આજના સમયમાં યુવાન પેઢી ખૂબ જ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. તેઓ પોતાના પારિવારિક જીવનના સંબંધોને સમજ્યા વગર પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. અવારનવાર પ્રેમ પ્રકરણને કારણે બનતા કિસ્સાઓ ખૂબ જ જોવા મળી રહ્યા છે. પારિવારિક જીવન જીવતા પતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધને કારણે નાના-મોટા ઝઘડાઓ થતા હોય છે.
અને જેને કારણે તેના પરિવારના લોકોને ઘણું બધું સહન કરવું પડે છે, આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના રાજકોટ શહેરમાં રામનાથપરામાં બની હતી. રામનાથ પરામાં આવેલા ગરૂડ ગરબી ચોકમાં શેરી નંબર 13 માં એક પરિવાર રહેતું હતું. બંગાળી પરિવારના પતિ-પત્ની રહેતા હતા, જેમાં પતિનું નામ કાકન શેખ હતું.
તેમની પત્નીનું નામ આરીફા કાકન શેખ હતું. આરીફાની ઉંમર 19 વર્ષની હતી. તે બંનેના લગ્ન 10 મહિના પહેલા થયા હતા. કાકન શેખ સોની મજૂરી કરતો હતો અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે પોતાના વતનથી પોતાની પત્નીને લગ્ન બાદ લઈને રાજકોટ રહેવા આવી ગયો હતો અને બંને પોતાના લગ્નજીવન ખુબજ સારી રીતે જીવવાનું ચાલુ કરી દીધું હતું.
તેઓએ ભાડાની રૂમ રાખીને પોતાનું જીવન જીવી રહ્યા હતા. કાકન શેખ પણ સારી એવી કમાણી કરીને તેમના પત્નીનું ગુજરાન ચલાવતો હતો અને પરંતુ આરીફાને લગ્ન પહેલાં કોઈ બીજા યુવક સાથે મિત્રતા હતી, જેના કારણે તે યુવક સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ હતી. તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે માંગતી હતી.
પરંતુ તેના પરિવારના લોકોએ લગ્નની ના કહી હતી અને આરીફાના લગ્ન આરીફાની મરજી વિરુદ્ધ કાકન શેખ સાથે કરાવી દીધા હતા. જેના કારણે આરીફાએ પોતાની સાથે એવી ઘટના કરી નાખી હતી. તે જોઈને સૌ કોઈ લોકોના પગ ધ્રુજવા લાગ્યા હતા. લગ્ન દસ મહિના પહેલા ખૂબ જ ધામ ધૂમથી કરાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ બંને પોતાનું પારિવારિક જીવન જીવી રહ્યા હતા પરંતુ એક દિવસ અચાનક આરીફાઈ તેના પતિને પોતાના પ્રેમ પ્રકરણની વાત જણાવી હતી અને તેના પતિએ બધું જ ભૂલી જઈને પોતાની સાથે નવી જિંદગી પસાર કરવા માટે સમજાવી હતી ત્યારબાદ આરીફાનો પતિ કાકન બજારમાં ગયો હતો. તે સમયે ઘરે એકલી રહેલી આરીફાએ ઘરનો દરવાજો બંધ કરીને એવું કર્યું કે,
કાકને ઘરે આવીને જોયું તો તે આઘાતમાં આવી ગયો હતો, તેણે જોયું તો અરીફા રૂમમાં લટકી રહી હતી. તેને આપઘાત કરી લીધો હતો. આ જોઈને જ પતિ ચીસ પાડી બેઠો હતો જેના કારણે આસપાસના લોકો ભેગા થયા હતા અને પોલીસના ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ તરત જ પહોંચી હતી અને આરીફાના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો.
આરીફાઈએ આપઘાત કરી લીધો હતો જેના કારણે તેના પતિની પૂછપરછ કરતા તેને આરીફાના પ્રેમ પ્રકરણની વાત જણાવી હતી જેના કારણે મૂંઝાઈને આ ઘટના કરી હોવાની આશંકા હતી તેને પોતાની પત્નીને ગુમાવી હતી ત્યારબાદ તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ હજુ પણ આ ઘટનાની તપાસ કરી રહી હતી. આરીફાએ તેમના પહેલાના પ્રેમ સંબંધને કારણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. હાલમાં આવી ઘટનાઓ ખૂબ જ બનતી જોવા મળી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]