નજીવી વાતચિત કર્યા બાદ કોઈપણ વ્યક્તિ ઉપર મન મૂકીને વિશ્વાસ કરી દેવો ખૂબ જ ખોટી બાબત કહેવાય છે. કારણ કે આજકાલના સમયની અંદર દરેક વ્યક્તિ પોતાનો સ્વાર્થ જુએ છે અને સ્વાર્થ અનુસાર જ વાતચીત અને સંબંધો પણ રાખે છે. અત્યારે દરેક માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે…
જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા છે. અત્યારે સોશિયલ મીડિયાનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. આજકાલના જુવાન ઉંમરના યુવક યુવતીઓ પણ આખો દિવસ સોશિયલ મીડિયા વાપરે છે. પરંતુ સોશિયલ મીડિયાના કારણે જ તેમની સાથે છેતરપિંડી પણ થઈ જતી હોય છે..
અથવા તો કોઈ મોટી મુશ્કેલીમાં પણ ફસાઈ જવાનો વારો આવે છે. રજની સોસાયટીની અંદર રહેતી પ્રિયંકા નામની 20 વર્ષની યુવતી સોશિયલ મીડિયાના મારફતે એક યુવક સાથે સંપર્કમાં આવી હતી. આ યુવક અન્ય રાજ્યનો હતો. પરંતુ તેણે આ યુવતીને પોતાની વાતોમાં એવી રીતે ફસાવી દીધી કે, આ યુવતી પોતાનું ઘર મૂકીને એ યુવકને મળવા માટે ટ્રેન પકડીને નીકળી પડી હતી…
આ યુવક અવારનવારે યુવતીને કહેતો હતો કે, તું એકવાર મળવા માટે તો આવ. હું તને કરોડપતિ બનાવી દઈશ અને રાણીની જેમ રાખીશ. બસ આ શબ્દોથી ખુશ બનીને આ યુવતી એ યુવકને પ્રેમ કરી બેઠી અને તેને મળવા માટે તેના વતને જવા માટે નીકળી પડી હતી. પરંતુ આ નરાધમ યુવક હકીકતમાં યુવતીને કોઈ પણ પ્રકારનો પ્રેમ કરતો હતો નહીં..
તેણે માત્ર આ યુવતીની ઉપર બાદઈરાદો રાખીને ન કરવાનું કરવા માટે જ તેને પોતાની પાસે બોલાવી હતી. જ્યારે આ યુવતી તેને મળવા માટે પહોંચી ત્યારે આ યુવક શહેરની એક નામચીન હોટલની અંદર આ યુવતીને લઈ ગયો હતો. જ્યાં ડિનર અને કોલ્ડ્રીંક્સ પીવડાવ્યા બાદ તેને રૂમમાં લઈ જઈ તેની સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા..
જ્યારે આ યુવતી યુવકની જાળમાંથી બહાર નીકળવા માંગતી હતી. પરંતુ તે નીકળી શકી નહીં અને ખૂબ જ ખરાબ પરિણામોનો ભોગ બની ગઈ હતી. હેમ ખેમ કરીને તે આ યુવકની જાળમાંથી બચી ગઈ અને તાબડતોબ નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને જણાવ્યું કે, આ યુવકે તેને સોશિયલ મીડિયાના મારફતે વાતચીત કરીને અહીં બોલાવી હતી..
પરંતુ અહીં આવતાની સાથે જ તેણે હોટલમાં લઈ જઈને તેની સાથે ન કરવાના કારનામા કરી નાખ્યા છે. આ યુવતીએ તેનું ઘર પણ છોડી દીધું હોવાથી હવે તે તેના માતા પિતાને શું મોઢું દેખાડશે તે વિચારવા લાગી છે. તો બીજી બાજુ પોલીસની ગાડીઓ તાત્કાલિક ધોરણે દોડતી થઈ હતી અને આ નરાધમ યુવકને પકડી પાડવા માટે ટીમો પણ બનાવી નાખી હતી..
આ ઘટના સામે આવ્યા બાદ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. ઘટના સામે આવ્યા બાદ લોકો કહેવા લાગ્યા છે કે આજકાલના દરેક માં-બાપે તેમના દીકરા અને દીકરીઓ મોબાઈલના મારફતે શું કામ કરી રહ્યા છે તે જાણી લેવું જોઈએ કારણ કે મોબાઈલના મધ્યામથી જ અત્યારના બાળકો પરિવારથી દુરી બનાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]