કોરોનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમજ કેટલાક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેથી તેમને આખી જિંદગી પછતાવાનો વારો આવ્યો છે. કોરોના ની પ્રથમ લહેર અને દ્વિતીય લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે પરંતુ હવે કોરોના ની ત્રીજી લહેરાવવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ રહી છે..
કારણ કે ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ના કેસો માં ઘટાડો થઈ રહ્યો છે. શરૂઆતના દિવસોમાં રાજ્યમાં કોરોના ના ઘણા કેસો જોવા મળતા હતા. તે સમયમાં કોરોનાથી સાજા થવાના દર્દીઓની સંખ્યા પણ ઘણી ઓછી હતી. પરંતુ હાલના સમયમાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા માં ખૂબ જ ઘટાડો નોંધવામાં આવ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ફક્ત નવા ૨૬ કે જોવા મળ્યા છે તેમજ 22 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પાછા જવા માટે તૈયાર થઈ ગયા છે. પરંતુ ચીનથી શરૂ થયેલા આ કોરોના વાયરસ ફરી એક વખત ચીનમાં જ આતંક ફેલાવા લાગ્યો છે. ચીનમાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થતો જાય છે.
તેમજ ખુબ જ મોટા પ્રમાણમાં લોકોએ જીવ ગુમાવતા રહ્યા છે. ચીનમાં આવેલી એક યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી ગયું છે. જેથી તેજ યુનિવર્સિટીના ૧૫૦૦ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને ત્યાં જ એક આઇસોલેશન વોર્ડમાં કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ પેદા થઈ રહ્યો છે.
ચીનના દાલિયાન પ્રાંતમાં નોર્થ વેસ્ટર્ન સિટીમાં ઝુંગાજી યુનિવર્સિટી આવેલી છે. જ્યાં ગયા રવિવારના દિવસે કોરોના ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેના રિપોર્ટ દરમિયાન જાણવા મળ્યું કે તે યુનિવર્સિટીના લગભગ ૧૫૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ છે. આ ખબર મળતા જ તે યુનિવર્સિટીના કેમ્પસ ને સીલ કરી દેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાકીના વિદ્યાર્થીઓને હોસ્ટેલ પરત મોકલી દેવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ પોતાનો ઓનલાઇન અભ્યાસ શરુ રાખી શકે. ચીનમાં વધી રહેલા કોરોના ના કેસો ને કારણે ચીનની સરકાર પણ હવે સતર્ક થઈ ગઈ છે. તેઓ જે વિસ્તારમાં પણ થોડા ઘણા કોરોના ના કેસો જોવા મળે ત્યાં તરત જ lockdown લગાવી દે છે.
ચીનના લોકો કવોરેન્ટી,કોરોના ટેસ્ટિંગ તેમજ ટ્રાવેલ પર રજીસ્ટ્રેશન સામાન્ય બાબત થઈ ગઈ છે. આ ઉપરાંત કોરાની આ સ્થિતિને કાબૂમાં રાખવા માટે વેક્સિનેશન અભિયાન પણ ખૂબ જ જોશમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત કોરોના ને કાબુમાં લાવવા માટે અહીંની સરકારે રેકઝીનના બુસ્ટર ડોઝ ની પણ તૈયારી કરી રાખી છે.
તેમજ ઘણા કડક કાયદાઓ પણ બનાવ્યા છે જેમકે ચીન ની રાજધાની બેઈજિંગ માં કોઈ યાત્રીએ પ્રવેશ મેળવવો હોય તો તેનો પોતાનો ૪૮ કલાક જુનો કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે એવો જ જરૂરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]