જીવનની અંદર દરેક વસ્તુ માણસના મનની પ્રમાણે થશે તેવી બાબત શક્ય હોતી નથી, અમુક બાબતો નસીબ ઉપર આધાર રાખતી હોય છે જ્યારે અમુક બાબતો ભગવાનના ઇશારા ઉપર આધાર રાખે છે, જો ભગવાનની મરજી હશે તો આપણા દરેક કામો પાર પડી જશે, પરંતુ જો ભગવાનની ઈચ્છા નહીં હોય તો લાખ કોશિશ કરવા પણ આપણને ક્યારેય પણ સફળતા નહીં મળે..
અત્યારે એક આખા કુટુંબે એક મહિલા સાથે એવી રીતે વર્તન કર્યું હતું કે, બીચારી મહિલા માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું, અને આ કિસ્સો એવી રીતે સામે આવ્યો હતો કે દરેક લોકોના મોઢા ફાટેલા રહી ગયા છે, સમગ્ર સમાજ માટે આંખો ઉઘાડી દેતી ઘટના વિલાસ નગરમાંથી સામે આવે છે..
વિલાસનગરમાં દામજીભાઈ નામના વ્યક્તિનો પરિવાર વસવાટ કરી રહ્યો છે, પરિવારમાં દામજીભાઈના બે દીકરાઓ તેમજ તેમના બંને દીકરાની પત્નીઓનો પણ સમાવેશ થતો હતો. દામજીભાઈ નાના દીકરા નીતિનની પત્ની સીમાને સમગ્ર પરિવાર ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યો હતો..
કારણ કે સીમા અને નીતિનના લગ્ન થયા તેના 11 વર્ષ સુધી ચુક્યા હતા, છતાં પણ 11 વર્ષના લગ્ન જીવન દરમિયાન સીમાએ બાળકને જન્મ આપ્યો નહીં અને આ બાબતથી સમગ્ર પરિવાર ખૂબ જ નારાજ હતો, હકીકતમાં સીમા તેમજ નીતિન બંનેમાં બાળકને જન્મ દેવાની ઉણપ દેખાઈ આવી હતી..
તેઓએ મેડિકલ તપાસ પણ કરાવી હતી, જેમાં નીતિનમાં વધારે ખામી દેખાઈ આવતા સીમા ખૂબ જ નાખુશ થઈ ગઈ હતી, પરંતુ તે આ કડવા ઘુટડાને સહન કરીને પીઈ રહી હતી, જ્યારે પરિવાર આ બધી બાબતોને ખૂબ જ સારી રીતે સમજવાને બદલે સીમાને દોશી ઠેરાવીને તેને હેરાનગતિ પહોંચાડવા લાગ્યું હતું કે, તારા ખોળે ક્યારે પણ દીકરો નહીં જન્મે તેમ કહીને હવે તો ધીમે ધીમે આખું કુટુંબ સીમાને હેરાન પરેશાન કરવા લાગ્યું હતું..
સીમા દરેક લોકોને જણાવતી કે ભગવાનને તેના ખોળે જ્યારે પણ બાળકને જન્મ આપવો હશે ત્યારે આપી દેશે, આ બધી બાબતો તેના હાથમાં નથી તેઓ ઘણી બધી મહેનત કરી રહ્યા છે પરંતુ કોઈને કોઈ ખામીઓને કારણે સીમા બાળકને જન્મ આપી શકતી નથી, તેઓની મેડિકલ તપાસની અંદર પણ સામે આવ્યું હતું કે, બાળકને જન્મ આપવાની અંદર પિતા તરીકે નીતિન ઘણી બધી ઉણપો ધરાવી રહ્યો છે..
જેના કારણે સીમા બાળકને જન્મ આપી શકતી નથી, પરંતુ આ વાતને પરિવાર ક્યારે પણ સમજી શક્યો નહીં અને તેઓએ સીમાને જ દોશી ઠહેરાવીને તેને મહેણા ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું, સીમાને પરિવાર અને કુટુંબની હેરાનગતિથી ખૂબ જ કંટાળી ગઈ હતી અને એક દિવસ તેણે એવું પગલું ભર્યું હતું કે દરેક લોકોના મોઢા ફાટેલા રહી ગયા હતા..
હકીકતમાં સીમાએ કંટાળી જઈને એક અંતિમ નોટ લખી હતી અને આ નોટોની અંદર લખ્યું કે તેના પતિની ખામીના કારણે તે બાળકને જન્મ આપી શકતી નથી, જેના કારણે તેના સાસુ સસરા તેના જેઠ જેઠાણી તેમજ તેની બંને નણંદો પણ તેને હેરાન પરેશાન કરી રહી છે અને હવે આ તમામ લોકોના કડવા વેણ વચન તેનાથી સાંભળી શકાતા નથી..
એટલા માટે તે આ દુનિયાની અંદર રહેવા માંગતી નથી અને જેને તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું, જ્યારે સીમાએ સવારના સમયે તેના રૂમનો દરવાજો ખોલ્યો નહીં ત્યારે પરિવારને ચિંતા સતાવવા લાગી હતી અને જ્યારે દરવાજો તોડીને જોવામાં આવ્યું ત્યારે સીમા મૃત હાલતમાં મળી આવી હતી..
સીમાને મૃત હાલતમાં જોતાની સાથે સમગ્ર પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો હતો કે, સીમાએ ખૂબ જ મોટું અને ભરી લીધું છે. આ ઘટના વિષે જ્યારે તેમના પડોશીઓને ખબર પડી ત્યારે પડોશીઓએ તાબડતો પોલીસની ટીમને પણ માહિતી આપી દીધી હતી, પોલીસની ટીમ ઘટનાઓને પહોંચી આવી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]