Breaking News

ઠંડીથી બચવા રૂમમાં સગડી સળગાવીને એકસાથે સુઈ રહેલા પરિવારના લોકોની સવાર થતાં એવી હાલત થઇ કે, જોઇને ગામના લોકોના મોઢા ફાટી ગયા..!!

શિયાળો ચાલુ થતાં લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકો પોતાના ઘરની બહાર ઠંડીની મજા માણી રહ્યા છે અને લોકોને શિયાળાની કડકતી ભડકતી ઠંડી ખૂબ જ પસંદ આવી રહી છે. પરંતુ ઠંડીની મજા લેવામાં આજ ઘણા બધા ચોકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે, ચુરુ જિલ્લામાં ઠંડીથી બચવા એક પરિવાર સાથે ખૂબ જ ગંભીર ઘટના બની હતી.

પરિવાર ગૌરીસર ગામમાં ઘણા સમયથી રહેતું હતું. પરિવારમાં અમરચંદ પ્રજાપત અને તેમની પત્ની સોનાદેવી તેમના બાળકો સાથે રહેતા હતા. અમરચંદનો દીકરો રાજકુમારના લગ્ન થઈ ગયા હતા. જેના કારણે તેમના દીકરાની વહુ અને તેમના પૌત્ર-પૌત્રી સાથે અમરચંદ ખૂબ જ ખુશી ખુશીથી રહેતા હતા. અમરચંદ પ્રજાપતની ઉંમર 60 વર્ષની છે.

અને રાજકુમારની પત્નીની ઉંમર 36 વર્ષની છે. તેમનું નામ ગાયત્રી દેવી હતું. ગાયત્રી દેવીને બે સંતાનો છે જેમાં એક દીકરી અને દીકરો છે. દીકરી તેજા તેમની ઉંમર 3 વર્ષની છે અને ત્રણ મહિનાનો દીકરો ખુશીલાલ છે. રાજકુમાર ગામથી બહાર રહેતો હતો. રાજકુમાર બાંધકામના કામો લેતો હોવાનો કારણે તે ગામથી બહાર જ રહેતો હતો.

રાજકુમાર ખૂબ જ મોટા-મોટા કોન્ટ્રાક્ટ લેતો હોવાને કારણે લગભગ એક અઠવાડિયું પરિવારને મળવા આવતો હતો. અમરચંદને બે દીકરા છે જેમાં રાજકુમાર મોટો દીકરો છે અને કેદારમલ નાનો દીકરો છે. અમરચંદ રાજકુમારના પરિવાર સાથે રહેતા હતા અને તે પોતાના પુત્ર-પુત્રીઓને સાચવતા હતા. એક દિવસ પરિવારના લોકો સાંજના સમયે ભોજન કરીને સુઈ રહ્યા હતા.

તે સમયે સોનાદેવી તેમની પુત્રવધુ ગાયત્રી દેવી અને તેમનો ત્રણ મહિનાનો પૌત્ર ખુશીલાલ એક રૂમમાં સુતા હતા અને દાદા અમરચંદ અને તેમની પૌત્રી તેજા બીજા અલગ રૂમમાં સુતા હતા. રાત્રે ખૂબ જ ઠંડી હતી. જેના કારણે દીકરાને ઠંડીથી બચાવવા માટે સાસુ અને વહુએ રૂમમાં સગડી સળગાવી હતી. તેઓ દરરોજ સાંજના સમયે રૂમમાં સગડી સળગાવતા હતા.

જેના કારણે રૂમનું તાપમાન ગરમ થઈ જાય અને દીકરો બીમાર ન પડે. આ દિવસે તેઓ સગડી સળગાવીને સૂઈ ગયા હતા અને રૂમનો દરવાજો પણ બંધ કરી દીધો અને બારી પણ બંધ કરેલા હતા. પરંતુ પુત્રવધુ સગડીને બહાર મૂકવાનું ભૂલી ગઈ હતી. રૂમની બહાર સગડી ન મૂકીને રૂમમાં જ આખી રાત સગડી સળગી હતી.

