Breaking News

તમારું ઘર પવિત્ર નથી કહીને વિધિના નામે તાંત્રિકે પરિવારને નીચોવીને પૈસા ઘરેણા પડાવી લીધા, કિસ્સો જાણીને તમે પણ મોઢું ફાડી જશો..!

જ્યારે માણસના મનમાં ધારેલું કામ જરૂરી મહેનત કરવા પર પણ સફળ ન થાય ત્યારે તે ખૂબ જ ઊંધી રાહે ભટકી જતો હોય છે, અને ત્યારબાદ તે કોઈ પણ આલતું ફાલતું વ્યક્તિની વાતોમાં આવી જતા હોય છે, આવી જ એક ઘટના લલિતભાઈ નામના વ્યક્તિ સાથે બની હતી. લલીતભાઈ હોલસેલના વેપારી છે..

અને તેમને વેપારમાં અંદાજે 12 લાખ રૂપિયાની નુકસાની ગઈ હતી, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેમના પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરીને જતો રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ દુઃખી હતા, આ બાબતને લઈને તેઓએ કાયદેસરની કાર્યવાહી પણ ચલાવી પરંતુ આ બાબતોનો કોઈ ચોક્કસ નિવેડો આવ્યો નહીં..

એટલા માટે લલિતભાઈ અને તેમનો પરિવાર પણ ખૂબ જ દુઃખી હતા, એવા સમયમાં એક દિવસ બપોરના સમયે તેમને તાંત્રિક ભેટો થયો હતો અને આ તાંત્રિક એ કહ્યું કે, તમે ખૂબ જ દુઃખી છો, એનું કારણ છે કે તમારું ઘર પવિત્ર નથી. જો તમારે તમારા ઘરની પવિત્ર કરવું હોય તો તમારે તાંત્રિક વિધિ કરાવી પડશે અને આ વિધિ કરવા માટે તમારે 5 લાખ રૂપિયા વાપરવા પડશે..

પરંતુ એક વખત તમારું ઘર પવિત્ર થઈ જશે ત્યારે તમારા ગુમાવેલા તમામ રૂપિયા પણ પરત આવી જશે. લલીતાએ સમયે એટલા બધા ચિંતામાં હતા કે, તેને આ તાંત્રિકની વાત ખૂબ જ સત્ય લાગી હતી અને તે આ તાંત્રિકની વાતોમાં આવીને જુદી-જુદી વિધિઓ કરાવવા માટે તૈયાર થઈ ગયું હતું, બીજા દિવસે તાંત્રિક લલિત ભાઈના ઘરે આવી પહોંચ્યો..

અને કહ્યું કે, તમારે પાંચ લાખ રૂપિયા આપીને ઘરને પવિત્ર કરવા માટેની વિધિ કરાવી પડશે અને આ વિધિ અંદાજે બે મહિના સુધી ચાલશે, બે મહિના સુધી તમારે ઘરની બહાર નીકળવાનું નથી. કારણ કે જો તમે ઘરની બહાર નીકળશો અને નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમામ મહેનત ઉપર પાણી ફરી જશે..

અને તમારા પૈસા પણ રાખ બની જશે, આ બાબત સાંભળીને શરૂઆતમાં તો લલિત ભાઈને પણ ખૂબ જ અજુગતું લાગ્યું હતું, પરંતુ તેઓ કોઈ પણ કિંમતે આ વિધિ કરાવવા માંગતા હતા. તાંત્રિકને તેઓએ 5 લાખ રૂપિયા આપ્યા અને ત્યારબાદ તાંત્રિકે કહ્યું કે, હજુ એક વિધિ માટે તેમને બહારના રાજ્યમાંથી કોઈ તાંત્રિકને બોલાવવા પડશે અને એ તાંત્રિક સોના ચાંદીના ઘરેણાની વિધિઓ કરશે..

એ માટે લલીતભાઈએ તેમની પત્નીના ઘરેણા પણ આ તાંત્રિકને સોંપી દીધા હતા, અંદાજે નવ લાખ રૂપિયાની કિંમત સુધીનો મુદ્દામાલના તાંત્રિકને હવાલે કરી દીધો હતો અને ત્યારબાદ તાંત્રિક વિધિ કરવાને બદલે આ પરિવારને નીચવી નીચોવીને પૈસા તેમજ ઘરેણા પડાવી લઈને રફુ ચક્કર થઈ ગયો હતો..

જ્યારે લલિતને ખબર પડી કે, આ તાંત્રિક તેમની સાથે છેતરપિંડી કરીને જતો રહ્યો છે. ત્યારે તેઓ માથે હાથ દઈને રડવા લાગ્યા હતા. પરંતુ હવે રડવા પર પણ કોઈ પણ ફાયદો રહ્યો હતો નહીં, એક બાજુ 12 લાખ રૂપિયાની તેમને ધંધામાં નુકસાની કરી હતી. તેમજ પાંચ લાખ રૂપિયા અન્ય કોઈ વ્યક્તિ તેમની છેતરપિંડી કરીને જતો રહ્યો હતો..

અને હવે પાંચ લાખ રૂપિયા રોકડા તેમજ ચાર લાખ રૂપિયાના તેમને પત્નીના ઘરેણા પણ આ તાંત્રિક લઈને જતો રહ્યો હતો. એક સાથે એટલા બધા આઘાત લલિત ભાઈને સહન કરવાનો વારો આવ્યો હતો કે, જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકો મોઢું ફાડી ગયા હતા, આવી ઘટનાને લઈને દરેક પણ કોઈ વ્યક્તિની વાતચીતમાં આવી જઈને પૈસાનો બેફામ બગાડ કરવો જોઈએ નહીં..

આ પ્રકારની એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે, છતાં પણ અત્યારના સમયમાં આવી બધી ઘટનાઓ બંધ થવાનું નામ લેતી નથી અને દિન પ્રતિદિન આવી ઘટનાઓમાં વધારો નોંધાયો છે, જે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારી બાબત છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *