ઘણીબધી વાર માતા પિતા માટે એટલું બધું દુઃખનો સામનો કરવાની પરિસ્થિતિ આવી પડે છે કે. આવું દુઃખ સહન કરનાર વ્યક્તિ ભાંગી જતા હોય છે. અત્યારે પાલી જિલ્લામાં આવેલા લાંબીયા ગામમાં એક માતા પિતા તેની બંને જુડવા દીકરી અને બે વર્ષના દીકરાને ખેતરમાં રમતા મૂકીને સવારના સમયે બીજાના ખેતરમાં મજૂરી કામ કરવા માટે જતા રહ્યા હતા..
તેઓ જુદા-જુદા ખેતરોમાં મજૂરી કામ કરી અને તેમના ત્રણેય સંતાનોને ભરણપોષણ કરી જીવન ગુજારતા હતા. તેઓ તેમના ત્રણે બાળકોના ભવિષ્ય માટે રાત દિવસ મહેનત કરતા હતા. પરંતુ તેમને શું ખબર કે તેમના જ ઘરે ખૂબ જ મોટી આફત આવવા જઈ રહી છે. એક દિવસ તેઓ સવારના સમયે જ પોતાના ત્રણે બાળકોને ખેતરમાં રમતા મૂકીને બીજાના ખેતરમાં મજૂરી કામ કરવા માટે જતા રહ્યા હતા..
પરંતુ જ્યારે તેઓ સાંજે પોતાના ઘરે પરત આવ્યા ત્યારે તેમના ત્રણેય સંતાનો હસતા ખેલતા જોવાને બદલે ત્રણે સંતાનોની લાશ જોવાનો વારો આવ્યો હતો. જ્યારે મા બાપ ખેતર મૂકીને જતા રહ્યા ત્યારે બે જુડવા દિકરી જેમાં છ વર્ષની પ્રિયંકા અને દુર્ગાનો સમાવેશ થાય છે. તે તેના બે વર્ષના ભાઈ ધીરજ સાથે રમતા હતા..
રમતા રમતા જ્યારે બપોરનો સમય થઈ ગયો ત્યારે ખેતરની પાસે આવેલી એક તલાવડીની અંદર તેઓ પાણીમાં નહાવા માટે ઉતર્યા હતા. તેઓ હંમેશાં નીચે માં તલાવડીના કાંઠે ખૂબ જ છીછરા પાણીની અંદર નાહવા માટે પડતા હતા. પરંતુ આ વખતે નાહતા નાહતા તેઓ ખૂબ જ ઊંડા પાણીમાં ચાલ્યા ગયા અને એક પછી સંતાનો પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા..
ત્યારે આ દ્રશ્ય ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ જોયું ત્યારે તે બૂમા બુમ કરવા લાગ્યો અને આ બાળકોને બચાવવા માટે તલાવડીમાં કૂદી ગયો પરંતુ તે કૂદે એ પહેલા તો આ ત્રણેય બાળકોએ જીવ ગુમાવી દીધો હતો. ત્યારબાદ ગ્રામીણ વ્યક્તિઓની મદદ લઈને આ ત્રણેય બાળકોની લાશને બહાર કાઢવામાં આવી હતી..
આ બાળકોના માતા પિતાને જાણકારી પહોંચાડવા માટે ફોન કરવો જરૂરી હતો. પરંતુ મા-બાપમાંથી કોઈ પણ વ્યક્તિ પાસેથી મોબાઇલ ફોન ન હોવાથી તેમને આ સમાચાર આપી શક્યા નહીં અને જ્યારે તેઓ મજૂરી કામ કરીને રાત્રે પરત આવ્યા ત્યારે તેમની આ સમાચાર મળ્યા હતા ગામના લોકોએ આ ઘટનામાં ખૂબ જ સહકાર આપ્યો હતો..
આ ત્રણેય સંતાનોને તેઓ માંગડ પાસે આવેલી એક હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. બીજાના માં બાપ માટે દુઃખની આગળની સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. કારણ કે એક જ ઝાટકે તેમના પરિવારના ત્રણે ત્રણ સંતાનોના જીવ ચાલ્યા ગયા હતા. હવે આ માં-બાપ એકલવાયુ જિંદગી જીવીને શું કરશે..? અને કેવી રીતે આગળનું જીવન પસાર કરશે..?
તે વિચારવા મજબૂર બન્યા હતા. ગામના લોકો પણ એક જ સાથે ત્રણ બાળકોના મૃત્યુ થવાને કારણે શોકમાં ડૂબી ગયા હતા. સૌ કોઈ લોકોએ હિબકે ચડીને ત્રણેય બાળકોને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. હજુ પણ આ ત્રણેય બાળકોના દુઃખના આઘાતમાંથી બહાર આવ્યા નથી ભગવાન તેમને આ દુઃખની ઘડી સહન કરવાની તાકાત આપે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]