અમુક વખત કોઈ વ્યક્તિએ કરેલી ભવિષ્યવાણી જ્યારે સાચી પડી જાય ત્યારે આપણું મગજ ચકરાવે ચડી જતું હોય છે કે, આખરે એ વ્યક્તિને એવું તો શું સૂચવે છે કે, તેની ભવિષ્યવાણી સાચી પડી ગઈ છે. આ બાબત પાછળ કયા કારણો જોડાયા છે.? તેના વિશે પણ આપણે તપાસ કરવા લાગતા હોઈએ છીએ..
અત્યારે એક પરિવાર ખૂબ જ ઊંડા વિચારની અંદર ચગડોળે ચડી ગયો હતો, કારણ કે થોડા દિવસ પહેલા એક તાંત્રિકે કહેલી વાત પરિવારજનો માટે આફતનો કોળિયો બની ગઈ હતી. આ હચમચાવી દેતી ઘટના જાંબુડીયા ગામની છે, આ ગામોમાં રાકેશ નામનો યુવક તેના પરિવારજનોની સાથે રાજી ખુશીથી વસવાટ કરી રહ્યો છે..
રાકેશ તેના કાકાના દીકરા રમેશની સાથે વ્યવસાય ચલાવે છે, આ વ્યવસાયમાંથી જે પૈસા કમાય તેનાથી તેમનો પરિવારનું જીવન ગુજરાન ચાલતું હતું. રાકેશ અને રમેશ બંને પોતાની ફેક્ટરીએથી પોતાને ઘરે પરત આવતા હતા, ત્યારે રસ્તામાં તેમને એક તાંત્રિક મળ્યો હતો, આ તાંત્રિકે આ બંને વ્યક્તિને ત્યાં ઉભા રાખ્યા અને જણાવ્યું કે, તમે ફેક્ટરી ચલાવો છો..
એ ફેક્ટરીની અંદર તમે અમુક નિર્ણયો ખૂબ જ ખોટા લઈ રહ્યા છો, એ નિર્ણયો ને તમે સુધારી દેશો તો તમે ભવિષ્યમાં ખૂબ જ વધારે કરોડપતિ બની જશો. આ વાક્ય સાંભળતા જ રાકેશ અને રમેશ બંનેને તેવું શું ખોટું કરી રહ્યા છે, તે જાણવાની ઈચ્છા જાગી હતી. ત્યારબાદ આ તાંત્રિકે જણાવ્યું કે, જો તમે તમારા જ પરિવારના કોઈ સભ્યને તમારા ધંધાની અંદર જોડી દેશો તો..
તમારો ધંધો દર મહિને કરોડો રૂપિયા કમાશે, આ સાથે સાથે તાંત્રિકે રાકેશને જણાવ્યું કે, તારા માટે એક ખૂબ જ ખરાબ ભવિષ્યવાણી મારા મગજની અંદર આવી રહી છે. આવા માઠા શબ્દો સાંભળીને રાકેશ ખૂબ જ ડરી ગયો હતો, તેને પૂછવાની કોશિશ કરી કે, એવું તો શું થયું છે કે તેના ઉપર મોટી આફત આવવા જઈ રહી છે..
ત્યારે તાંત્રિકે કહ્યું કે, કાલે તારો દીકરો મરી જવાનો છે. તેવો મને આભાસ થાય છે, અને જો આ બાબત સાચી પડશે તો તારો પરિવાર મુશ્કેલીમાં આવી જશે, એટલા માટે તારે તાત્કાલિક ધોરણે તારા ઘરે પહોંચી જવું જોઈએ. તાંત્રિકના આ શબ્દો સાંભળીને રમેશ અને રાકેશ બંને પોતાની ફેક્ટરીએથી ચાદર તજ ઘરે પહોંચી ગયા હતા..
રાકેશનો દીકરો છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ જ બીમાર હતો, જ્યારે રાકેશના ઘરે દીકરાનો જન્મ થયો ત્યારથી જ તે બિલકુલ અસ્વસ્થ રીતે જન્મ લીધો હતો અને અવારનવાર તેને સારવાર માટે દવાખાને દાખલ થવું પડતું હતું. ડોક્ટરનું કહેવું હતું કે, રાકેશનો દીકરો લાંબો સમય સુધી જીવી શકશે નહીં અને તાંત્રિકે પણ જણાવ્યું કે, આવતીકાલે તારો દીકરો મરી જવાનો છે..
બસ એટલું સાંભળતા જ રાકેશ ખૂબ જ ઊંડા અગાતમાં ચાલ્યો ગયો હતો, તે વારંવાર તેને દીકરાની ચિંતાને લઈને રડવા લાગતો હતો કે, તાંત્રિકે કહેલી આ વાતને રાકેશે તેની પત્નીને પણ જણાવી હતી અને હકીકતમાં બીજા દિવસે સવારના સમયે રાકેશનો એકનો એક જ દીકરો બોલવાનું બંધ કરી દીધો હતો..
અને આંખો પણ મીંચી દીધી હતી, તાંત્રિકની આ વાત આટલી હદે સત્ય થઈ હતી કે, રાકેશના દીકરાનો જીવ પણ ચાલ્યો ગયો હતો. બસ આ ઘટના બની ત્યારથી જ રાકેશનું મગજ કાબુની બહાર ચાલ્યું ગયું હતું. તે સતતને સતત વિચારતો રહ્યો કે, એ તાંત્રિક કોણ હતો અને તે શા માટે આટલી મોટી ખરાબ ભવિષ્યવાણી કરીને તેની સામેથી ચાલ્યો ગયો છે..
આ ઘટનાને લઈને તે ચર્ચા વિચારણા કરતો રહ્યો અને બીજી બાજુ સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા હતા, શરૂઆતમાં તો રાકેશની આ વાત ઉપર કોઈ વ્યક્તિ વિશ્વાસ કર્યો નહીં પરંતુ જ્યારે આ તાંત્રિકે રાકેશની સામે ભવિષ્યવાણી કરી હતી. ત્યારે તેના કાકાનો દીકરો રમેશ પણ હાજર હતો, એટલા માટે હવે લોકોને વિશ્વાસ આવ્યો હતો કે નક્કી આ વાત બિલકુલ સત્ય છે..
આ પ્રકારનો કિસ્સો ક્યારેય પણ સામે આવ્યો નથી, અને અત્યારે આવો ચમત્કારિક બનાવ સામે આવતા ગામના લોકોમાં પણ હોશ ઉડી ગયા હતા, સૌ કોઈ લોકો એક જ બાબત વિચારી રહ્યા છે કે, આખરે એ તાંત્રિક કોણ હતો કેટલાક લોકોનું કહેવું છે કે, એ સાક્ષાત યમરાજનો અવતાર હશે…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]