દરેક વ્યક્તિને જિંદગીની દરેક ક્ષણને રાજી ખુશીથી જીવન જીવવાની ઈચ્છા હોય છે, અને પરિવારમાં હસ્તી ખેલતી જિંદગી જીવવા માટે સારી કમાણીથી માંડીને દરેક વ્યક્તિના મનમાં સંતોષ હોવો તેમ જ સ્વભાવ પણ સરળ હોવું ખૂબ જ જરૂરી છે. અત્યારે એક પરિવાર ખૂબ જ મોટી મુશ્કેલી ની અંદર મુકાઈ ગયો હતો..
કારણકે પરિવારની અંદર રહે તે દીકરાની વહુએ એવડો મોટો કાંડ કરી નાખ્યો હતો કે, પરિવારમાં જ બે વ્યક્તિના જીવ જતા રહ્યા હતા. આ કાળ ભરી ઘટના જ્યારે સામે આવી ત્યારે પરિવારના દરેક સભ્યોને આ અક્કલ વગરની દીકરાની વહુ ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો, પરંતુ આ ગુસ્સો શાંત કરીને તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેતા તમામ મામલો થાળે પડવા પામ્યો હતો..
આ ઘટના હરજીવન ચોક પાસેથી સામે આવી છે, અહીં રહેતો એક પરિવાર અત્યારે ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ગયો હતો. હરજીવન ચોક પાસે આવેલી માધવ દીપ સોસાયટીમાં યાજ્ઞિક ભાઈ નામનો એક હોલસેલ નો વેપારી તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેના વડીલ માતા પિતા તેની પત્ની માધુરી તેમજ તેનો એક નાનકડો દીકરો મીતનો પણ સમાવેશ થાય છે..
યાજ્ઞિક ભાઈ સવાર પડતા જ પોતાના કામ ધંધે ચાલ્યા જતા હતા અને મોડી રાત્રે પોતાના ઘરે પરત આવતા હતા, યાગ્નિક ભાઈના વડીલ માતા-પિતા આખો દિવસ દરમિયાન ભજન કીર્તન કરવા માટે આશ્રમે જતા રહેતા હતા. એ વખતે ઘરે માત્ર યાજ્ઞિકભાઇની પત્ની અને તેમનો એક નાનકડો દીકરો રહેતા હતા..
અને આ સમય દરમિયાન જ યાગ્નિક ભાઈની પત્ની માધુરી એવો કાંડ કરી બેઠી હતી કે, પરિવાર દોડતો થઈ ગયો હતો, યાજ્ઞિકભાઇને બાજુના મકાનની અંદર જ એક ડોક્ટર તેના પરિવાર સાથે રહેતો હતો. આ ડોક્ટર પોતાના ઘરે જ લોકોની સારવાર કરીને પૈસા કમાતો હતો એક દિવસ એવી ઘટના ઘટી ગઈ કે, યાજ્ઞિક ભાઈની પત્ની માધુરી આ ડોક્ટરના ઈશારે યાજ્ઞિક ભાઈ તેમજ યાગ્નિક ભાઈના નાનકડા દીકરા મિતને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા..
એટલું જ નહીં પરંતુ આ ડોક્ટરના વાતોમાં ફોસલાઈ જઈને તેને સાથે પ્રેમ સંબંધમાં પણ જોડાઈ ગઈ હતી, સાંજના સમયે એક વખત યાજ્ઞિકભાઈ પોતાને ઘરે આવ્યા ત્યારે તેમની પત્નીએ તેમના માટે દાળપુરી બનાવી રાખી હતી. આ દાળપુરી યાજ્ઞિકભાઇના વડીલ માતા પિતાએ પહેલા જ જમી લીધી હતી..
આ ઉપરાંત માધુરીએ પણ ખોરાક ખાઈ લીધો હતો, ત્યારબાદ માધુરીનો નાનકડો દીકરો મીત તેમજ માધુરીનો પતિ યાજ્ઞિક ભાઈ દાળપુરી ખાવાની બાકી હતી, જ્યારે યાગ્નિક ભાઈ ધંધેથી ઘરે આવ્યા ત્યારબાદ તેઓએ આ દાળપુરી ખાવાની શરૂ કરી હતી, દાળ પૂરી ખાતા ના અડધી કલાકમાં જ દાળપુરીએ એવી અસર શરૂ કરાવી દીધી કે, બિચારા યાજ્ઞિકભાઇ તેમજ મિત્ર ઘટના સ્થળે તડપી તડપીને મૃત્યુ થઈ ગયું હતું..
