રોજબરોજ પરિવારમાં ચાલતા પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓ થયાના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. સાથે-સાથે પતિ-પત્ની તેમના અંગત વ્યક્તિઓને છોડીને બીજા વ્યક્તિઓ સાથે સંબંધ બનાવી રહ્યા છે અને તેમની સાથે ભાગી રહ્યા છે. આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. જેમાં વધુ એક ઘટના હાલમાં એવી બની હતી.
જે જાણીને દરેક લોકો ચોકી ગયા હતા. આ ઘટના જમશેદપુર વિસ્તારમાં બની હતી. સોનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવી લાઈન પાસે આવેલી પંચવટી નગરીમાં એક પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને તેમના 3 બાળકો રહે છે. મહિલાનું નામ મીના છે. મીનાના પતિનું નામ કેવલ છે. તે બંનેને ત્રણ બાળકો છે.
જેમાં બે દીકરા અને દીકરી છે. ત્રણે બાળકો તેમના પિતાના ખૂબ જ પ્રિય હતા પરંતુ કેવલને તેના જ વિસ્તારમાં રહેતી એક અન્ય યુવતી સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ થઈ ગયો હતો. જેના કારણે કેવલ તેમની પત્ની અને બાળકોને છોડીને આ યુવતી સાથે રહેવા જવામાં આવતો હતો. મીના અને તેમનો પતિ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.
અને પતિ પરિવારનું ભરણ પોષણ કરતો હતો પરંતુ એક દિવસ કેવલ સવારના સમયે ઘરની બહાર નીકળ્યો હતો ત્યારબાદ બપોર થતા તે પરત ન આવતા તેમની પત્ની મીનાએ પતિને શોધ્યો હતો. તે સમયે જાણવા મળ્યું કે તેના પતિને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તે યુવતી પણ કશે મળી ન હતી અને યુવતી પણ ગાયબ હતી.
જેના કારણે પત્નીને શંકા હતી કે તેમનો પતિ આ યુવતી સાથે ભાગી ગયો હશે અને તેમનો એક દીકરો પણ દેખાઈ રહ્યો ન હતો. જે તેના પિતા સાથે ગયો હતો. પિતા તેમના એક દીકરાને લઈને તેની પ્રેમિકા સાથે ભાગી ગયો ત્યારબાદ મીના પોલીસ સ્ટેશનમાં જઈને તેમના પતિની સામે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ મદદ કરવાની બદલે કહી રહી હતી.
કે કોર્ટમાં ફરિયાદ કરો અને પછી અમે જોઈશું. જેના કારણે મહિલા મીના કોર્ટમાં કેસ દાખલ કરવા માટે ગઈ હતી ત્યારે તે કેટલા બધા કેટલાક વકીલોને મળી હતી અને વકીલોએ મીના પાસે રૂપિયાની માંગણી કરી હતી. મીના પાસે રૂપિયા ન હતા. મીના પાસે તેમના બાળકોનું ભરણ પોષણ કરવાના પણ રૂપિયા ન હતા. જેના કારણે મીના અને તેમના બાળકો વારંવાર દરેક લોકોને અપીલ કરી રહ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]