ઘણીવાર વાળ તૂટવા, અકાળે સફેદ થવા અને ડેન્ડ્રફ વગેરે સમસ્યાઓનું કારણ આપણા કેમિકલયુક્ત શેમ્પૂ હોય છે. જો તમે તેનાથી બચવા માંગતા હોય તો અહીં અમે તમને એક ઓર્ગેનિક શેમ્પૂ વિશે જણાવી રહ્યા છીએ.
વાળની સુંદરતા વધારવા માટે બજારમાં ઘણા પ્રકારના શેમ્પુ અને બ્યુટી પ્રોડક્ટ ઉપલબ્ધ છે, પણ ઘણીવાર તે વાળને ફાયદો કરાવવાની જગ્યાએ નુકશાન વધારે પહોંચાડે છે. જોકે આજે અમે તમને એક એવા શેમ્પુ વિષે બતાવવા જઈ રહ્યા છે, જેને તમે ઘરે જ બનાવી શકો છો અને તે વાળને બિલકુલ પણ નુકશાનકારક સાબિત થતું નથી.
ઘણીવાર વાળ તૂટવા, અકાળે સફેદ થવા અને ડેન્ડ્રફ વગેરે સમસ્યાઓનું કારણ આપણા કેમિકલયુક્ત શેમ્પૂ હોય છે. જો તમે તેનાથી બચવા માંગતા હોય તો અહીં અમે તમને એક ઓર્ગેનિક શેમ્પૂ વિશે જણાવી રહ્યા છીએ. જો તમને ગ્રીન ટી પીવાનું પસંદ છે અને તમારા બગીચામાં એલોવેરા છે, તો તમે તમારા રોજિંદા જીવનમાં પણ આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
આ વસ્તુઓની મદદથી તમે ઘરે જાતે જ શેમ્પૂ બનાવી શકો છો. આ શેમ્પૂની સારી અને ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે ઓર્ગેનિક છે અને સલ્ફેટ જેવા રસાયણોથી મુક્ત છે. તેથી તમે તમારા વાળને નુકસાન પહોંચાડ્યા વિના હોમમેઇડ ઓર્ગેનિક શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે ઓર્ગેનિક શેમ્પૂ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે.
હોમમેઇડ ઓર્ગેનિક શેમ્પૂ કેવી રીતે બનાવવું : વપરાયેલી ગ્રીન ટી બેગને પાણીમાં મૂકો અને તેને લગભગ 25 મિનિટ સુધી ઉકાળો. હવે આ મિશ્રણને ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો. જ્યારે તે ઠંડુ થઈ જાય, હવે તેમાં 200 મિલી લિક્વિડ સાબુ, થોડું એલોવેરા જેલ અને એક ચમચી ઓલિવ તેલ ઉમેરો. જો તમે તેમાં થોડી સુગંધ ઉમેરવા માંગો છો, તો તમે લવંડર અથવા ગુલાબના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
હોમમેઇડ ઓર્ગેનિક શેમ્પૂનો ઉપયોગ કેવી રીતે કરવો : તમે જ્યારે આ શેમ્પૂનો ઉપયોગ કરીને તમારું માથું ધોશો, ત્યારે તમારે કોઈ કન્ડિશનરનો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે આ શેમ્પૂ કેમિકલયુક્ત નથી. આ શેમ્પૂને ફક્ત તમારા વાળમાં લગાવો અને પછી તમારા માથાની ચામડીને પાણીથી ધોઈ લો.
તમને આ શેમ્પૂ બજારમાં મળતા શેમ્પૂ કરતાં પણ વધુ ગમશે કારણ કે તે તમારા વાળને કોઈપણ રીતે નુકસાન પહોંચાડશે નહીં અને તમને સિલ્કી અને સુંદર વાળ મેળવવામાં પણ મદદ કરશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]