પિતાનું ઘર મૂકીને સાસરે જતી દીકરીને તેના સાસરીયે પોતાનું મન લગાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે નવા લોકોની સાથે નવી જિંદગી શરૂ કરવામાં ઘણી બધી વાર લાગી જતી હોય છે. એકબીજાના મનમાં મન પરોવીને જીવન જીવવાની કળા માત્ર વહુ પાસે જ હોય છે, અને તેઓ ઘણી બધી આપવીતી સહન કરીને પણ સાસરે જીવન જીવવા માટે તૈયાર થઈ જતી હોય છે..
પરંતુ અત્યારે એક નવી પરણેલી વહુ સાથે એવી ઘટના બની ગઈ કે, તેને તાત્કાલિક ધોરણે લગ્ન જીવન તોડી નાખ્યું હતું. આવી ઘટનાઓ સમાજના દરેક લોકોએ વાંચવી જોઈએ અને પોતાના દીકરા કે દીકરીને સમજાવાની કોશિશ કરવી જોઈએ, આ સાથે સાથે આ લેખમાંથી ઘણી બધી શીખ લેવાની પણ દરેક લોકોએ ખાસ જરૂર છે..
આ ચોકાવનારી ઘટના ફારુક કોલોનીની પાછળ આવેલી શેષનાગ કોલોનીનો છે, આ કોલોનીમાં ચંદ્રેશ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેના પિતા હસમુખભાઈ તેની માતા રંજનબેન તેમજ તેની પત્ની ભૂમિકાનો સમાવેશ થતો હતો, ભૂમિકા અને ચંદ્રેશના લગ્ન થયા તેના માત્ર છ મહિના જ વિતયા હતા..
અને આ છ મહિનાની અંદર અંદર ઘરનું વાતાવરણ એવું બની ગયું કે, ભૂમિકાએ આ લગ્નજીવન ઠુકરાવી દઈને પોતાના પીયરે પાછી ચાલી ગઈ હતી, જ્યારે કોઈ નવી પરણેલી વહુ સાથે રહેવા માટે આવે છે, ત્યારે એક સાસુની જવાબદારી હોય છે કે તે નાનાથી મોટી દરેક ચીજ વસ્તુઓની પરખ તેના દીકરાની વહુને કરાવે..
આ ઉપરાંત ઘણા કામકાજોમાં મદદ પણ કરે અને ઘર કેવી રીતે ચલાવવું જોઈએ તેમ જ કામકાજમાં કેવી રીતે ઉકેલ લાવવો જોઈએ તેની પણ દરેક માહિતી અને સમજણ આપી ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ અત્યારે એક સાસુએ તેની દીકરાની વહુ ને સાથે એવી ઘટના ના યોગ બનાવી દીધા હતા કે, બિચારી વહુ પોતાનો સાસરુ મૂકીને પિયરે જવા માટે મજબૂર બની ગઈ હતી..
ભૂમિકા જ્યારથી લગ્ન કરીને તેના સાસરે આવી હતી, ત્યારથી જ રંજનબેન તેના દીકરાની વહુ ભૂમિકાને કહેવા લાગતી કે, તારામાં અક્કલનો છાંટો નથી. તેને રસોઈ બનાવતા પણ નથી આવડતી, તેમજ તેને ઘરકામ કરવામાં પણ કશી ખબર પડતી નથી. ભૂમિકાએ જણાવ્યું કે તે કોલેજ નો ખુબજ ઉચ્ચ અભ્યાસ કરતી હતી..
અને જ્યારે તેનો અભ્યાસનો સમય ચાલતો હતો ત્યારે ઘરકામની બાબતોમાં તેનું ધ્યાન ખૂબ જ ઓછું રહેતું હતું, તેને ઘરકામની બાબત એટલી બધી ફાવતું નથી. પરંતુ તેને ઘરે બેસીને ઓનલાઈન જોબ કરી લાખો રૂપિયા નો પગાર લેતા જરૂર આવડે છે. તેની સાસુ રંજનબેન ને પોતાની દીકરાની વહુ ક્યારેય પણ ગમતી નહીં..
