરથી થોડી દૂર રહેલી એક રૂમની અંદર પૂરી દીધા હતા અને બહારથી રૂમને તાળું મારી દીધું હતું..
જ્યારે આસપાસના પડોશીઓને શંકા ગઈ કે, આ રૂમની અંદર કોઈ વડીલ વ્યક્તિઓ ભૂખ્યા અને તરસ્યા છેલ્લા કેટલાક દિવસથી જીવન ગુજારે છે. ત્યારે તેઓએ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડી હતી પોલીસ એ તરત જ ઘટના સ્થળ ઉપર છાપા મારીને આ વડીલ માતા પિતાને બચાવી લીધા હતા..
જ્યારે આ બનાવ બન્યો ત્યારે રામશીશભાઈ અને તેની પત્ની સતીદેવી તો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. કારણકે તેમને ખબર પડી ગઈ કે હવે તેમની કાળી કરતુતોનો પરદાફાશ થઈ જશે અને પોલીસ તેમને પકડવા માટે મથી રહી છે. ત્યારે તેઓએ શહેર મૂકીને ભાગવા લાગ્યા હતા. પરંતુ પોલીસની પકડથી તેઓ બચી શક્યા નથી. હાલ તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે..
અને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પોતાની વહુની ચઢીયામણીથી રામાશીશભાઈએ પોતાના સગા માતા-પિતાને એક રૂમની અંદર પૂરી દીધા હતા. આ રૂમમાં સમગ્ર બાજુએ અંધારું જ દેખાતું હતું. તેમજ રૂમની અંદરથી મળ મૂત્રની ખૂબ જ ખરાબ વાસ પણ આવી રહી હતી.
સંપત્તિ મેળવવાની લાલચમાં પત્નીએ કરેલી ચડયામણીથી પતિએ ન કરવાના કારણો કરી નાખ્યા છે. જેને કારણે હાલ તેને ખૂબ જ પછતવો થઈ રહ્યો છે. પરંતુ એક વખત કરેલા કર્મો બાદ પસ્તાવાથી પણ કશો ફાયદો થતો નથી. આ ઘટના ઉપરથી ઘણા લોકો શિખામણ આપી રહ્યા છે કે ઘરડા માં-બાપને કેવી રીતે સાચવવા જોઈએ.. તો ઘણા લોકો જુદી જુદી ચર્ચાઓ કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]