નાના બાળકો સાથે બનતા એવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે જોઈને બાળકોના માતા-પિતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે, બાળકો પોતાના ઘરેથી એકલા રમવા કે શાળાએ જતા હોય છે અને બાળકો સાથે ક્યારેય કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. એક માસુમ બાળક સાથે બનેલી ગંભીર ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા થાનેશ્વર ગામના રહેવાસી પરિવારના દીકરા સાથે બની હતી. દીકરો તેમના માતા-પિતા સાથે પરિવારમાં રહેતો હતો. દીકરાના પિતાનું નામ સંજય વર્મા છે. સંજય વર્માને બે દીકરા છે. જેમાં મોટા દીકરાનું નામ અયાન હતું. અયાનની ઉંમર 5 વર્ષની હતી. અયાન 1 ધોરણમાં અભ્યાસ કરતો હતો.
અને તેનાથી નાનો તેને એક ભાઈ છે. અયાન પરિવારનો ખૂબ જ લાડકો દીકરો હતો. અયાન તેના જ ગામની શાળાએ અભ્યાસ માટે જતો અને ત્યારબાદ તે ટ્યુશન ક્લાસીસમાં જ હતો. તેમના બીજા મિત્રો સાથે ભણવા માટે જતો, ટ્યુશન નજીકમાં જ હોવાને કારણે માતા-પિતા અયાનને તેના મિત્રો સાથે જવા દેતા હતા.
તે દરરોજ શાળાએથી આવ્યા બાદ ટ્યુશન ક્લાસીસ જતો હતો. જેના કારણે એક દિવસ પણ તે શાળાએથી આવ્યા બાદ ટ્યુશન ક્લાસીસમાં ગયો ત્યારબાદ ટ્યુશન ક્લાસીસના છૂટવાનો સમય થઈ જતા અયાન ટ્યુશનમાંથી છૂટ્યો હતો. ત્યારબાદ તે પોતાના મિત્રોથી અલગ પડી ગયો અને મિત્રો પોતાના ઘરે પહોંચી ગયા હતા.
પરંતુ અયાન ઘરે પાછો આવ્યો ન હતો. જેના કારણે પરિવારના લોકોએ અયાનની થોડીવાર રાહ જોઈ હતી. ત્યારબાદ તેના મિત્રોને અયાનની ખબર પૂછી હતી પરંતુ મિત્રોએ જણાવ્યું કે અયાન ટ્યુશન છૂટતાં જ દેખાયો ન હતો. ત્યારબાદ પરિવારના લોકો અયાનને શોધવા માટે ટ્યુશન ક્લાસીસ પહોંચી ગયા હતા ત્યારે ખબર પડી કે અયાન ટ્યુશનમાંથી છૂટી ગયો છે..
ત્યારબાદ અયાનને આસપાસના વિસ્તારોમાં શોધવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ જગ્યાએ અયાન દેખાયો નહીં. જેના કારણે ડરી ગયેલા પરિવારે તરત જ થાનેશ્વર પોલીસ સ્ટેશનમાં બાળકના ગુમ થયાની જાણ કરી હતી. પરિવારના લોકો અને ગામના લોકોએ સાથે મળીને શોધવાની તપાસ ચાલુ જ રાખી હતી.
તે સમયે ગામની બહાર આવેલી ઝાડીઓમાં ગામના લોકોએ જોયું તો એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે ગામના લોકોએ પિતા સંજય વર્માને આ ઘટનાની જાણ કરી હતી. સંજય વર્મા તરત જ દોડતા દોડતા તે બાળકના મૃતદેહ પાસે પહોંચ્યા અને જોયું તો તેનો જ દીકરો અયાન હતો.
અચાનક અયાનને મૃત હાલતમાં જોતા તેના પિતા ત્યારે ત્યાં ઢળી પડ્યા હતા. ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અયાનના ગળા પર નિશાન જોવા મળ્યા હતા. જેના કારણે દરેક લોકોને શંકા હતી કે અયાનને ગળું દાબીને મારી નાખ્યો છે. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી. બાળક સાથે આવી ઘટના બની જતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]