કારણકે ઘરકામની અંદર તેના દીકરાની વહુ થોડી કાચી હતી, એક વખત ભૂમિકા શાક લેવા માટે ગઈ અને ખૂબ જ વધારે રૂપિયા નો ખર્ચ થઈ જવાને કારણે રંજન બેને તેના દીકરાની વહુને પ્રેમથી સમજાવાને બદલે જોરજોડથી બૂમ બરાડા નાખી તેની સાથે લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા અને કહેવા લાગી કે તું આટલું મોંઘું શાક શા માટે લઈને આવી છો..
તને શાકભાજી લેતા પણ આવડતું નથી, આટલા રૂપિયાની અંદર હું બે વખત શાક લઈને આવી જાવ, તો બીજી બાજુ ભૂમિકા એ જણાવ્યું કે આ બધી બાબતો તેના માટે ખૂબ જ નવી છે. ઘરમાં રસોઈથી માંડીને કામકાજની સાથે સાથે ઘણી બધી ચીજ વસ્તુઓનું પણ ધ્યાન રાખવું આ બધી બાબતોમાં તે ધીમે ધીમે શીખી રહી છે..
હવે તેનાથી ક્યારેય પણ ભૂલ નહીં થાય, પરંતુ રંજન બેને પોતાના દીકરાની વહુની આ વાતને સમજવાને બદલે તેના ઉપર હાવી થઈને તેની સાથે લડાઈ ઝઘડો કરવા લાગી હતી, આ લડાઈ ઝગડો એટલો બધો હાવી બની ગયો કે, રંજન બેને તેના દીકરાની વહુને એક તમંચો પણ મારી દીધો હતો..
બસ આ દ્રશ્યને લઈને ભૂમિકાને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું, અને તે પોતાનો સામાન પેક કરીને પોતાના પિયરે જવા માટે નીકળી પડી હતી, ભૂમિકાએ તેના પતિને પણ ફોન કરીને જણાવી દીધું કે, તમારી માતાએ મને ખૂબ જ હેરાન પરેશાન કરી નાખી છે. એક નવી વહુને જેવી રીતે ઘરની તમામ બાબતો શીખવી જોઈએ તેવી બાબતો શીખવાને બદલે તમારી માતા મારા ઉપર હાવી થઈને..
રોજબરોજ મારી સાથે લડાઈ ઝઘડો કરી રહી છે, આ લગ્નજીવન હવે હું લાંબો સમય સુધી ટકાવી શકીશ નહીં કારણકે રોજબરોજની આ હેરાનગતિ મને પોસાશે નહીં, હું ખૂબ જ વધારે ભણેલ ગણેલ અને શિક્ષિત છું. હું વ્યવસાયને પણ ચલાવી શકવાની ક્ષમતા ધરાવું છું, પરંતુ તમારી માતા મારી સાથે નાની નાની બાબતોમાં લડાઈ ઝઘડો કરવા લાગી છે..
આ ઘટના જ્યારે સામે આવી ત્યારે સોસાયટીમાં પણ હંગામો મચી જવા પામ્યો હતો, સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, રંજનબેનની ભૂલ ના કારણે તેના દીકરાની વહુ ઘર મૂકીને ચાલી ગઈ છે. આ ઘટનાને લઈને ચંદ્રેશભાઇ તેમજ ચંદ્રેશભાઇના પિતા હસમુખભાઈને પણ મોટું નીચે કરીને ચાલવાનો વારો આવી ગયો હતો..
રંજનબેનની એક ભૂલના કારણે તેના દીકરાનું લગ્ન જીવન તૂટી જવા પામ્યું હતું. આવી ઘટનાઓ અન્ય કોઈ વ્યક્તિ સાથે ન બને એટલા માટે દરેક લોકોની જાગૃતતા હોય એ ખૂબ જ જરૂરી છે, પરંતુ આજકાલના સમયની અંદર નાની નાની બાબતોમાં લગ્નજીવન તૂટી રહ્યા છે, જે ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]