કહેવાય છે કે જો લોકોના મનને ઓળખતા આવડી જાય તો આપણે ક્યારે પણ પછતાવાનો વારો આવતો નથી અને ક્યારે પણ આપણે કોઈ મોટી મુશ્કેલીમાં કે મોટી છેતરપિંડીનો ભોગ પણ બનવું પડતું નથી, પરંતુ માણસોના મગજને કેવી રીતે ઓળખવા જોઈએ તેની સમજણ દરેક વ્યક્તિની પાસે હોતી નથી..
અત્યારે એક ભોળી યુવતી તેના પડોશમાં રહેતા નરાધમ યુવકનો એવો શિકાર બની ચૂકી હતી કે, જેને વાતો સાંભળીને તમારું પણ મગજ ચક્કર ખાઈ જશે, આ ઘટના પ્રતિપાર કોલોની માંથી સામે આવી છે, આ કોલોની માં મકાન નંબર 11માં વૈશાલી નામની 24 વર્ષની યુવતી તેના પરિવાર સાથે રહે છે..
પરિવારમાં વૈશાલીના પિતા છગનભાઈ તેમજ વૈશાલીની માતા વિમળાબેન અને વૈશાલીનો મોટો ભાઈ મનસુખનો સમાવેશ થતો હતો તેમના બાજુના મકાન નંબર 12ની અંદર સંદીપ નામનો 26 વર્ષનો યુવક તેના પરિવાર સાથે રહે છે, સંદીપ સમગ્ર કોલોનીની અંદર ખૂબ જ બદનામ હતો કારણ કે..
તે 26 વર્ષની ઉંમરમાં કોઈપણ પ્રકારનો નોકરી ધંધો કરવાને બદલે સવારથી સાંજ સુધી રખડપટ્ટી કરીને દારૂના હમણાં વ્યસને પણ ચડી ગયો હતો. સંદીપ નામનો આ યુવક તેના પડોશમાં રહેતી વૈશાલીના પ્રેમમાં આટલો બધો પાગલ થઈ ગયો હતો કે, તેને કોઈ પણ કિંમતે મેળવવા માટે તે ફાફા મારવા લાગ્યો હતો..
તે અવારનવાર વૈશાલીને કહેતો કે, તું મારી સાથે લગ્ન કરી લે હું તને રાણીની જેમ સાચવીને રાખીશ, આ સાથે તે વૈશાલીને સોશિયલ મીડિયામાં પણ મેસેજ કરીને હેરાન પરેશાન કરતો હતો, જ્યારે વૈશાલીનો જન્મદિવસ આવે ત્યારે ખૂબ જ મોંઘા મોંઘા ગિફ્ટ પણ તેને મોકલવા લાગ્યો હતો..
વૈશાલી આ તમામ બાબતો જાણતી હતી કે, તેના પડોશમાં રહેતો સંદીપ નામના યુવક ખૂબ જ ખરાબ માનસિકતા ધરાવી રહ્યો છે, એટલા માટે વૈશાલીએ ક્યારેય પણ સંદીપને માનસન્માન આપ્યું નહીં અને તેની સાથે વાતચીત કરવાની પણ કોશિશ કરી નહીં, જ્યારે વૈશાલીએ સંદીપની વાતોને નકારી કાઢી હતી..
ત્યારે સંદીપ ખૂબ જ રોશે ભરાઈ ગયો હતો અને તે વૈશાલીને કહેવા લાગ્યો કે, તારે મારી સાથે સૂવું પડશે નહીં તો હું તને ધક્કો મારીને મોત આપી દઈશ, ત્રીજા માળાના ટેરેસ ઉપરથી તેને ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દેવાની વાત જ્યારે વૈશાલી એ તેના કારણોથી સાંભળી ત્યારે તે ખૂબ જ ડરી ગઈ હતી..
પણ તેણે વિચાર્યું કે જો આ યુવકથી તે ડરી જશે તો આવતીકાલે અન્ય કોઈ યુવક પણ તેને ડરાવી ધમકાવીને તેનો ફાયદો ઉઠાવીને જતો રહેશે એટલા માટે તે ખૂબ જ નીડર બની ગઈ અને સંદીપનો ખૂબ જ સાહસથી સામનો કરવા લાગી હતી, તેણે આ વાતની જાણકારી તેના પરિવારના સભ્યોની સાથે સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જણાવી દીધી હતી કે..
તેના પડોશમાં રહેતો સંદીપ નામનો યુવકો તેને સતત હેરાન પરેશાન કરીને હવે તો ધાકધમકી આપવા લાગ્યો છે, વૈશાલી ખૂબ જ શાંત સ્વભાવની અને ભોળી યુવતી હોવાને કારણે સંદીપ તેની સાથે હંમેશા હેરાન પરેશાન કરવા લાગ્યો હતો. આ ઉપરાંત તે અમુક વખત તો એવી માંગણીઓ કરતો હતો કે..
જેને સાંભળીને કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવી જાય પોલીસમાં ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સંદીપને ઘરમાંથી ઘસડીને બહાર કાઢી તેને પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યો હતો, જ્યારે સોસાયટીના દરેક લોકોની સામે સંદીપને ઘસડીને પોલીસ લઈ ગઈ ત્યારે સંદીપના માતા-પિતાનો પણ અહંકાર તૂટી પડ્યો હતો કે..
તેમનો દીકરો અન્ય વ્યક્તિને હેરાન પરેશાન કરી રહ્યો છે, જેને કારણે તેમને આજે બદનામી સહન કરવાનો વારો આવ્યો છે, તો બીજી બાજુ સંદીપને પણ અક્કલ ઠેકાણે આવી ગઈ હતી કે, તેણે એક ખૂબ જ સારી અને ભોળી યુવતીને હેરાન પરેશાન કરી નાખી છે. દિન પ્રતિદિન આવે એ ઘણી બધી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થતી હોય છે..
જેને સાંભળીને આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે. સોસાયટીના લોકો તો કહેવા લાગ્યા હતા કે, સંદીપને બરાબરની સજા થવી જોઈએ કારણ કે, તેણે સોસાયટીની ઘણી બધી યુવતીઓને હેરાન પરેશાન કે છેડતી કરવાની કોશિશ કરી હતી, પરંતુ કોઈ પણ યુવતીએ સંદીપની સામે અવાજ ઉઠાવ્યો નહીં..
કારણ કે, સંદીપ યુવતીઓને એવી રીતે હેરાન પરેશાન કરતો હતો કે, જો તેની સામે કોઈ અવાજ ઉઠાવે તો તેનો અવાજ પણ દબાઈ જતો હતો અને વધારે હેરાન કરતી સહન કરવી પડતી હતી, એટલા માટે કોઈ વ્યક્તિ સંદીપની સામે બોલ્યા નહીં પરંતુ વૈશાલી હિંમતથી કામ લીધું અને સંદીપની આ કાળી કરતુતો ભાંડો સૌ કોઈ લોકોની સામે જ ફોડી નાખ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]