ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ઉતરાયણના તહેવારને હવે થોડા દિવસની જ વાર રહી છે પરંતુ દર અઠવાડિયે એવા જીવલેણ અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે જોઈને લોકો હચમચી રહ્યા છે. પતંગ અને દોરીને કારણે બધા અકસ્માતો ખૂબ જ સામે આવી રહ્યા છે. જેમ-જેમ ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યા છે.
તેમ તેમ અકસ્માતો પણ વધી રહ્યા છે. હાલમાં પણ એવો જ એક હૃદય ધ્રુજાવતો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો રાજકોટ જિલ્લામાં બન્યો હતો. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા માધાપર ચોકડી પાસે રહેતા પરિવારના દીકરા સાથે આ ઘટના બની હતી. દીકરાનું રુદ્ર ભટ્ટ છે. તે પોતાના પરિવાર સાથે રહે છે.
રુદ્રની ઉંમર 7 વર્ષની છે. રુદ્ર ઉતરાયણનો તહેવાર આવતો હોવાને કારણે અગાઉ જ શાળાએથી આવીને પતંગ ચગાવવા માટે પોતાના કરતા ટેરેસ પર ચડી જતો હતો. રુદ્રને પતંગ ચગાવી ખૂબ જ ગમતી હતી. જેના કારણે ગયા વર્ષની પતંગો અને દોરો વધ્યો હોય તેમાંથી તે દરરોજ ટેરેસ પર જઈને પતંગ ચગાવતો હતો.
તેમના દરેક મિત્રોને ભેગા કરીને તે પતંગ ચગાવવાનો આનંદ લેતો હતો. તે સમયે અચાનક તેનો પતંગ કપાઈ જતા પતરામાં ભરાઈ ગઈ હતી. તેણે જોયું કે તેની પતંગ પત્રમાં ભરાઈ ગઈ છે જેના કારણે તે પતંગ લેવા માટે પતરા પર ગયો હતો અને અચાનક જ આ પતરા તૂટી જતા રુદ્ર ત્રીજા માળેથી બીજા માળે નીચે પડ્યો હતો.
નીચે પડતાની સાથે તેના મિત્રો બૂમ પાડી બેઠા હતા. જેના કારણે ફ્લેટના તમામ લોકો બચાવવા માટે દોડયા હતા. તરત જ પાડોશીના લોકોએ મળીને રુદ્રને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. રુદ્રની સારવાર ચાલુ કરાવવામાં આવી હતી. રુદ્ર ખૂબ જ ઇજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેમના માતા-પિતા ખૂબ જ રડી રહ્યા હતા.
રુદ્રએ પતંગને કારણે પોતાના જીવને જોખમમાં મુકયો હતો. દરેક માતા પિતાએ પોતાના બાળકોને ધ્યાન રાખવું જોઈએ. નહીંતર અવારનવાર આવા અકસ્માતો બની રહ્યા છે. માતા-પિતા માટે વધુ એક લાલબત્તી સમાન આવ્યો હતો. હજુ ઉતરાયણનો તહેવાર આવવાનો બાકી છે અને તેના પહેલા જ આવી ઘટનાઓ બની જતાં બાળકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. જેના કારણે માતા-પિતાએ ખૂબ જ પોતાના બાળકોની સાવચેતી લેવી જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]