Breaking News

તીખા સ્વભાવની પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને યુવકે સલ્ફાસના ટીકડા પીઈને આપઘાત કરી લીધો..!

રોજબરોજ ઘણા બધા વ્યક્તિઓ મુશ્કેલીઓ સહન કરતા હોય છે, જીવનમાં સુખ અને દુઃખની ઘડી તો દરેક વ્યક્તિઓ સાથે આવતી અને જતી રહેતી હોય છે. એ સુખની ઘડીમાં ક્યારેય પણ બહુ વધારે પડતું આવેશમાં આવી જવું ન જોઈએ અને દુઃખની ઘડીમાં ખૂબ જ વધારે દુઃખી પણ થવું જોઈએ નહીં..

હાલ હાલ એક યુવકે દુઃખથી કંટાળીને આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે, આ બનાવો મધ્યપ્રદેશના ગુના જિલ્લાના કુંભરાજ વિસ્તાર પાસે રહેતા મહેશ નામના યુવક સાથે બન્યો છે. મહેશ તેની પત્ની અને તેના સાસુ સસરાને લઈને ખૂબ જ હેરાન પરેશાન હતો..

છેલ્લા ઘણા સમયથી તેની પત્ની તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડતી હતી, મહેશ સ્વભાવનો ખૂબ જ ભોળો હોવાને કારણે તેને તેની પત્નીની કાળી કરતુતો સહન કરવાનો વારો આવી જતો હતો, મહેશની પત્ની અવારનવાર પૈસાની માંગણી કરીને મહેશને માર પણ મારવા લાગતી હતી..

તો બીજી બાજુ બિચારો ભોળો પતિ તેની પત્ની સામે ખૂબ જ લાચાર બની જતો હતો, મહેશના સાસુ સસરાએ પણ મહેશને જણાવ્યું હતું કે, જો તમે પિયરમાં પૈસા નહીં પહોંચાડો તો અમે તમને જીવતા નહીં રહેવા દઈએ, મહેશ તેની પત્નીની રોજબરોજની હેરાનગતિથી કંટાળી ગયો હતો..

તેણે ઘણી બધી વાર તેની પત્નીને કહેવાની કોશિશ કરી કે, તે ખૂબ જ શાંતિથી જીવન જીવવા માંગે છે. પરંતુ તું અને તારા માતા પિતા મને ક્યારેય પણ સુખ શાંતિથી રહેવા દેતા નથી. તમે છેલ્લા દસ વર્ષથી મને હેરાન પરેશાન કરી રહ્યા છો. પોતાની સાથે રોજબરોજની જિંદગીમાં બનતી દરેક વાતો મહેશ તેના કાકા ના દીકરાને જણાવતો હતો..

અને એક દિવસ તેને કહ્યું હતું કે, જો મારી પત્ની મને હેરાનગતિ કરવાનું નહીં મૂકે તો હું એક દિવસ જીવન ટૂંકાવી દઈશ અને ત્યારબાદ તમામ આરોપો મારી પત્ની ઉપર લાગશે, મારી પત્ની તેમજ મારી પત્નીના મા-બાપને પણ કડકમાં કડક સજા થવી જોઈએ. કારણ કે તેણે મને ખૂબ જ હેરાન પરેશાન કર્યો છે..

મારો સ્વભાવ ખૂબ જ સરળ હોવાને કારણે હું કશું બોલી શકતો નથી, અને તેમને કોઈ જવાબ પણ આપી શકતો નથી. પરંતુ મારી આ મજબૂરીનો તેઓ ફાયદો ઉઠાવી રહ્યા છે, દિન પ્રતિદિન વધતી જતી આ હેરાનગતિને કારણે એક દિવસે સવારના સમયે મહેશે સલફાસના ટીકડા પી લીધા હતા અને ત્યારબાદ તેણે તેના કાકા ના દીકરાને ફોન કરીને જણાવી દીધો કે, હવે તે આ દુનિયામાંથી વિદાઈ લઈ રહ્યો છે..

તેની પત્ની અને તેની પત્નીના માતા-પિતા જવાબદાર છે, તેમને કડકમાં કડક સજા થવી જોઈએ આ ત્રણેય વ્યક્તિઓએ તેને ખૂબ જ હેરાન પરેશાન કર્યો છે. એટલા માટે તેમને ઓછામાં ઓછી 20 વર્ષ સુધીની જેલની સજા તો થવી જ જોઈએ. તેની પત્ની અને તેના માતા પિતા સામે તે જીવતા તો લડી શક્યો નહીં..

પરંતુ મૃત્યુ બાદ તેને જરૂર ન્યાય મળશે તેવું તે જણાવીને આપઘાત કરી નાખ્યો હતો. આપઘાત ના સમાચાર જ્યારે મહેશના સગા માતા-પિતા સુધી પહોંચ્યા ત્યારે તેઓ પણ મહેશ ની પત્ની ઉપર આરોપ લગાવવા લાગ્યા હતા કારણ કે મહેશ ની પત્નીની હેરાનગતિથી સૌ કોઈ લોકો જાણકાર હતા. દરેક લોકોનું કહેવું છે કે, મહેશની પત્નીએ જ મહેશનો જીવ લઈ લીધો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *