હસતી ખેલતી જિંદગીની અંદર ક્યારે કયા વ્યક્તિ સાથે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી. કુદરતની કોઈપણ કરામતનો સહેજ પણ અંદાજો કોઈ વ્યક્તિને હોતો નથી, અત્યારે પરિવારની સાથે ભેગા મળીને બેસીને તરબૂચ ખાતી વખતે ત્રણ દીકરાઓના પિતાનું એવી રીતે મૃત્યુ થયું છે કે, પરિવારજનોના મોતિયા મરી ગયા હતા…
તેમની નજર સામે જ કાળ આંબી જતા સૌ કોઈ લોકો સમસમી ઉઠ્યા છે. આ ઘટના તુલસી એપાર્ટમેન્ટની છે. આ એપાર્ટમેન્ટના ત્રીજા માળે સોનુ યાદવ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની પત્ની મોનિકા તેમજ તેના ત્રણ બાળકો સંકેત, હિના અને કીર્તનનો સમાવેશ થાય છે..
એક દિવસ બપોરના સમયે તેઓ પરિવારની સાથે બેસીને તરબૂચ ખાઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ સોનુને છીંક આવી હતી અને આ છીંક ખાતાની સાથે જ તેને લકવો લાગી ગયો હોય તેવી રીતે તેનું શરીર ધ્રુજારી કરવા લાગ્યું હતું. પરિવારજનોની નજર સામે જ સોનું ઢળી પડ્યો હતો. તેના ત્રણેય બાળકો સોનુંની આવી હાલત જોઈને ડરી ગયા હતા..
અને તેઓ અંદરની રૂમમાં ભાગવા લાગ્યા હતા, સોનુની પત્ની મોનિકાએ તરત જ તેના પડોસીના ફ્લેટમાં રહેતા વ્યક્તિને બોલાવ્યા અને કહ્યું કે સોનુને આંચકો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. તરબૂચ ખાતા ખાતા અચાનક છીંક આવી અને ત્યારબાદ લકવો લાગી જતા તેની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ હતી..
તરત જ પડોશીની કારની અંદર તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું હતું. સોનુની પત્ની મોનિકા તો ત્યાંને ત્યાં જ નીચે ઢળી પડી હતી. તે ખૂબ જ ઊંડા વિચારમાં મુકાઈ ગઈ અને એટલા બધા આઘાતમાં ચાલી ગઈ હતી કે તેને રડતી જોઈને બધાની આંખમાં આંસુ આવી ગયા હતા..
આસપાસ રહેલાં સૌ કોઈ લોકોના પણ કાળજા ફફડી ઉઠ્યા હતા. તે વારે વારે બોલવા લાગી કે, સોનુ તેની સાથે તરબૂચ ખાઈ રહ્યો હતો. અને અચાનક તરબૂચ ખાતાની સાથે તેનો લકવો લાગી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું છે. હવે તે કોને સહારે જીવશે અને તેના બાળકોને પણ કોણ ઉછેર કરશે..? વગેરે જેવી ઘણી બધી મૂંઝવણોથી તે પીડાઈ રહી હતી..
સોનુના માતા-પિતાને પણ આ ખબરની જાણકારી મળતા તેઓ પણ વતનેથી અહીં શહેરમાં આવી પહોંચ્યા હતા, દવાખાને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે થઈને મોકલી આપવામાં આવ્યો હતો. આ મૃત્યુ કયા કારણોસર થયું છે.? તેની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. સોનુની પત્ની મોનિકાનું કહેવું છે કે, તરબૂચ ખાતી વખતે કોઈ અજાણ્યો બનાવો બન્યો છે..
જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારબાદ તેને છીંક પણ આવી હતી અને તેનું શરીર પણ ધ્રુજારી ઉપાડવા લાગ્યું હતું. હવે આ બધા કારણોની અંદર કયા કારણોસર તેનું મૃત્યુ થયું છે. તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. તમામ ઘટનાની જાણકારી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મળી જશે..
અત્યારે સોનુનો પરિવાર ખૂબ જ ઊંડા આઘાતની અંદર ચાલ્યો ગયો છે. તેના માતા-પિતા સહન કરી શક્યા નથી, સોનુના ત્રણે બાળકોએ પિતાની છાયા ગુમાવી દીધી છે. જ્યારે આવી ચોંકાવી દેતી ઘટનાઓ સામે આવે છે. ત્યારે તે હાજર રહેલા સૌ કોઈ લોકો તેમના માથા પકડીને વિચારવામાં મજબૂર બને છે કે, એવું તો શું થઈ ગયું હશે કે અચાનક મૃત્યુ થઈ ગયું છે..
આસપાસના પડોશીઓનું કહેવું છે કે, સોનું ખૂબ જ સરળ સ્વભાવનો વ્યક્તિ હતો. તેને ક્યારેય પણ કોઈ વ્યક્તિનું ખોટું વિચાર્યું નથી. અને તે હંમેશા દરેક લોકોને સારી સલાહ શિખામણો આપતો હતો. પરંતુ અત્યારે તેની સાથે જેવી ઘટના બની જાય છે, જેમાં તેનો જીવ પણ જતો રહ્યો છે. તેની કમી હંમેશા દરેક લોકોને મહેસુસ થવાની છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]