Breaking News

ઉધારીના રૂપિયા અને પ્રેમ સબંધની શંકાને આધારે ખેડૂતને તેના ખેતરમાં જ રહેંસી નખાયો, નજરે જોનારા લોકોના પરસેવા છૂટી ગયા..!

રોજબરોજ એવા ચોકાવનારા કિસ્સાઓ બનતા જોવા મળે છે કે જેમાં એક જ પરિવારના લોકો અથવા સગા સબંધીઓ નાની-નાની વાતમાં ઝઘડાઓ કરી રહ્યા હોય છે અને આવા ઝઘડાઓમાં વેર રાખીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી એક ગંભીર ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના કુમાહી ગામમાં રહેતા પરિવારના યુવક સાથે બની હતી.

નાની વાતમાં પરિવારના યુવકનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. યુવકનું નામ રાકેશ મિશ્રા હતું. તેમની ઉંમર 45 વર્ષની હતી. તે પોતાના પરિવાર સાથે રહેતા હતા. રાકેશ મિશ્રા બંદા ગામનો રહેવાસી હતો પરંતુ તે રોજગારી મેળવવા માટે કુમાહી ગામમાં રહેવા આવ્યો હતો. પહેલા રાકેશ મેહરના ઓયલામાં રહેતો હતો.

અને ત્યારબાદ તે કુમાહી ગામમાં રહેવા આવ્યો હતો. ખેતર અને મકાન રાખીને રહેવા લાગ્યો હતો. રાકેશને બે ભત્રીજીઓ છે જે રાકેશ સાથે રહેતી હતી. રાકેશ પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતો પરંતુ તે કુમાહી ગામમાં રહેવા આવ્યો ત્યારબાદ તેને આ જ ગામની એક પરિણીત યુવતી સાથે આંખ મળતાં પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો.

બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાને કારણે બંને અવારનવાર ગામની બહાર એકબીજાને મળતા હતા. જે પરણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ યુવતીના પતિને બંનેના પ્રેમ સંબંધની જાણ હતી. રાકેશ અને તેની પ્રેમિકાનો પતિ સોહમ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થયા હતા. સોહમે રાકેશ પાસેથી 20,000 રૂપિયા ઉછીના લીધા હતા.

આ પૈસા રાકેશની પ્રેમિકાએ રાકેશને કહીને તેના પતિને અપાવ્યા હતા. જેના કારણે રાકેશ સોહમ પાસે તેમના ઉછીના પૈસા માંગી રહ્યો હતો પરંતુ સોહમે આ પૈસા આપવાની ના કહી દીધી હતી. તેણે અવારનવાર પોતાની પત્નીથી દૂર રહેવા માટે પણ રાકેશને કહ્યું પરંતુ રાકેશને પ્રેમ સંબંધ હોવાને કારણે તે તેની પત્નીથી દૂર જતો ન હતો.

જેના કારણે સોહમ અને રાકેશ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થયા હતા અને પૈસાની લેવડ-દેવડને કારણે પણ ઝઘડાઓ થતા હતા. એક દિવસ રાકેશ તેમના ખેતરમાં કામ કરી રહ્યો હતો અને તેમણે પોતાના ખેતરમાં બનાવેલા કુવામાં કામ કરીને તે પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે રાકેશના ખેતરે સોહામ પહોંચી ગયો હતો.

પોતાના હાથમાં ધારદાર હથિયાર લઈને તે રાકેશ સાથે વેર કાઢવા ગયો અને ખેતરમાં જઈને તેણે રાકેશ સાથે પહેલા ઝઘડો કર્યો અને ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને સોહમે રાકેશને ધારદાર હથિયાર મારી દીધું હતું. ધારદાર હથિયાર મારતા જ ઇજાગ્રસ્ત થયેલો રાકેશ ખેતરમાં ઢળી પડ્યો હતો અને ખૂબ જ લોહી વહી ગયું હતું.

લોહી લુહાણ હાલતમાં રાકેશને મૂકીને સોહમ ત્યાંથી ભાગી ગયો હતો. આસપાસના ખેતરના લોકોએ રાકેશને ખેતરમાં આ હાલતમાં જોઈને તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે રાકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ રાકેશના પરિવારના લોકોને પણ પોલીસે તેમના મૃત્યુની જાણ કરી હતી. ગામના લોકોને શંકા હતી કે રાકેશ સાથે આ બનાવ સોહમે જ કર્યો હશે જેના કારણે પોલીસે સોહમની કડક પૂછપરછ ચાલુ કરી હતી. તે સમયે સોહમે કરેલી આ તમામ ઘટનાને બતાવી દીધી હતી. ત્યારબાદ પોલીસ આગળની તપાસ કરી રહી હતી. એક નાની વાતમાં તેમણે પોતાની સાથે રહેતા જ વ્યક્તિનો જીવ લઈ લીધો હતો…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *