ઘરેથી બહાર નીકળતા જ લોકો સાથે ગંભીર બનાવો બની રહ્યા છે. ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. ક્યારેય નજર સામે વિચાર્યું ન હોય તેવા દ્રશ્યો બની જતા લોકો જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને તેમના પરિવારને નિરાધાર કરી રહ્યા છે.
આવી જ એક ઘટના નવસારી પાસે બની હતી. નવસારી પાસેથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી. જે જોઈને દરેક લોકો આ હાઈવે પરથી પસાર થાય ત્યારે ખૂબ જ ધ્યાન રાખશે.
નવસારીના ચીખલી હાઇવે પર આલીપર બ્રિજ ઉપર વહેલી સવારના સમયે ઘણા બધા વાહનો પસાર થતા હોય છે પરંતુ હાલમાં શિયાળાની ઋતુ હોવાને કારણે વાતાવરણમાં ઠંડીને કારણે ખૂબ જ ધુમ્મર ફેલાયેલું રહે છે. વહેલી સવારે ધુમ્મસ રહેતા હાઇવે પર આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઇનોવા કાર જઈ રહ્યા હતા.
ઇનોવા કારરમાં સુરતના મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ નવસારીના ચીખલી હાઇવે પર મુસાફરી કરીને પોતાના કામ માટે જઈ રહ્યા હતા. ઇનોવા કારમાં અમિત દોલતરામ તેમની ઉંમર 41 વર્ષની હતી. તેઓ વાસ્તગ્રામ એપાર્ટમેન્ટ વેસુમાં રહેતા હતા.
તેની સાથે બીજો મિત્ર ગૌરાંગ નંદલાલ અરોરા તેમની ઉંમર 40 વર્ષની હતી. તેઓ સુભાષનગર ઘોડદોડ રોડ રહેતા હતા. ત્રીજો મિત્ર રોહિત સુભકરણ તેમની ઉંમર 40 વર્ષની હતી. તેઓ આશિષ સોસાયટીમાં રહેતા હતા અને ચોથો મિત્ર મોહમ્મદ હમઝા તેઓ ભરથાણાના આવાસમાં રહેતા હતા.
પાંચમો મિત્ર ઋષિ જે એન્જિનિયર છે અને છઠ્ઠો મિત્ર વિકાસના સરા 6 મિત્રો આલીપર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. મિત્રો પોતાની મોજ મસ્તીથી મુસાફરી કરી રહ્યા હતા. સવારનો સમય હોવાથી ખૂબ જ ઠંડીનું વાતાવરણ સર્જાયું હતું. તે સમયે ધમ્મસને કારણે સામેની તરફથી એક કન્ટેનર આવી રહ્યું હતું.
પરંતુ ઇનોવા કારમાં ચલાવી રહેલા યુવકને આ કન્ટેનર દેખાયું નહીં ખૂબ જ હોવાને કારણે તેણે બેદરકારીથી પોતાની કાર ચલાવી હોવાની લીધે અચાનક જ કન્ટેનર સાથે કાર અથડાઈ ગઈ હતી. કાર કન્ટેનર સાથે અથડાતા જ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
ઇનોવા કારમાં સવાર ચાર લોકોને આ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થઈ ગયા હતા. બીજા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેના કારણે આસપાસના લોકો ભેગા થતા જ બંને વ્યક્તિને સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર બન્યો હતો.
કે અકસ્માત સર્જાતા જ હાઇવે પર લોકો પોતાના વાહનો ઉભા રાખીને કારમાં બેઠેલા વ્યક્તિઓને બચાવવા માટે દોડ્યા હતા. કારનો કચ્ચાઘાણ નીકળી ગયો હતો. કાર કુચેકુચા થઈ ગઈ હતી. કારને જોતા લોકો વિચારી રહ્યા હતા કે તેમાં બેઠેલા લોકોનું બચવું ખૂબ જ મુશ્કેલ છે.
કારમાંથી એક પછી એક એમ છ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી ચાર વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થઈ ગયા હતા અને રીસી અને વિકાસ આ બંને વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાઈવે પર ખૂબ જ ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.
જેના કારણે અકસ્માતની જાણ નવસારી પોલીસને કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. લોકો પોતાના ઘરે પહોંચે તે પહેલાં જ જીવ ગુમાવી રહ્યા છે.
જેના કારણે પરિવારના લોકો પોતાના વ્યક્તિઓની રાહ જોઈ રહ્યા હોય છે પરંતુ તેમના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના લોકો આઘાતના સરી પડ્યા હતા અને ખૂબ જ રડી રહ્યા હતા. આજકાલ આવા કિસ્સા ખુબ બની રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]