અત્યારે ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર બનતા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં એકસાથે એક જ પરિવારના ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના રાજકોટ શહેરમાં બની હતી. એક પરિવારના લોકો સાથે જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા પરાશર પાર્કમાં રહેતા એ.એસ.આઇ પૃથ્વીરાજસિંહ બહાદુરસિંહ જાડેજા અને રેલનગર પાસે રહેતા જયેન્દ્રસિંહ ઝાલા અને ઈન્દ્રજીતસિંહ અને તેમની સાથે પ્રકાશબા જાડેજા, કૈલાશબા જાડેજા, મહેશ્વરી બા જાડેજા, પ્રિયાંશીબા જાડેજા અને સુમનબા ઝાલા, માયાબા જાડેજા દરેક લોકો એક દિવસ ડાકોરમાં આવેલા ઠાકોરજીના દર્શન કરવા માટે ગયા હતા.
જેમાં બે નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારના લોકો તેમજ અન્ય પોલીસ આસિસ્ટન્ટ ગયા હતા. દરેક લોકો ઈકો કાર લઈને મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તેઓ દર્શન કરીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. તે સમયે માલીયાસણ ગામ પાસે તેની સાથે જીવલેણ ઘટના બની ગઈ હતી. ઠાકોરજીના દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા.
તે સમયે ખૂબ જ ખુશ હતા અને તેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ભગવાનની ભક્તિની વાતો કરતા કરતા તેમની સાથે અકસ્માત સર્જાઈ ગયો અને આ અકસ્માત એટલો જીવલેણ સર્જાયો કે જેમાં એકસાથે બે નિવૃત્ત સવિન ઇન્સ્પેક્ટરની સાથે સાથે 2 વ્યક્તિઓના નિર્દોષ મૃત્યુ થઈ ગયા હતા.
એક ડમ્પર ચાલક સામેની તરફથી આવી રહ્યો હતો અને ઇકો કાર પણ રસ્તાની એક બાજુ પર જઈ રહી હતી. તે સમયે અચાનક સામેની તરફથી ઝડપી સ્વીડમાં આવી રહેલા ડમ્પર ચાલકે પોતાના ટ્રક પરનું કાબુ ગુમાવ્યું હતું. જેના કારણે માલિયાસણ પાસે પહોંચતા જ ડમ્પર ચાલકે ઇકો કારને કચડી નાખ્યો હતો.
ઇકો કારમાં બેઠેલા લોકો ફગોવાઈ ગયા હતા અને ઇકો પલટી મારી જતા તેમાં રહેલા બે નિવૃત્ત સબ ઇન્સ્પેક્ટરને અને તેમની સાથે પરિવારના લોકો બૂમ પાડી ગયા હતા. આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઇકો કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
પરંતુ ત્યારબાદ કુવાડવા પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તમામ તપાસને હાથ ધરી હતી. ઇકોમાં બેઠેલા બે નિવૃત્ત ઓફિસર ઝાલા પરિવાર અને જાડેજા પરિવારના સબ ઇન્સ્પેક્ટરનું મૃત્યુ થયું હતું. તેની સાથે સાથે તેમના પરિવારના બીજા ત્રણ વ્યક્તિઓના પણ મૃત્યુ થઈ ગયા હતા.
જેના કારણે પોલીસે તરત જ મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. આ અકસ્માત સર્જાતા જ તેઓએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. એકસાથે અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરુણ મૃત્યુ થઈ જતા લોકોમાં હાહાકાર મચી ગયો અને તેની સાથે રહેલા બીજા પાંચ વ્યક્તિઓ ખૂબ જ ઘાયલ થયા હતા. જેના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]