Breaking News

“તમારાથી થાય તે કરી લેજો” કહીને મારફાટ બયરી તેના પતિને ધમકાવતી, અંતે કંટાળી ગયેલા પતિએ ભરી લીધું એવું પગલું કે મહિલાની અક્કલ ઠેકાણે આવી ગઈ..!

અમુક વ્યક્તિનો સ્વભાવ ખૂબ જ અભિમાન ભર્યો હોય છે. તેઓને હંમેશા પોતાની જ વાતો સાચી લાગે છે, જ્યાં સુધી માણસ એકલવયુ જીવન જીવતો હોય ત્યાં સુધી તે પોતાના મનની મનમાની કરે તો ચલાવી લેવામાં આવતું હોય છે. પરંતુ લગ્નજીવનની અંદર જોડાઈ ગયા બાદ જો પોતાના જ મનનું ધાર્યું કરવામાં આવે તો લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકતું નથી..

અત્યારે એક મહિલાની દાદાગીરીને કારણે તેનો પતિ ખૂબ જ કંટાળી ગયો હતો, સમાજના લોકો પણ કહેવા લાગ્યા હતા કે, આ તે કેવી મહિલા છે કે જે સમાજના દરેક લોકોને પોતાના અવાજથી નીચે દબાવી રહી છે. બિચારો પરિવાર તો આ મહિનાથી એટલો બધો કંટાળી ગયો કે સામાજિક પ્રસંગોની અંદર બહાર જવાનું પણ ટાળવા લાગ્યા હતા..

આ ઘટના વિષે જાણીને તમને પણ કહેવા લાગશો કે, હકીકતમાં વાંઢા રહીને જીવન જીવી લેવું જોઈએ પરંતુ આવી મારફાટ વહુથી ડરી ડરીને ક્યારેય પણ જીવન જીવવું જોઈએ નહીં, આ ચોંકાવનારી ઘટના સતીશપુર ગામમાંથી સામે આવી છે. આ ગામના છેવાડે આવેલા એક બંગલામાં કિશોરદાસભાઈ તેમના પરિવાર સાથે રહે છે..

પરિવારમાં કિશોરદાસ ભાઈ ના માતા પિતા તેમજ તેમની પત્નીનો પણ સમાવેશ થાય છે, કિશોરદાસભાઈના લગ્ન થયા તેના ત્રણ વર્ષ વીતી ચૂક્યા હતા, તેમના લગ્ન તેમના બાજુના ગામમાં રહેતી શીતલ નામની યુવતી સાથે થયા હતા. જ્યારથી તેના લગ્ન આ યુવતી સાથે થયા છે ત્યારથી જ તેના પરિવારમાં નાની નાની બાબતોને લઈને લડાઈ ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા..

પરિવાર પહેલા ખૂબ જ શાંતિથી રહેતો હતો, પરંતુ જ્યારથી શીતલના પગલાં ઘરની અંદર પડ્યા ત્યારથી જ ઘરની અંદર લડાઈ ઝઘડાઓ શરૂ થવા લાગ્યા હતા. કારણ કે, શીતલ કોઈ પણ બાબતને સહન કરતી નહીં અને તે દરેક વ્યક્તિઓને ખૂબ જ કડક શબ્દોની અંદર મન ફાવે તેવું કહી દેતી હતી..

તેણે ક્યારે પણ કોઈ વ્યક્તિને માન સન્માન કે, આદર ભાવ આપ્યો નહીં તે હંમેશા પોતાની જ મનમાની કરતી હતી, પોતે જેમ કહે તેમ જ ઘરની અંદર થવું જોઈએ અને પોતાનું જ રાજ ચાલવું જોઈએ તેવી વિચારધારા ધરાવનાર આ મહિલા થી દરેક લોકો કંટાળી ગયા હતા, બે વર્ષના લગ્નજીવન દરમિયાન કિશોરદાસભાઈ એટલા બધા કંટાળી ગયા કે તે પોતાનું ઘર મૂકીને અન્ય શહેરમાં નોકરી કરવા માટે જતા રહ્યા હતા..

તો બીજી બાજુ કિશોરદાસ ભાઈના માતા પિતાને પણ શીતલ ધમકાવી નાખતી હતી, કિશોરદાસભાઈ જ્યારે તેમની પત્નીને સમજાવવાની કોશિશ કરતા ત્યારે તે કહેતી કે તમારાથી થાય તે કરી લેજો, આ મહિલાની અકલની કેવી રીતે ઠેકાણે લાવવી તેના વિશે કિશોરદાસભાઈ જાણકારી મેળવવા લાગ્યા હતા..

તેણે એક વખત એવું પગલું ભર્યું કે, તેની પત્નીની અકલ ઠેકાણે આવી ગઈ હતી, હકીકતમાં કિશોરદાસ ભાઈએ શીતલના માતા-પિતાને તેના ઘરેથી લઈ આવ્યા હતા અને ત્યારબાદ આ વડીલ મા-બાપને શીતલની સામે જ ઊભા રાખીને તેની ઈજ્જત આબરૂના ધજાગરા થઈ જાય તેવા શબ્દોમાં તેમને ખખડાવી નાખ્યા હતા..

કિશોરદાસભાઈએ પહેલેથી તેમના સાસુ સસરાને જણાવી દીધો હતો કે, તેઓ શીતલને મેથીપાક ચખાડવા માંગે છે. એટલા માટે તેઓ આ વડીલ સાસુ સસરાને થોડું ઘણું માઠા શબ્દોની અંદર વર્તન કરશે, પરંતુ તેઓને આ સમજી લેવું જોશે. એક નાટકના ભાગ અનુસાર કિશોરદાસભાઈએ શીતલના સગા મા બાપને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા અને તેને ખૂબ જ કડવા વેણ વચનો પણ સંભળાવી દીધા હતા..

એ વખતે તેના પતિને જણાવ્યું કે, તમે શા માટે મારા મા બાપને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢો છો, અને તેની સાથે શા માટે આવું વર્તન કરો છો, એ વખતે કિશોરદાસભાઈ જણાવ્યું કે તું મારા મા બાપ સાથે રોજબરોજ આવું વર્તન કરી રહી છે. છતાં પણ હું સહન કરી રહ્યો હતો, પરંતુ હવે મારાથી તેમજ મારા માં-બાપથી સહન નહીં થાય..

અત્યારે જે લાગણી તને તારા મા બાપ પ્રત્યે ઊભી થઈ રહી છે તેવી જ લાગણી મને રોજબરોજ ઊભી થઈ રહી છે, આજ પછી તે મારા માતા-પિતાને હેરાન કર્યા છે, તો હું તારા માતા-પિતાને પણ હેરાન કરીશ. તું જેવા શબ્દોમાં મારા માતા-પિતા સાથે વાતચીત કરીશ તેવા જ શબ્દોમાં હું તારા માતા-પિતાને પણ ખખડાવી નાખીશ…

જ્યારે શીતલના કાનમાં આ શબ્દો ઘુસયા ત્યારે તે સમજી ચૂકી હતી કે, તેની હેરાન કરતી પરિવારના દરેક સભ્યોને કેટલી બધી ખૂંચી રહી છે, અને તેની અક્કલ ઠેકાણે આવી ગઈ હતી. તેને તેના સાસુ સસરા તેમજ તેના પતિની પણ માફી માંગી હતી અને દરેક લોકો સાથે સારી રીતે વર્તન કરવાનું પણ જણાવી દીધું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *