નાના બાળકો સાથે હાલમાં ગંભીર ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેને કારણે બાળકોને પોતાના મન પર લાગી જતા તેઓ માનસિક બીમારીના ભોગ બની રહ્યા છે. અવારનવાર બાળકો સાથે આવી ઘટનાઓ બનતા તેઓ પોતાના માતા-પિતાને કોઈ પણ વાત જણાવી શકતા નથી અને તેઓ ગભરાઈને ત્રાસી જાય છે.
સમાજમાં નાની બાળકીઓથી લઈને મહિલાઓ સુરક્ષિત રહી નથી, તેઓ સાથે થતી છેડતી અને .દુ.ષ્ક.ર્મ. જેવી ઘટનાઓ બનતી હોવાને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે, આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં અવારનવાર આવા ચોકાવનારા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે.
આ કિસ્સામાં નવરંગપુરા વિસ્તારમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમની એક સાડા ત્રણ વર્ષની બાળકી રહેતા હતા. બાળકી માતા-પિતાની ખૂબ જ લાડકી દીકરી હતી. તેની શાળાએ જવાની ઉમર થઈ જવાને કારણે માતા-પિતાએ તેનું શાળામાં એડમિશન કરાવ્યું હતું. જેના કારણે દીકરીએ ધીમે ધીમે શાળાએ જવાનું ચાલુ કર્યું હતું.
અને તેની શાળા ઘરથી દૂર હોવાને કારણે તેને લઈ જવા અને મુકવા માટે વાન બંધાવ્યું હતું. વાન ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા જનતા નગરમાં રહેતો એક યુવાક ચલાવતો હતો. આ યુવકનું નામ વિપુલ ઠાકોર હતું. વિપુલ ઠાકોર પરણીત હતો અને તે 8 વર્ષથી સ્કૂલ વાન ચલાવી રહ્યો હતો અને બાળકોને શાળાએથી ઘર અને ઘરેથી શાળાએ લઈ જતો હતો.
પરંતુ એક દિવસ તેની નજર બગડી હતી. જેના કારણે તેણે આ સાડા ત્રણ વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કરવાનું ચાલુ કર્યું હતું. તે દીકરીને શાળાએ લેવા માટે આવી તે સમયે રસ્તામાં દીકરી સાથે શારીરિક અડપલા કરતો હતો. જેના કારણે દીકરીના શરીરના દરેક અંગોને તે અડતો હતો. દીકરી ખૂબ જ ગભરાઈ જતી હતી.
દીકરી પોતાના માતા-પિતાને આ વાત ન જણાવે તેમ કહીને તે બાળકીને ધમકાવતો હતો. બાળકી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તે બાળકીને ખરાબ વિડિયો પણ બતાવતો હતો. બાળકીની તબિયત થોડા દિવસથી ખૂબ જ બગડી ગઈ અને બાળકી ખૂબ જ ત્રાસમાં રહેતી હતી. તે પોતાના માતા-પિતાને આ વાત જણાવી શકતી ન હતી.
જેના કારણે એક દિવસ તેની માતાને કોઈ શંકા ગઈ હતી અને તેને દીકરીને પોતાની રીતે સમજાવીને પૂછ્યું હતું. ત્યારે દીકરીએ કહ્યું હતું કે, ‘વાન વાળા અંકલ મને ગમે ત્યાં ટચ કરે છે અને તે ટચ કરીને આ વાત કોઈને ન કહેવા માટે ધમકી આપે છે’ આટલું જ બોલીને દીકરી કહીને રડવા લાગી હતી. જેના કારણે તેની માતાએ તેના પિતાને આ વાતની જાણ કરી હતી.
પિતાએ તરત જ પોલીસ સ્ટેશનમાં આ વાનવાળા સામે ફરિયાદ નોંધાવી હતી. તે એક માસુમ દિકરી સાથે આવી ઘટના કરતો હોવાને કારણે વિપુલ ઠાકોરની પોલીસે ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ પણ ચાલુ કરી હતી. દરેક વાલીઓએ ખૂબ જ ચોકીને રહેવું જોઈએ. પોતાના બાળકોને શાળાએ લઈ જતા વાનવાળા વ્યક્તિઓની દરેક જાણકારી મેળવ્યા બાદ જ પોતાના દીકરા-દીકરીઓને તેમના ભરોસે મૂકવા જોઈએ. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. જેને કારણે બાળકીઓ પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]