જેના કારણે ધુમાડો રૂમમાંને રૂમમાં જ રહ્યો હતો ત્યારબાદ સવાર થતા અમરચંદ ઊઠ્યા હતા અને તેમણે જોયું તો સાસુ અને પુત્રવધુમાંથી કોઈપણ રૂમની બહાર આવ્યું નહીં ઘણો સમય થઈ જતા રૂમમાંથી કોઈ પણ અવાજ પણ આવી રહ્યો ન હતો. જેના કારણે અમરચંદે રૂમનો ગેટ ખખડાવ્યો હતો. પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં.

જેના કારણે અમરચંદે તરત જ બારી તોડી નાખી હતી અને તેમણે જોયું તો બધા લોકો ખાટલામાં સુતા હતા અને કોઈ હલી રહ્યું નહોતું. ત્રણ મહિનાનો દીકરો પૌત્ર ખુશીલાલ પણ સુઈ રહ્યો હતો. જેના કારણે તરત જ અમરચંદ બારીમાંથી રૂમમાં ગયા હતા અને તેમની પત્ની પુત્રવધુ અને પુત્રને તેમણે જગાડવાની કોશિશ કરી હતી.

પરંતુ તેઓ ઉઠ્યા નહીં. જેના કારણે પાડોશના લોકોને બોલાવવામાં આવ્યા હતા અને પાડોશીના લોકોની મદદથી અમરચંદની પત્ની સોનાદેવી અને પુત્રવધુ ગાયત્રી દેવી અને રૂમમાંથી બહાર કઢાવ્યા હતા. ત્યારબાદ તેઓને તરત જ ચુરુની ડીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અમરચંદે પોતાના ત્રણ મહિનાના પૌત્ર ખુશીલાલને તેડીને બહાર કાઢ્યો હતો.

ત્રણેય પરિવારના ત્રણેય લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન અમરચંદની પત્ની અને પુત્રવધુનું મૃત્યુ થઈ ગયું હતું અને બાળકની હાલત ખૂબ જ ગંભીર હતી. તરત જ રાજકુમારને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેને કારણે તેઓ પણ હોસ્પિટલ સીધા પહોંચ્યા હતા.

અમરચંદને તેમના પત્ની અને પુત્રવધુના મૃત્યુના સમાચાર મળતા તેઓ ત્યાંને ત્યાં જ રડવા લાગ્યા હતા અને આઘાતમાં સરી પડ્યા હતા. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે રૂમમાં રાતના સમયે સગડી સળગતી મૂકી હતી.

જે અને રૂમની બારી દરવાજા બંધ થતાં જેના કારણે સગડીમાંથી નીકળતો ધુમાડો રૂમમાં ફેલાયો હતો અને રૂમમાં જ ધુમાડો રહેવાને કારણે રૂમમાં ઓક્સિજન કરતાં કાર્બન મોનોક્સાઈડ ગેસ વધી ગયો હતો. જેના કારણે સાસુ અને તેમની પુત્રવધુ અને પૌત્રના શ્વાસ રૂંધાયા હતા. જેમાંથી ત્રણ મહિનાની પૌત્રની હાલત ખૂબ જ નાજુક છે.

પરંતુ સાસુ અને પુત્રવધુનું મૃત્યુ થઈ ગયું હતું. પુત્રવધુ સગડી બહાર મૂકવાનું ભૂલી જતા તેમણે અને તેમની સાસુએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ જાણીને પરિવારના દરેક લોકો ખૂબ જ રડી રહ્યા હતા. પરિવારમાં બંને સ્ત્રીઓના મૃત્યુ થઈ ગયા હોવાને કારણે પરિવારમાં ખૂબ જ રોરોકળ થઈ રહી હતી અને ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. એકસાથે એક જ પરિવારમાંથી બે અર્થીઓ ઊઠી હોવાને કારણે પરિવારના લોકો પોતાનું ભાન ભુલાવી બેઠા હતા…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *