હાલમાં ઘણા બધા કિસ્સાઓ ખૂબ જ જીવલેણ બની રહ્યા છે. લોકો પારિવારિક જીવનને લઈને એકબીજા સાથે ઝઘડાઓ કરી રહ્યા છે. પરિવારના જ લોકો કોઈ નાની નાની વાતને લઈને તેના જ પરિવારના લોકો સાથે ઝઘડાઓ કરતા ક્યારેક જીવલેણ ઘટના પણ બની જાય છે. આવી ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે.
એક દિવસમાં આપણે આવી ઘણી બધી ઘટનાઓ પરિવારમાં બનતી જોઈ રહ્યા છીએ. આજના સમયમાં પરિવારના લોકો કોઈ નાની વાતની મુશ્કેલીને પૂરી કરવાને બદલે એકબીજા સાથે જ ઝઘડો કરીને તેમના જીવ લઈ રહ્યા છે. આવો એક ગંભીર બનાવ બન્યો હતો. આ બનાવ એક પિતા-પુત્ર વચ્ચે બન્યો હતો.
રાજસ્થાનના કોટા વિસ્તારમાં રહેતા પરિવાર સાથે આ ઘટના બની હતી. પરિવારમાં માતા-પિતા તેમનો દીકરો તેમની પત્ની અને તેમના પણ પૌત્ર-પૌત્રી રહેતા હતા. પરિવારમાં 6 સભ્યો રહે છે જેમાંથી પિતાનું નામ રાજેન્દ્રસિંહ હતું તેમની ઉંમર 58 વર્ષની હતી. તેમની પત્નીનું નામ રાજદુલારી હતું. બંનેનું પારિવારિક જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું.
તેમને એક દીકરો હતો. તેનું નામ વરદાનસિંહ હતું. વરદાનસિંહની ઉંમર 32 વર્ષની હતી. વરદાનસિંહના પણ લગ્ન થઈ ગયા હતા. જેને કારણે તેને સંતાનમાં એક દીકરો-દીકરી હતા. પરિવારના સભ્યો ખૂબ જ ખુશીથી રહેતા હતા. રાજેન્દ્રસિંહ કોટા એસપી ઓફિસમાં એલડીસી તરીકે પોતાની ફરજ બજાવતા હતા પરંતુ બે વર્ષ પહેલાં તેમણે પણ નિવૃત્તિ લઈ લીધી હતી.
વરદાન કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને પિતાના પેન્શન તેમજ વરદાન સારી એવી નોકરીને કારણે તેમનો પરિવાર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું પરંતુ પિતાને નિવૃત્તિ બાદ દારૂ પીવાની આદત હતી અને તેને આ આદત ખૂબ જ લાગી ગઈ જેને કારણે વરદાનસિંહ અને રાજેન્દ્રસિંહ વચ્ચે દારૂ બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા.
રાજેન્દ્રસિંહ રોજે સાંજે દારૂ પિતા હતા. જે વરદાન સિંહ અને તેમના પરિવારજનોને પસંદ ન હતું. ક્યારેક તે વધુ દારૂનો નશો કરતા હતા જેને કારણે પોતાના માતા સાથે પણ પિતા ઝઘડો કરતા હતા. અવારનવાર પરિવારમાં ઝઘડાઓ ચાલુ થઈ ગયા હતા. પિતા-પુત્ર વચ્ચે દરરોજ સાંજે આ વાતને લઈને ઝઘડો થતો હતો. જેના કારણે એક દિવસ પિતાએ ઝઘડો થતાં તેના દીકરા વરદાન પર એસિડ ફેંકી દીધું હતું.
જેના કારણે વરદાનસિંહનો ચહેરો બગડી ગયો હતો અને તેમને ખૂબ જ ઈજા થઈ હતી. તેને તરત જ શહેરની શુશ્રુત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા રાજેન્દ્રસિંહ પોતાના દીકરા સાથે જીવલેણ હુમલો કરી નાખ્યો હતો. પોતે દારૂના નશામાં ઉશ્કેરાઈ જઈને દીકરાની સાથે આવી ઘટના કરી હોવાને કારણે તેને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો.
તે આઘાતમાં આવી ગયા હતા. એક દિવસ તેઓ પોતાના ઘરે હોસ્પિટલથી આવ્યા હતા અને તેમના દીકરાની તેણે આ હાલત કરી નાખી હતી. જેના કારણે તેઓ આઘાતમાં સરી ગયા હતા. તેઓ પોતાના રૂમમાં ગયા હતા. રૂમ બંધ કરી દીધી ત્યારબાદ તેમની પત્નીએ દરવાજો ખટખટ આવતા રાજેન્દ્રસિંહે દરવાજો ખોલ્યો ન હતો. જેના કારણે તેની પત્ની રાજ દુલારીએ પોલીસ સ્ટેશન પહોંચી હતી.
તેમણે જણાવ્યું હતું કે તેમના દીકરા પર એસિડ નાખ્યા બાદ પતિ રૂમમાંથી બહાર આવી રહ્યા નથી. જેના કારણે પોલીસ તેમના ઘરે પહોંચી હતી અને દરવાજો ખડખડાવ્યો હતો પરંતુ રાજેન્દ્રસિંહ દરવાજો ખોલ્યો ન હતો. દરવાજાને તોડીને જોયું તો રાજેન્દ્રસિંહ બેડ ઉપર બેભાન હાલતમાં પડ્યા હતા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તે સમયે ડોક્ટરે રાજેન્દ્રસિંહે ઝેરી પદાર્થ પિધા હોવાનું જણાવ્યું હતું.
જેને કારણે પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. થોડીવાર બાદ રાજેન્દ્રસિંહનું મૃત્યુ થઈ ગયું હતું અને તેના દીકરાનું પણ કરુણ મૃત્યુ સારવાર દરમિયાન થઈ ગયું હતું. ત્યારબાદ બંનેના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા. એક જ પરિવારના પિતા-પુત્ર વચ્ચે ઝઘડાને કારણે બંનેએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
પિતાએ તેના દીકરાનો જીવ લઈને પોતે આપઘાત કરી લીધો હતો. ઝેરી દવા ગટગટાવીને તેના પરિવારને નિરાધાર કરી નાખ્યું હતું. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે લોકો પોતાની નાની-નાની વાતને લઈને પોતાના જ અંગત વ્યક્તિઓ સાથે ઝઘડાઓ અને મારામારી કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]