Breaking News

વહેલી સવારે દીકરીએ માતાને ઉઠાડીને કહ્યું કે, ‘મેં દવા પીઈ લીધી છે હવે હું દુનિયામાંથી જાઉં છું’ અને 10 મિનીટમાં જ થયું એવું કે….

જીવનમાં સુખ અને દુઃખ તો દરેક લોકોની સાથે આવતા ને જતા રહેતા હોય છે, દરેક પરિસ્થિતિની અંદર જે વ્યક્તિ જીવન જીવી જાણે છે, તેને જ સાચો માનવ કહેવાય છે જીવનની અંદર દરેક દિવસો દરેક વ્યક્તિ માટે ખૂબ જ સારા જાય તેવું નથી હોતું નથી, અત્યારે 22 વર્ષની એક દીકરીએ સવાર સવારમાં એવું પગલું ભરી લીધું હતું કે, માત્ર અડધી કલાકની અંદર જ પરિવાર દોડતો થઈ ગયો હતો..

આ ઘટનાને જાણ્યા બાદ ભલભલા લોકોની અક્કલ કામ કરતી બંધ થઈ ગઈ હતી કે, એવું તો શું થયું હશે કે 22 વર્ષની આ દીકરીએ કોઈ પણ પ્રકારના કારણને જણાવ્યા વગર જ પોતાનો જીવ ટૂંકાવી દીધો છે, માથા ધ્રુજાવી દેતી આવી ચોંકાવનારી ઘટના શાલીગ્રામ નગરમાંથી સામે આવી છે..

અહીં બીપીનભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે જીવન ગુજરાન ચલાવી રહ્યા છે, બીપીનભાઈએ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા, જ્યારે પરિવારમાં તેમની 22 વર્ષની મોટી દીકરી સાક્ષી 18 વર્ષનો દીકરો નિકુંજ તેમજ બીપીનભાઈની પત્ની સારિકાબેનનો સમાવેશ થતો હતો..

ચાર જણાનો આ પરિવાર એકદમ રાજી ખુશીથી જીવન જીવી રહ્યો હતો, બીપીનભાઈનો દીકરો શાળાનો અભ્યાસ કરી રહ્યો હતો, જ્યારે તેમની દીકરી કોલેજનો અભ્યાસ કરતી હતી, સવારના સમયે તેમની દીકરી કોલેજે જવા માટે નીકળી જતી અને અભ્યાસ પૂર્ણ કરીને તે પોતાને ઘરે પરત આવતી હતી..

પરંતુ છેલ્લા છ મહિનાથી તે કોઈને કોઈ બાબતને લઈને સતત મૂંઝવણમાં રહેતી હોય તેવું બીપીનભાઈને જણાતું હતું, બીપીનભાઈ તેમજ સારિકાબેન ઘણી બધી વાર તેમની દીકરીને શું થયું છે. અને શા માટે તે એકદમ ગુસુમ બેસી રહી છે, તેને પૂછવાની કોશિશ કરી હતી. પરંતુ માતા-પિતા પણ તેમની દીકરીની આ માસુમિયત વિશે જાણી શક્યા નહીં અને કદાચ આ કારણ અંદરો અંદર ગૂંચવાતું રહ્યું..

અને એક દિવસ આ કારણથી કંટાળી જઈને તેમની દીકરીએ સવારના સમય આપઘાત કરીને જીવન પણ ટૂંકાવી દીધો હતો, સાંજના સમયે સમગ્ર પરિવાર ભોજન લીધા બાદ સુઈ ગયો હતો અને જ્યારે સવારના 04:00 વાગ્યા આસપાસ સારિકાબેન તેમજ તેમના પતિ બીપીનભાઈ સુઈ રહ્યા હતા..

ત્યારે સાક્ષી સવારના 4:00 વાગે તેની માતા પાસે આવી અને તેની માતાને ઉઠાડીને કહ્યું કે, મેં દવા પી લીધી છે અને હવે હું આ દુનિયામાંથી જાઉં છું, સવાર સવારના સમયમાં સારિકા બહેને તેમની દીકરીના મોઢેથી આવા શબ્દો સાંભળતાની સાથે જ તેઓ સફાળા બેઠા થઈ ગયા અને તેમના પતિને પણ જગાડીને કહ્યું કે, સાક્ષીએ દવા પીઈ લીધી છે..

અને તે હવે આ દુનિયામાંથી જઈ રહી છે, તેવું જણાવી રહી છે. શરૂઆતમાં તો કોઈ પણને વિશ્વાસ થયો નહીં કારણ કે, એવું તો શું થયું હશે કે જેના કારણે તેમની દીકરી આવું અવળું પગલું ભરવાની કોશિશ કરી હશે, પરંતુ ધીમે ધીમે સાક્ષીની તબિયત લથડવા લાગી અને તેને ઉલટીઓ શરૂ થવા લાગી હતી..

આ થતાની સાથે સારિકાબેન તેમજ બીપીનભાઈ તેમની દીકરીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવા દોડતા થઈ ગયા હતા, તેઓ સવારના સમયે હોસ્પિટલ સુધી પહોંચે એ પહેલા જ દસ મિનિટના સમયની અંદર એવું થઈ ગયું કે સાક્ષીનો જીવ જતો રહ્યો હતો, તેણે શા માટે આ પગલું ભર્યું છે..

તેના વિશે કોઈ પણ વ્યક્તિ જાણી શક્યું નહીં આ ઉપરાંત હાલ સાક્ષીની રૂમની પણ તપાસો મેળવવામાં આવી રહી છે, તેમજ તેના મોબાઇલ ફોનમાંથી પણ ઘણી બધી માહિતીઓ મેળવવી રહી છે. આ ઘટનાને લઈને નજીકના પોલીસ સ્ટેશનને પણ જાણકારી મળતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..

અને જુદી-જુદી તપાસે શરૂ કરી દીધી હતી. આવી રીતે અણધાર્યો આપઘાતનો કિસ્સો સામે આવતા તેનું રહસ્ય અને કારણો જાણવા માટે દરેક લોકો આતુર થઈ રહ્યા છે. શાલીગ્રામ સોસાયટીની અંદર જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો. દરેક લોકો આ બધા પાછળ કયા કારણો જોડાયેલા હશે તેના વિશે ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા..

કેટલાક ઓછી સમજણ શક્તિ ધરાવનારા લોકો તો એવી પણ ચર્ચા કરતા હતા કે નક્કી આ છોકરી કોઈ અન્ય વ્યક્તિની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હશે અને તેમનો પ્રેમ સબંધ આગળ શક્ય ન બનતા કદાચ આ દીકરીએ જીવન ટૂંકાવીને આપઘાત કરી લીધો હશે, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે..

નક્કી કોઈ નરાધમ યુવક તેને છેતરીને જતો રહ્યો હશે, જેના કારણે આ દીકરીથી દુઃખ સહન થયું નહીં હોય અને તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હશે, હાલ આપઘાતનું કોઈ પણ કારણ હજુ સામે આવ્યો નથી. જરૂરી તપાસ પૂર્ણ થયા બાદ જ આપઘાતનું સાચું કારણ જાણી શકાશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *