પારિવારિક જીવનની અંદર સારા અને ખરાબ દિવસો તો દરેક વ્યક્તિની સાથે આવતા અને જતા રહેતા હોય છે, સારા સમયની અંદર આપણે દરેક વ્યક્તિને સાથ અને સહકાર આપવાની કોશિશ કરવી જોઈએ, તેમજ ખરાબ સમયમાં ક્યારેય પણ હતાશ થવું જોઈએ નહીં. અત્યારે એક પરણીતા ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી..
કારણ કે તેને સાસરિયાના દરેક લોકો ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યા હતા, તેણે આ વાતની જાણકારી ઘણી બધી વાર પોતાના સાસરે રહેલા તેના માતા પિતાને પણ આપવાની કોશિશ કરી પરંતુ તેના માતા પિતા તેને આ તમામ બાબતો સહન કરવાનું જણાવતા હતા, કારણ કે આ સમયની અંદર તેઓ કોઈપણ અન્ય વાત વિવાદ ઇચ્છતા ન હોવાથી..
તેઓ તેમની દીકરીને આ તમામ બાબતો સહન કરવાનું જણાવતા હતા, આ ચોંકાવનારી ઘટના રતીનગર માંથી સામે આવી છે, અહીં સુનીતા નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં સુનીતાના પતિ કિશોરભાઈ સુનીતાની સાસુ વિમળાબેન તેમજ સુનીતાના સસરા રામજીભાઈ નો સમાવેશ થતો હતો..
સુનીતા અને કિશોરના લગ્ન થયા તેના ચાર વર્ષ વીતી ચૂક્યા હતા, ચાર વર્ષના સમય દરમિયાન તેઓને પતિ પત્ની વચ્ચે ક્યારેય પણ સુમેલ સર્જાયો નહીં, તેઓ નાની-નાની બાબતોમાં લડાઈ ઝઘડો કરવા બેસી જતા હતા, આ સાથે સાથે સુનિતા અને તેની સાસુ પણ રોજબરોજ હેરાન પરેશાન કરી રહી હતી..
ઘરકામની બાબતોથી માંડીને રસોઈ જેવી ચીજ વસ્તુઓમાં પણ સુનીતા અને તેની સાસુ રોકટોક લગાવતી હતી, સુનિતા જ્યારે પણ કોઈ નવી ચીજ વસ્તુ કરવાની કોશિશ કરતી ત્યારે તેની સાસુ તેને ખૂબ જ ખરાબ શબ્દો કહીને નીચે બેસાડી દેતી હતી. સવારથી સાંજ સુધી તે નોકરાણીની જેમ ઘરનું કામ કરાવતા અને રાત્રે તેના મહેણા ટોણા સાંભળીને સુનીતાને સુવાનો વારો આવતો હતો..
વિમળાબેન એટલી હદે પજવણી કરી રહ્યા હતા કે, બિચારી સુનિતાની તમામ સહનશક્તિ પૂરી થઈ ચૂકી હતી. વિમળાબેન તેના દીકરાની વહુ સુનિતાને કહેતા કે, તું સવારમાં વહેલા ઉઠી જજે નહીં તો તને જાનથી મારી નાખીશ, વહેલા ઊઠીને તારે ઘરનું તમામ કામકાજ કર્યા બાદ અમારી સેવામાં હાજરો હાજર રહેવાનું છે..
જ્યારે આ વાતની જાણકારી સુનીતા તેના પતિને આપી ત્યારે તેના પતિએ પણ સુનીતાને સાથ સહકાર આપવાને બદલે તેની માતાનું ઉપરાણું લીધું હતું. હવે તો રોજબરોજ હેરાનગતીથી તે એટલી બધી કંટાળી ગઈ હતી કે, સહન કરવાની શક્તિ ન બચતા તેણે એવું ભેજો દોડાવ્યું કે તેની સાસુની અક્કલ ઠેકાણે આવી ગઈ હતી..
સુનીતાની સાસુને પગનો દુખાવો હોવાને કારણે તેઓ હંમેશાં પથારીવશ રહેતા હતા, ઘરની અંદર પથારીમાં બેઠા-બેઠા તે તેની સાસુ ને આંગળીના ટેરવી નચાવી રહ્યા હતા અને સુનીતાએ ભેજો દોડાવ્યું અને તે સવારના સમયે પોતાના કપડાઓ પેક કરીને તે તેના પિયરે રહેવા માટે જતી રહી હતી..
અંદાજે 15 દિવસ સુધી તે પોતાના ઘરે પરતના આવતા તેની સાસુની અક્કલ ઠેકાણે આવી ગઈ અને તે સમજી ચૂકી હતી કે, સુનીતા તેમના ઘર માટે કેટલી બધી મહત્વની વ્યક્તિ છે. કારણ કે જ્યારથી સુનિતા તેના પિયરે રેહવા માટે જતી રહી હતી ત્યારથી જ તેમનું ઘર અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું..
રસોઈ તેમજ ઘરકામમાં પણ ખૂબ જ વાર લાગી જતી હતી, આ સાથે સાથે ઘરના પુરુષોને પણ હેરાનગતી સહન કરવાનો વારો આવ્યો હતો, જ્યારે ઘરના તમામ લોકોને સુનીતાની ગેરહાજરીનો મહેસૂસ ત્યારે તેઓએ સુનીતાની માફી માંગવા લાગ્યા હતા અને કહ્યું કે, આજ પછી ક્યારેય પણ તેને હેરાન પરેશાન કરવામાં આવશે નહીં..
તું મહેરબાની કરીને સાસરે પરત આવી જજે, પરંતુ એ વખતે સુનીતાએ પણ જણાવી દીધું કે જો આજ પછી તેઓ ક્યારે પણ ખોટી રીતે હેરાન પરેશાન કરશે તો તે છૂટાછેડા પણ લઈને રાજી ખુશીથી એકલવયુ જીવન જીવી શકે છે, હાલ આવા ઘણા બધા પારિવારિક કિસ્સાઓ આપણે રોજબરોજ સાંભળતા હોઈએ છીએ, જે ખૂબ જ ચોંકાવનારા સાબિત થતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]