Breaking News

તીખા તમતમતા મચ્યુરીયને લીધો 50 વર્ષના આધેડનો જીવ, આખી ઘટના જાણીને ભલભલા લોકોના મરી ગયા મોતિયા, જાણો..!

નાની નાની બાબતોમાં ઉગ્ર થઈને ગુસ્સો કરવો એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે. તેમજ તાત્કાલિક ધોરણે આવી જતા ગુસ્સામાં માણસ શું કરી બેસે તેનું નક્કી હોતું નથી, ગુસ્સો માણસનું હંમેશા પતન જ કરાવે છે. અમદાવાદના વસ્ત્રાલમાં થોડા દિવસ પહેલા દીપક ચાવડા નામના 50 વર્ષના વ્યક્તિની લાશ તેના ઘરમાંથી જ મળી આવી હતી..

દિપક ચાવડા સાતમ આઠમની રજા માં પોતાના બાળકો તેમજ પત્નીની સાથે ફરવા માટે ગયો હતો. ત્યારબાદ તે તેની પત્નીને પિયરમાં મૂકી આવ્યો અને પોતે એકલો જ પોતાના ઘરે પરત આવ્યો હતો. તેઓ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સુંદર આવાસ યોજનામાં રહે છે. તેમની બાજુમાં બાબુ મરાઠી તેમજ સુરેશ મરાઠી પણ રહે છે..

તે જ્યારે ઘરે એકલો હતો ત્યારે બાબુ મરાઠી અને તેના પિતા સુરેશ મરાઠી બંને તેમના ઘર નીચે પડેલી રિક્ષામાં બેસીને મનચુરીયન ખાઈ રહ્યા હતા. એવામાં બાબુ મરાઠીથી થોડુંક અમથું મનચુરીયન આ રીક્ષાની અંદર ઢોળાઈ ગયું હતું. જેના કારણે દિપક પીતો ગુમાવી બેઠો હતો અને ગાળા ગાળી કરવાનું શરૂ કરી દીધું હતું..

જોતામાં જ દીપક અને બાબુ તેમજ સુરેશ વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો હતો. એવામાં દીપક ચાવડાએ બાબુ મરાઠીને લાફો પણ મારી દીધો હતો. પરંતુ સુરેશ મરાઠીએ વચ્ચે પડીને આ તમામ સમાધાન કરાવી દીધું હતું. અને ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. પરંતુ બાબુ મરાઠીને આ લાફો ખૂબ જ અંદર સુધી ખૂંચ્યો હતો..

તે વિચારી રહ્યો હતો કે મને મારા પિતાની નજર સામે જ લાફો મારી દીધો, હવે હું આ યુવકને મુકીશ નહીં. દિપક ચાવડા પોતાને ઘરે જઈને સુઈ ગયો હતો. એવામાં બાજુમાં રહેતો બાબુ મરાઠી ઘોડિયાનો પાયો લઈને દિપકના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેને માથાના ભાગે ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો..

ત્યારબાદ તેની લાશને ત્યાં ને ત્યાં જ પડી રહેવા દીધી હતી. અને પોતે ભાગી ગયો હતો. જ્યારે બીજા દિવસે દીપક ચાવડાનો જન્મદિવસ હોવાથી તેની પત્નીએ તેને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું વિચાર્યું હતું. પરંતુ દિપક ચાવડા ફોન ઉચકતો ન હોવાથી બીજે દિવસે જ્યારે દિપક ચાવડાની પત્ની ઘરે આવી અને દરવાજો ખોલતા જોયું તો તેની લાશ મળી આવી હતી.

હાલ પોલીસે બાબુ મરાઠીને પકડી પાડ્યો છે. તેની કડક પુછપરછમાં તમામ બાબતો સામે આવી છે કે, આ હ.ત્યા. માત્ર એક મનચુરીયન ધોવાઈ જવાને કારણે જ બની છે. એક મંચુરિયન એક વ્યક્તિનો જીવ લીધો છે એમ પણ કહી શકાય. સાવ સામાન્ય બાબતમાં બાબુ મરાઠી પિત્તો ગુમાવી બેઠો અને દીપક ચાવડા ની .હ.ત્યા. કરી નાખી હતી..

જો તેઓએ સમાધાન કરી નાખ્યું હોય ત્યારબાદ પણ અંગત અદાવત રાખી બાબુ મરાઠી એ ખૂબ જ મોટું પગલું ભરી લીધું હતું. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની પણ તાજવીજરી છે. આ સાથે આ .હ.ત્યા.ના. કેસમાં માત્ર આ એક જ ઝઘડો જવાબદાર છે કે અન્ય કોઈ ઝઘડાઓ પણ ભાગ ભજવી રહ્યા છે. આ તમામ બાબતોની તપાસ ચલાવવામાં આવી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *