Breaking News

અમદાવાદમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ધોરણ 9 ના વિદ્યાર્થીને જબરજસ્તી પેશાબ પીવરાવ્યું, રેગીગની ઘટના સામે આવતા જ વાલીઓમાં ફફળાટ..!

અભ્યાસ દરમિયાન રેગિગની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવી જતા આ પ્રકારના બનાવો બનવાના ખૂબ જ ઓછા થઈ ગયા હતા. સાથે સાથે તંત્રના કડક નિયંત્રણોના કારણે તેમજ શાળા અને કોલેજોના કડક નિયમોને કારણે કોઈપણ વ્યક્તિ અન્ય કોઈ જુનિયર વ્યક્તિઓનું રેગીગ કરતાં પહેલાં સો વખત વિચાર કરવા લાગ્યા હતા..

પરંતુ હાલ અમદાવાદની એક શાળામાંથી રેગિંગની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવતાની સાથે જ સમગ્ર વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. રેગીગ એક એવી ઘટના છે જેમાં શાળા અને કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ તેના કરતાં નીચા અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને હેરાનગતિ પહોંચાડતા હોય છે..

જેમાં પોતાના પર્સનલ કામ પણ કરાવી લેતા હોય છે. પોતાના નોકરની જેમ મન ફાવે તેવી પ્રવૃત્તિઓ આચરતાં હોય છે. હાલ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ખાતે કેન્દ્રીય વિદ્યાલય નામની સ્કૂલ આવેલી છે. જેમાં ધોરણ 12 ના ત્રણ વિદ્યાર્થીઓએ ધોરણ ૯ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી ને બાથરૂમ માં ખેંચી ગયા હતા..

જ્યાં તેને જબરજસ્તી ભાષા પીવડાવવાની હલકી કામગીરી કરી છે. કેન્દ્રીય વિદ્યાલયમાં શાળાના તમામ શિક્ષકો વિદાય કાર્યક્રમમાં વ્યસ્ત હતા એ સમય દરમિયાન ધોરણ 12 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓ સાથે મજાક મસ્તી કરતા હતા. તેમજ હેરાન પરેશાન પણ કરી રહ્યા હતા..

જેમાં ધોરણ નવમાં ભણતા એક વિદ્યાર્થીને ધોરણ 12 ના ત્રણ વિદ્યાર્થીઓએ એવી હરકતો કરાવી હતી કે જેના વિશે વાંચતાની સાથે તમે પણ શરમમાં મૂકાઈ જશો. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એક ડબ્બા ની અંદર પેશાબ એકઠો કરીને રાખ્યો હતો. ત્યારબાદ તેઓએ આ વિદ્યાર્થીને ખેંચી ને બાથરૂમ માં લઇ ગયા હતા અને આ વિદ્યાર્થીને આ પેશાબ પીવડાવવાની કોશિશ કરી હતી..

પરંતુ વિદ્યાર્થી આ ત્રણેય વિદ્યાર્થીઓની જાળમાંથી છટકી ને ભાગી ગયો હતો. પરંતુ આ ત્રણ વિદ્યાર્થીઓએ આ બાબતની જાણ કોઈપણ વિદ્યાર્થીઓને ન કરવા માટે જણાવી હતી. વિદ્યાર્થીને ખૂબ જ ડર લાગી ગયો હતો. એટલા માટે તેણે આ બાબતની જાણ સ્કૂલમાં કરી હતી પરંતુ પોતાના ઘરે કરી હતી નહીં.

વિદ્યાર્થીના પરિવારને આ બાબતને લઈને બહારથી જાણવા મળી હતી. ત્યારે તેઓએ પોતાના દીકરાને પૂછ્યું હતું કે, શું આ બાબત સાચી છે કે નહીં ત્યારે દીકરો ખૂબ જ ભાંગી પડયો હતો અને તેણે પોતાના મા-બાપને તમામ બાબતોની જાણ કરી દીધી હતી. તેણે જણાવ્યું કે મેં શાળામાં પણ આ બાબતને લઈને ફરિયાદ કરી હતી. પરંતુ આ બાબતને લઇને કોઇપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા હતા નહીં..

મેં ઘણી બધી રજૂઆતો પણ કરી દીધી છે. છતાં પણ કોઈ શિક્ષકો આ બાબતને લઈને ધ્યાન આપતા નથી. એટલા માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થઈને શાળા સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ ફરી વખત આ પ્રકારની ઘટના ન બને એટલા માટે માફી પત્ર પણ આપવા માટે જણાવ્યું છે.

બાળકના માતા-પિતા આ બાબતને લઈને જ્યારે શાળાએ ગયા હતા ત્યારે શાળાના સંચાલકોએ તેમની સાથે ખૂબ જ હોય યોગ્ય વર્તન કર્યું હતું. સ્કૂલના પ્રિન્સિપાલએ આ તમામ બાબતોને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. શાળાના બાથરૂમની બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે..

આ કેમેરા ની અંદર સ્પષ્ટ દેખાઇ રહી છે. પરંતુ આ કેમેરા ના રેકોર્ડિંગ વાલીઓને બતાવવામાં આવ્યા હતા નહીં. એટલા માટે વાલીઓએ પોલીસમાં અરજી કરી છે. બીજી બાજુ પ્રિન્સિપાલે કહ્યું કે આ પ્રકારની ઘટના શાળામાં બની જ નથી. અને આ બાબતને લઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ તેઓને મળી નથી.

આ બિલકુલ ખોટી બાબત છે. હકીકતમાં કોઈપણ વ્યક્તિનું રેગીગ કરવું એ કાયદાકીય કાર્યવાહીને પાત્ર છે. આ પ્રકારની હલકી પ્રવૃત્તિ કરવાથી ખૂબ મોટી સજા પણ થઇ શકે છે. ખરેખર શહેરની શાળામાંથી આ બનાવ સામે આવતા જ માહોલ ગરમાયો છે અને વાલીઓમાં પણ ફફળાટ જોવા મળ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *