દરેક જગ્યાએ હવે દિવસેને દિવસે ગુનાખોરી વધવા લાગી છે. અમુક અમુક કેસે તો એવી રીતે પણ માથું ઊંચકી લીધું કે તેને સુલજાવા માટે ભારે મથામણ કરવી પડે છે. આ ઘટનાઓ બન્યા બાદ પોલીસખાતું એક્શન મોડમાં આવી જાય છે. છતાં પણ ગુનાખોરીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નોંધાતો નથી…
અસીડાના હરીપુર વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેવા તેને જાણીને સૌ કોઈ લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે. હકીકતમાં અસીડાના હરીપુર વિસ્તારમાં 16 વર્ષની એક દીકરી પોતાના પરિવાર સાથે હસતી ખેલતી જિંદગી જીવે છે. એક દિવસ અચાનક જ આ દીકરીને ઊલટીઓ અને પેટમાં દુખવા લાગ્યું હતું…
તે ચક્કર ખાઈને પડી ગઈ હતી. દિકરીની હાલત ખરાબ થતાં પરિવારને લાગ્યું કે દીકરી બીમાર પડી છે. એટલા માટે તેઓએ દીકરીને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલમાં ચાલેલી સારવાર બાદ ડોક્ટરોએ આ દીકરી ના પરિવારને આવીને એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો..
જે સાંભળ્યા બાદ દીકરીની માતા ત્યાં જ ઢળી પડી હતી. તો દીકરીના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ડોક્ટરોએ તપાસ બાદ જણાવ્યું હતું કે તમારી દીકરી થોડા જ મહિનાઓ બાળકને જન્મ આપવા જઈ રહી છે. માત્ર 16 વર્ષની ઉંમરમાં જ તમારી દીકરી બાળકને જન્મ આપવા જઈ રહી છે. આ શબ્દ સાંભળતાની સાથે જ પરિવારના હોશ ઉડી ગયા હતા…
દિકરીની હાલત સ્થિર થતાં તેઓએ દીકરીની પૂછતાછ કરી હતી તો જણાયું કે આ દીકરી તેના ઘર નજીક રહેતો અભીશેક નામનો યુવક સાથે ઘણા સમયથી પ્રેમસંબંધમાં હતી. નાની ઉંમરમાં થયેલા પ્રેમના કારણે અભિષેક નામના યુવકે આ યુવતીનો ખૂબ ગેર ફાયદો ઉઠાવ્યો હતો…
કારણ કે આ યુવતી હજુ અણસમજુ હતી એટલા માટે અભિષેક નામના યુવકે આ યુવતીને લગ્નની લાલચ આપીને થોડા થોડા સમયે તેની સાથે ન કરવાની હરકતો પણ કરી નાખતો હતો. દીકરીના મોઢેથી આ પ્રકારની વાતો સાંભળીને માતા-પિતા ખૂબ ગહેરા આઘાતમાં ચાલ્યા ગયા હતા. અને તેઓએ તાત્કાલિક ધોરણે અભિષેક નામના યુવક સામે ફરિયાદ નોંધવાનો નિર્ણય લઈ લીધો હતો..
આ દીકરી માત્ર 16 વર્ષની ઉંમરમાં જ માતા બનવા જઈ રહી હતી. એટલા માટે ડોકટરોએ પણ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી હતી. પોલીસે પરિવારના કહેવા મુજબ અભિષેક નામના નરાધમ યુવક સામે ફરિયાદ નોંધીને તેને પકડવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીને પકડી પાડયો હતો..
હાલ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. રોજ રોજ આ પ્રકારના બનાવો વધવાને કારણે લોકોની સુરક્ષા પણ ઘટવા લાગી હોઈ તેમ લાગે છે. તંત્ર આ ગુનાખોરીને રોકવા માટે જરૂર ભય બેસરાશે તેમ જણાઈ રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]