આ દાળ-પુરી ખાધાના અડધી કલાક બાદ આ બંને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેમના મોઢામાંથી સફેદ કલરના ફીણ પણ નીકળી જવા પામ્યા હતા. અન્ય કોઈ બાબત સમજે એ પહેલા તો આ બંને વ્યક્તિના મૃત્યુ થઈ ગયા, ત્યારબાદ માધુરી હાફ્લી ફાફળી થઈને દોડતી દોડતી તેના સાસુ-સસરા પાસે આવે એને કહેવા લાગી કે યાજ્ઞિક તેમજ મિતને મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળી ગયા છે..
અને તેઓ નીચે ઢળી પડ્યા છે, તેઓ કોઈ જવાબ આપતા નથી જ્યારે આ વડીલ સાસુ સસરા આગળની રૂમમાંથી પાછળની રૂમ તરફ પહોંચ્યા અને જોયું તો હકીકતમાં બંને વ્યક્તિને મૃત જોતાની સાથે જ યાગ્નિક ભાઈના પિતા સમજી ચૂક્યા હતા કે, નક્કી આ ઘટના પાછળ માધુરીનો જ હાથ હશે..
એટલા માટે તેઓએ તેમના કાકાના દીકરા લક્ષ્મણને પોતાને ઘરે બોલાવ્યો અને કહ્યું કે, તારે માધુરી ઉપર નજર રાખવાની છે. એટલું કહીને યાજ્ઞિકભાઇના પિતા યાજ્ઞિકભાઇ તેમજ મિત બંનેને મોટરકારમાં લઈને હોસ્પિટલે લઈ જવા માટે દોડવા લાગ્યા હતા, જ્યાં ડોક્ટરે જણાવ્યું કે આ બંને વ્યક્તિના મૃત્યુ ઝેરી દવાની અસરને કારણે થયા છે..
તો બીજી બાજુ લક્ષ્મણે ઘરની અંદર ખૂબ જ વધારે હલનચલન જોઈ લીધી હતી, તેણે નોટિસ કર્યું કે, માધુરી ઘરની અંદર સામાન પેક કરી રહી છે અને તેના પડોશમાં રહેતા ડોક્ટર સાથે સતત વાતચીત કરી રહી છે. આ દ્રશ્ય જોઈને લક્ષ્મણને પણ ખૂબ જ અજુગતું લાગ્યું હતું ,તેને જ્યારે ખબર પડી કે માધુરી ઘર મૂકીને આ ડોક્ટર સાથે ભાગી જવાની તૈયારીઓ કરે છે..
ત્યારે લક્ષમને માધુરીને અટકાવી દીધી હતી અને માધુરી નો પડદાફાશ સૌ કોઈ લોકોની સામે જ થઈ ગયો હતો, હકીકતમાં માધુરી તેના પડોશમાં રહેતા કિશોર નામના ડોક્ટરના પ્રેમ સંબંધમાં જોડાઈ ગઈ હતી. તો બીજી બાજુ આ ડોક્ટર પણ માધુરીને તેનું ઘર મૂકીને તેની સાથે લગ્નજીવન રિક્ષાવવા માટે ફોસલાવતો હતો..
આ ડોક્ટરે થોડા સમય પહેલા માધુરી સાથે અંગત પળો પણ વિતાવી હતી, અને એ વખતે તેને માધુરીને જણાવ્યું હતું કે જો તું મારી થઈ જાય તો પછી આપણે તારા પતિ તેમજ તારા દીકરાને પણ પતાવી દઈશું અને આ ડોક્ટરની વાતમાં ફસાઈ જઈને માધુરી તેના સગા દીકરા અને તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધા હતા..
તેણે એક પણ વાર પોતાના પરિવારજનોનો વિચાર કર્યો નહીં આ ઘટનાને લઈને ઘરની અંદર ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો, કારણ કે ઘરની અંદર એક સાથે બે વ્યક્તિઓના મૃત્યુ થતાં રોકકળનો માહોલ સર્જાઈ ગયો હતો. જ્યારે પરિવારના અન્ય લોકો સુધી આ વાત પહોંચી ત્યારે તેઓ પણ આ વાત ઉપર શરૂઆતમાં તો વિશ્વાસ મૂકી શક્યા નહીં કે..
આખરે માધુરીએ એવું શા માટે કર્યું હશે પોતાના દીકરાને જીવ લેતા એક માતાનો હાથ શા માટે ધ્રુજ્યો નહીં વગેરે જેવા પ્રશ્નો સૌ કોઈ લોકો પૂછી રહ્યા છે, હાલ માધુરી તેમજ આ ડોક્ટર સામે ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]