Breaking News

રહસ્યમય મોત! આ ટાંકીમાંથી નીકળી 5 લાશો, જાણી લો મોતભરી ટાંકીનું રહસ્ય…

આજકાલ ગુજરાતમાં મજૂરીકામ કરતાં જીવ ગુમાવવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં વધુ એક ઘટના સામે આવી છે ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલા ખાતર જીઆઇડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પાંચ પરપ્રાંતીય શ્રમિકો જીઆઇડીસી ખાતે આવેલી ફાર્મા કંપનીમાં પેમેન્ટ બીપી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની ટાંકી સાફ કરવા માટે ઉતરેલા હતા.

તે સમયે ગૂંગળામણ થતા તેમના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા હતા. આ ઘટના જીઆઈડીસીમાં આવેલા ટુશન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામ નામની દવાની ફેક્ટરીમાં બની હતી. આ દવા આવનારી ફેક્ટરીમાં થી નિકળતા પ્રદૂષિત પાણી અને અન્ય કચરાને રિસાયકલ કરવા માટે ETP પ્લાન લગાવવામાં આવ્યો હતો.

આ ટાંકી સાફ કરવા માટે પાંચ શ્રમિકોને સમીર કોને કામગીરી સોંપવામાં આવેલી હતી. જે પૈકી એક મજૂર સૌપ્રથમ ટાંકીમાં ઉતર્યો હતો. પરંતુ કંપનીના દૂષિત પાણી ને કારણે તે બેભાન થઈ ગયો હતો. આ ઘટના જોઈને તેને બચાવવા અન્ય ચાર સમયે કોઈપણ એક પછી એક ટાંકી માં ઉતર્યા હતા.

પરંતુ થોડા સમય પછી તેઓ પણ આ જ દૂષિત પાણીને કારણે બેભાન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તેમણે ફાયર બ્રિગેડ અને પોલીસ ને ઘટનાસ્થળે બોલાવી હતી. ફાયર બ્રિગેડના અમુક બહાદુર ફાયર ફાયટરોએ આ શ્રમિકોના મૃતદેહને ટાંકીમાંથી બહાર કાઢ્યા.

પોલીસની ઘણી મહેનત પછી જાણવા મળ્યું કે આ ઘટનામાં જે સમયે લોકોના મૃત્યુ નિપજ્યા હતા તેવો ઉત્તર પ્રદેશના રહેવાસીઓ હતા. મૃત્યુ પામેલા લોકોના નામ વિનય કુમાર, સુશી ગુપ્તા ,દેવેન્દ્ર પાલ, અનીષકુમાર નિગમ અને રાજ નિગમ જાણવા મળ્યા.

આ મોત રહસ્યમય રીતે થયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મૃતકના પરિવારજનો એ શોર્ટસર્કિટથી મોત થયું હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે પરંતુ આ ઘટનાની પ્રાથમિક તપાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે સમય કોના મોત ગૂંગળામણ થી થયા છે. પરંતુ આ રહસ્યનો ઉકેલ લાવવા અને મોતનું સાચુ કારણ જાણવા માટે શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તૈયાર કરવામાં આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *