મોટાભાગના લોકો પોતાના લગ્નજીવનથી ખુશ ખુશાલ હોય છે અને પરિવારજનો સાથે જીવન જીવતા હોય છે. પરંતુ કેટલાક લોકોના નસીબ તેમજ કરતુતોને કારણે તેઓના લગ્ન સંબંધ લાંબો સમય સુધી ટકી શકતા નથી અને કોઈને કોઈ વિધ્ન હોવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલીઓ પણ સહન કરવી પડે છે..
અત્યારે રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી શિવ નગર સોસાયટીમાં એક પરણીતાને કંઈક આવાજ હાલ સહન કરવાનો વારો આવ્યો છે. આ પરણી મહિલા કે જેમનું નામ હીરાબહેન હોવાનું સામે આવ્યું છે. તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના પતિ બીપીનભાઈ તેમની નણંદ શાંતાબેન તેમજ તેના સાસુ સસરા લક્ષ્મણભાઈ અને મીઠી બહેન તેને ખૂબ જ હેરાનગતી પહોંચાડતા હતા..
તેને ફરિયાદમાં વધુ જણાવ્યું હતું કે, તેના પતિ બીપીનભાઈના આ બીજા લગ્ન છે. જ્યારે હીરાબેનના આ પ્રથમ લગ્ન હતા. લગ્નજીવન દરમ્યાન થોડા સમય લગ્નજીવન ખૂબ જ સારું ચાલ્યું હતું. પરંતુ ધીમે ધીમે બીપીનભાઈની દારૂ પીવાની ટેવ સામે આવી હતી. તેઓ દારૂ પીને ઘરે આવતા અને હીરાબેનને મારપીટ કરતા હતા.
તેનો પતિ તેને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતો હતો નહીં. આ ઉપરાંત તેને તેના માતા-પિતા સાથે પણ વાત કરવાની ખૂબ જ મનાઈ કરતો હતો. એક દિવસ જ્યારે હીરાબેન પોતાના માતા-પિતાને ફોન કરતા હતા. ત્યારે બીપીનભાઈ તરત જ તેની પાસે આવ્યા અને તેનો ફોન જૂટવી લીધો અને તોડી નાખ્યો હતો..
તેના સાસુ લક્ષ્મણભાઈ અને મીઠી બહેન પણ વારંવાર તું રસોઈ બરાબર બનાવતી નથી. તેમજ ઘરના કામ પણ સારી રીતે કરતી નથી કહીને મેના ટોણા મારતા હતા. તેના નણંદ પણ તેને હેરાનગતિ પહોંચાડવામાં કોઈ કસર બાકી મૂકતા નહીં તેવો કહેતા કે અમને તમારી સાથે જીવન જીવવાની મજા આવતી નથી..
તને પણ બરાબરનો મેથીપાક ચખાડવો જોઈશે કહીને તેઓ બીપીનભાઈને માર મારવા પર મજબૂર કરતા હતા અને બીપીનભાઈ પોતાની બહેન ની વાતોમાં આવી જઈને પોતાની પત્ની હીરાબહેનને ઢોર મારતા હતા. જ્યારે હીરાબહેન પોતાના સાસરિયાંઓની અ કરતુતોથી કંટાળી ગયા ત્યારે તેઓ પોતાના સાસરે થી પોતાના પિયર પરત આવી ગયા હતા..
જ્યારે તે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે તેના સસરાએ કહ્યું કે, તમે ઘર મૂકીને જાઓ છો. પરંતુ હવે ક્યારેય પણ ઘરમાં પગલું મુકવાની હિંમત કરતા નહીં, તો તેના પતિએ પણ કહ્યું હતું કે તું જતી રહે તો મને કંઈ પણ ફરક નહીં પડે તું મારી બીજી પત્ની હતી અને હવે હું ત્રીજી સાથે પરણી જઈશ..
આવા વેણ વચનો સાંભળતા જ હીરાબેન ખૂબ જ ભાંગી પડ્યા હતા કે, આખરે તેમની કોઈપણ પ્રકારની ભૂલ નથી. છતાં પણ તેમને ખૂબ જ માઠું સહન કરવું પડી રહ્યું છે. આ ઉપરાંત પરિવારના લોકો તો હંમેશા તેમનો જ વાંક કાઢી રહ્યા છે. આ સાથે સાથે સ્નેહીજનો પણ તેમના વિશે હવે શું વિચારશે..? કહીને તેઓ ખૂબ જ મૂંઝાઈ ગયા હતા. પણ પરંતુ તેઓ પોલીસ સ્ટેશનને હાજર થઈ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]