Breaking News

‘તને કોઈ નો રાખે તો મરી જાજે’ કહીને પ્રેમીએ પ્રેમિકાને લાફો જીંકી દીધો, અને પ્રેમિકાએ ભર્યું એવું પગલું કે પ્રેમી દોડતો થઈ ગયો..!

હવે તો આપઘાતના કિસ્સાઓ એટલા બધા પ્રમાણમાં વધવા લાગ્યા છે કે, સહેજ પણ દુઃખ આવી પડે કે, સામાન્ય લોકોને આપઘાતનું પગલું સૂજી જાય છે. ગઈકાલે વડોદરાના કરજણ તાલુકાના મિયા ગામમાંથી પ્રેમ સંબંધમાં આપઘાતનો એક કરુણ બનાવ સામે આવ્યો છે. મીયા ગામ ખાતે વડગામનું એક પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી મજૂરી કામ કરે છે..

તેઓ મિયા ગામના નવી નગરીમાં રહે છે. અને તેમનું મૂળ ગામ પંચમહાલ જિલ્લાનું વડગામ છે. મિયા ગામની અંદર જ કલ્પેશ બુધાભાઈ મોરી નામનો એક યુવક રહે છે. આ યુવકને મનીષા નાયક નામની એક યુવતી સાથે આંખો મળી ગઈ હતી. કલ્પેશ રોજ મનીષાના ઘરે આવી પહોંચતો હતો અને જાણે તેનો પતિ રહેતો હોય તેની જેમજ ઘર જમાઈ રહેતો હતો..

મનીષા પરિવારને પણ કલ્પેશ કોઈપણ પ્રકારની નુકસાની ન હોવાને કારણે તેઓ પણ ખૂબ રાજી હતા. મનીષાનો પરિવાર મજૂરી કામ કરતો હતો. એક દિવસ મનીષાનો જન્મદિવસ હતો એ દિવસે તેને કલ્પેશ પાસે ફોટા પાડવા માટે મોબાઈલ ફોન માંગ્યો હતો. પરંતુ કલ્પેશ ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. જે દિવસે પ્રેમિકાની જન્મદિવસ હોય એ દિવસે ખુશ થવાને બદલે તે ખૂબ જ ગુસ્સે ભરાયો હતો..

અને મોબાઈલ આપીને તે પોતાના ઘરે ભાગી ગયો હતો. બીજા દિવસે જ્યારે કલ્પેશ મનીષાના ઘરે આવ્યો મનીષાને કલ્પેશ એકબીજા સાથે પ્રેમ સંબંધની વાતો કરી રહ્યા હતા. એવામાં કલ્પેશના મોબાઈલ પર કોઈ છોકરીનો ફોન આવ્યો હતો. મનીષા એ સ્પીકર ચાલુ કરીને આ ફોનમાં વાત કરી હતી તો, સામેથી વાત કરનાર વ્યક્તિએ કહ્યું કે, તું કલ્પેશને શા માટે ફોન કરે છે…?

તેમ કહીને તેને ફોન કાપી નાખ્યો હતો. જ્યારે મનીષાએ કલ્પેશને પૂછ્યું કે, આ છોકરી કોણ છે..? અને તે કેમ આમ પૂછી રહી હતી..? ત્યારે કોઈ જવાબ આપવાને બદલે કલ્પેશ ઉચકેરાઈ ગયો હતો. અને તેને જોરથી મનીષાને એક લાફો મારી દીધો હતો. અને કહ્યું કે હવે મારે તારાથી છૂટું થવું છે. ત્યારે મનીષા એ વળતા જવાબ આવશે કહ્યું કે, જો તું મારાથી છૂટો થવા માંગતો હોય તો થઈ જા..

પરંતુ હવે મને કોણ રાખશે..? તો કલ્પેશે જણાવ્યું કે, તને કોઈ ન રાખે તો તું મરી જજે. એમ કહીને તે પોતાનો મોબાઈલ લઈને પાછો ઘરે ચાલ્યો ગયો હતો. જન્મદિવસના બીજા દિવસે થયેલી આ માથાકૂટ અને વેણવચન મનીષાને ખૂબ જ માઠા લાગી આવ્યા હતા. તેણે વિચાર્યું કે તે કલ્પેશ સાથેથી છૂટા થયા બાદ હવે તેને કોઈ અપનાવશે નહીં..

એટલા માટે તે ગામના ગોચર જમીનમાં ગઈ અને ત્યાં ઓરડીમાં પંખા સાથે લખીને પાછો ખાઈ લીધો હતો. જ્યારે મનીષાના પરિવારજનો ને જાણ થઈ ત્યારે તેઓ પણ ગોચર જમીનમાં દોડી આવ્યા હતા. તેમજ ગામના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. તેમની વ્હાલસોયી દીકરીને નીચે ઉતારી હતી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા..

પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી લીધી હતી. જ્યારે મનીષાની માતા સુધાબેન નાયકે મનીષાના પ્રેમી કલ્પેશ મોરી સામે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું કે તેની દીકરીના મૃત્યુ માટે કલ્પેશ મોરી નામનો આ યુવક જવાબદાર છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી ચાલુ કરી છે. પરંતુ આ બનાવને લઈને સમગ્ર ગામમાં ચક્કર મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *