લોકોને પોતાના ઘરેથી બહાર નીકળવામાં પણ ડર લાગી રહ્યો છે, કારણ કે અવારનવાર એવા અકસ્માતો સર્જાઇ રહ્યા છે, જેમાં વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવા અકસ્માતો સર્જાતા લોકો ખૂબ જ ડરી રહ્યા છે. આજના સમયમાં પોતાના વાહનો ખૂબ જ ઝડપી ચલાવીને બીજા લોકોને નિર્દોષ જીવને જોખમમાં મૂકી રહ્યા છે.
આવી એક ગંભીર અકસ્માતની ઘટના ભીલવાડા ઉદયપુર હાઇવે પર સર્જાઇ હતી. હાઇવે પર એક દિવસમાં ઘણા બધા વાહનો પસાર થઈ રહ્યા હોય છે અને આ વાહનો ખૂબ જ ઝડપી સ્પીડમાં જતા હોય છે પરંતુ એક કારમાં જયપુરના સંગતેડા કોટપુતલીના રહેવાસી ચાર યુવકો ફરવા માટે ઉજ્જૈન ગયા હતા અને તેઓ અજમેરથી ફરીને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા.
આ ચારેય યુવકોના નામ હવાસિંહ, સંદીપસિંહ, શેરસિંહ અને સતવીર હતા. જ્યારે યુવકોમાં સતવીર જાટ એન્જિનિયર હતો અને સંદીપ સિંહ ચૌધરી પ્રોપર્ટી બિઝનેસમેન હતો. શેરસિંહ પોતાના જ ગામમાં ખેતી કરીને પોતાના પરિવાર ચલાવતો હતો અને હવાસિંહ લશ્કરમાંથી નિવૃત્ત થયા હતા. સંદીપ અને સતવીરના લગ્ન થઈ ગયા છે.
જેના કારણે તે બંનેને બે-બે બાળકો છે અને શેરસિંહના લગ્ન હજુ થયા ન હતા. સંદીપ અને સતવિર તેમના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા અને દીકરાઓ તેમના પિતાના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે ભીલવાડા ઉદયપુર હાઇવે પર તેઓની કાર પહોંચતા અચાનક જ જઈ રહેલા ટ્રેલર સાથે ટક્કર લાગી ગઈ હતી.
જેમાં ટેલર ચાલકે પોતાના વાહનની ગતિ અચાનક ધીમી કરી અને કારમાં જઈ રહેલા કાર ચાલકો અજમેરના ભીના વિસ્તારના બંધન વાળા પાસે પહોંચતા જ તેઓની કાર ખૂબ જ ઝડપી હતી, જેના કારણે કારચાલક પોતાની કારનું કાબુ મેળવી શક્યા નહીં, ટ્રેલર ચાલકે અચાનક બ્રેક લગાવતા જ સ્પીડમાં આવતી કારણ ટ્રેલર સાથે અથડાઈ ગઈ હતી.
કાર ચાલકે પોતાની કાર પરનો કાબુ ગુમાવ્યો હોવાને કારણે કાર ટ્રેલર સાથે અથડાતા જ કારના કુચેકુચા થઈ ગઈ અને કારમાંથી બે લોકો કૂદીને બહાર પડી ગયા હતા. કારનો આગળનો ભાગ ખૂબ જ ખરાબ રીતે કુચે કુચા થઈ ગયો હતો. જેના કારણે ગામમાં પરત ફરી રહેલા ચારે યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા.
આ અકસ્માત એટલો જીવલેણ બન્યો હતો કે અકસ્માત જોતા તરત જ હાઇવે પર લોકો પોતાની ગાડીઓ ઉભી રાખીને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પહોંચી ગયા હતા. ત્યારબાદ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કારની તપાસ હાથ ધરી હતી.
જેમાં બે વ્યક્તિઓના ખૂબ જ ગંભીર રીતે મૃત્યુ થઈ ગયા હતા. ચારે યુવકો ફરવા ગયા અને પોતાના ઘરે પહોંચતા પહેલા તેમની સાથે આવો જીવલેણ અકસ્માત સર્જાતા તેઓએ પોતાના જીવને ગુમાવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી બે યુવકોને મૃતદેહને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બે યુવકો રોડ પર ઉછળીને પડ્યા હતા.
જેના કારણે ચારેય યુવકોના પરિવારના લોકોને પણ તેમના અકસ્માતની જાણ કરવામાં આવી હતી પરિવારના લોકોને તેમના યુવકોના મૃત્યુની જાણ થતાં તેઓ આઘાતમાં સરી ગયા હતા. પરિવારમાં રોરોકળ થઈ ગયો અને ગામમાં એકસાથે ચાર લોકોના જીવ જતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]