અવારનવાર સમાજમાં લોકોના આર્થિક અને માનસિક ત્રાસથી કંટાળીને બનતા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. પોલીસ વિભાગના કર્મચારીઓ લોકોની સેવા કરવા માટે સતત કાર્યરત રહેતા હોય છે પરંતુ હાલમાં એક મહિલા કોન્સ્ટેબલ સાથે એવી ગંભીર ઘટના બની હતી કે, જે જોઈને દરેક લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા.
આ ઘટનાદમોહમાં રહેતી મહિલા કોન્સ્ટેબલ સાથે બની હતી. મહિલા કોન્સ્ટેબલનું નામ જ્યોતિ ચધર હતું. તેમની ઉંમર 30 વર્ષની હતી. જ્યોતિના લગ્ન 2019 માં વિદિશામાં રહેતા એસ.એસ.એફ જવાન અમિત ચધર સાથે થયા હતા. બંનેએ પોતાની લગ્નની જિંદગીને ખૂબ જ સારી જીવી રહ્યા હતા અને બંનેની લાઈફ ખૂબ જ સારી ચાલતી હતી.
જ્યોતિના પિયરના લોકો જ્યોતિ સાથે ખુબ જ હળીમળીને રહેતા હતા. જ્યોતિ 2012 માં કોન્સ્ટેબલની ભરતીમાં પાસ થઈ હતી. જેના કારણે તેની કોન્સ્ટેબલમાં ભરતી થઈ હતી. જ્યોતિ ત્રણ બહેનોમાં બીજા નંબરે હતી. મોટી બહેન પન્ના કોર્ટમાં પોસ્ટેડ છે. જ્યારે નાની બહેન તેમની માતા સાથે રહે છે. જ્યોતિના પિતા ચતુર્ભુજ તેમની ઉંમર 50 વર્ષની હતી.
તેમનું ફરજ દરમ્યાન ગોળી વાગવાને કારણે અવસાન થયું હતું. જ્યોતિના પિતા પોલીસ લાઈનની શસ્ત્ર શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. જ્યોતિના લગ્નમાં તે પોતાના સાસરીયે રહેવા જતી રહી હતી. મોટી બહેન જ્યોતિને ફોન કરીને તેમના સમાચાર પૂછતી હતી. લગ્ન જીવન બાદ જ્યોતિ અને તેમના પતિ અમિત ભાઈ ખુબજ ખુશ હતા.
જ્યોતિ દમોહના નોટા પોલીસ સ્ટેશનમાં લેડી કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવતી હતી. થોડા દિવસોથી ખુબ જ તણાવમાં રહેતી હતી. બે મહિના પહેલા એક દીકરાને જન્મ આપ્યો હતો, ત્યારે તેમની ખુશી ખૂબ જ વધી ગઈ હતી. દરેક પરિવારના લોકો ખૂબ જ ખુશ હતા પરંતુ દીકરાના જન્મના થોડા દિવસો પછી અચાનક જ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું.
દીકરાના મૃત્યુના આઘાતને કારણે જ્યોતિ ખૂબ જ તણાવમાં રહેતી હતી અને તે બીમાર પડી ગઈ હતી. ત્યારબાદ જ્યોતિના સાસરીના લોકો આરોપ કરી રહ્યા હતા કે તેમ જ્યોતિની બેદરકારીને કારણે તેમના દીકરાએ જીવ ગુમાવ્યો છે, જેના કારણે જ્યોતિ ખૂબ જ ચિંતામાં રહેતી તે પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી.
પરંતુ સરકારી કવોટરમાં કોઈ કામ હોવાને કારણે તે પોતાની ફરજ પર પાછી આવી હતી. ત્યારબાદ અચાનક સાંજના સમયે તેમણે પોતાના પતિ સાથે ફોન પર વાત કરી હતી અને તે પોતાની માતાને કોઈપણ વાત જણાવ્યા વગર સીધી પોતાના પોલીસ સ્ટેશનને ફરજ પર જવા માટે નીકળી ગઈ હતી. જેના કારણે માતાએ તેમને પહોંચી જાય ત્યારે ફોન કરવા માટે કહ્યું હતું.
પરંતુ જ્યોતિએ કોઈ પણ ફોન કર્યો ન હતો અને તેમના પતિએ પણ વારંવાર ફોન કર્યા હતા છતાં પણ જ્યોતિ ફોન ઉપાડી રહી ન હતી. જ્યોતિના પરિવારના લોકો ખૂબ જ ચિંતામાં તેમની બહેન પણ અવારનવાર ફોન કરી રહી હતી પરંતુ જ્યોતિએ ફોન ઉપાડ્યો ન હતા. ત્યારબાદ જ્યોતિના પતિ અમિતે તેમના પાડોશીને જ્યોતિના ક્વોટરમાં જવાનું કહ્યું હતું.
તેમના પાડીસી જ્યારે કોટરમાં પહોંચીને તેમણે દરવાજો ખોલ્યો ત્યારે જ્યોતિ એવી હાલતમાં જોવા મળી કે તે જોઈને ત્યાંને ત્યાં જ બેસી ગયો હતો. જ્યોતિએ લટકીને આપઘાત કરી લીધો હતો. જેના કારણે જ્યોતિ લટકતી હાલતમાં જોવા મળી હતી અને તેમની જ્યોતિની નાની બહેન પણ જયોતિને સતત ફોન કરી રહી હતી.
ત્યારબાદ પરિવારના લોકોને જ્યોતિના આ વાતની જાણ કરવામાં આવી હતી. જેના કારણે જ્યોતિની મોટી બહેનએ પોતે જ્યોતિના સાસરિયાંઓના સાસુ અને તેમના પતિ સામે આરોપ લગાવ્યા હતા. તેમણે પોતાની બહેનની અનવર ટોણા માર્યા હતા અને ‘તું જાડી થઈ ગઈ છે, તું બિલકુલ સુંદર લાગતી નથી, તેમ કહીને ત્રાસ આપતા હતા’.
પરંતુ જ્યોતિના પતિ અમિતનું કહેવું હતું કે, તે પોતાની પત્નીને ખૂબ જ સારી રીતે સાચવી રહ્યો હતો અને જ્યોતિએ તેમના બાળકના મૃત્યુ બાદ તણાવને કારણે આ પગલું ભર્યું હોવાની વાત જણાવી હતી. નોટા પોલીસ સ્ટેશનમાં તેના કોન્સ્ટેબલ સરકારી ક્વોટરમાં જ આ ઘટના બની હોવાને કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]